દાહોદ જિલ્લામાં મહત્તમ વસ્તી આદિજાતિની છે. તેમનો મુખ્ય તહેવાર હોળી છે. ત્યારે દાંડો રોપાયા પછી હોળી ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. થોડા દિવસ પછી શ્રામિકોનો વતન વાપસીનો દર પણ શરૂ થઈ જશે.

દાહોદ જિલ્લામાં 75% જેટલી વસ્તી આદિજાતિની છે. અને તેમાં પણ મહત્તમ વસતી ભીલ જ્ઞાતિની છે. જેમનો મુખ્ય તહેવાર હોળી છે. જિલ્લામાં નોખી રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે. હાલમાં જ પોસ સુદ પૂનમના દિવસે પરંપરા પ્રમાણે જ્યાં જ્યાં હોળી પ્રગટવાની છે. તે તમામ સ્થળે હોળીનો દાંડો તેના શુભ મુહૂર્તમાં રોપી દેવાયો છે. દાહોદમાં પણ મુખ્ય હોળી ગાંધી ચોકમાં પરગટાવાય છે. તેમાંથી મસાલ લઈને શહેરની અન્ય હોળીઓ પ્રગટાવવામાં આવે છે. હોળીના બીજે દિવસે ધુળેટી ની ઉજવણી કરાશે. ત્યારે જિલ્લાના આદિવાસી સમાજમાં અત્યારથી જ હોળીની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ છે. જેમાં સૌ પ્રથમ માળીએ મૂકી દીધેલા ઢોલ ચઢાવવાનો શરૂ થઈ ગયું છે. ગીરી કંદરાઓમાં ઢોલના ઢબુકા પણ ધીમી ગતિએ આરંભભાઇ ગયા છે. જિલ્લામાંથી રોજગારી માટે મહાનગરોમાં ગયેલા શ્રમિક પરિવાર પણ હોળીના પંદર દિવસ પહેલા વતન આવવા માંડશે. ત્યારે શહેરના તેમજ તાલુકા મથકોના બજારોમાં ચહલ પહલ વધી જશે.

કારણ કે દિવાળીની માફ્ક આદિવાસી સમાજ હોળી પર વિવિધ ખરીદી કરે છે. હોળી પર રાખેલી બાધા માનતા પણ પૂરી કરે છે.આમલી અગિયારસથી પરંપરાગત મેળાઓનો પ્રારંભ થશે

થોડી પહેલા આમલી અગિયારસ એ હોળીનો સૌપ્રથમ મેળો ભરાય છે. અને તે દિવસથી હોળીના મેળાઓનો આરંભ થઈ જશે. ગામડે ગામડે દાહોદ જિલ્લાની ઓળખ એવા ગોળ ગધેડાના મેળા યોજાશે. તેમજ કેટલાક વિસ્તારોમાં જાડિયાના મેળા પણ ભરાશે. મેળાઓમાં ગ્રામજનો મન મૂકીને મહાલ છે ત્યારે સાચે જ ગામડાઓમાં ઉત્સવનું વાતાવરણ સર્જાશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો