ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાનારી ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થવાના આરે હતી ત્યારે બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ફોર્મ ભરવાની અંતિમ તારીખમાં બે દિવસનો વધારો કરવામાં આવ્યો છે.
ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય
બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી સૂચના મુજબ, હવે વિદ્યાર્થીઓ અને શાળાઓ નીચે મુજબની સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરી શકશે, વિદ્યાર્થીઓ હવે 24 ડિસેમ્બર સુધી ઓનલાઇન પરીક્ષા ફોર્મ ભરી શકશે. ફોર્મ ભર્યા બાદ તેમાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો શાળાના આચાર્ય 26 ડિસેમ્બર સુધી ઓનલાઇન સુધારા-વધારા કરી શકશે.
