પશુપાલકોનું કહેવું છે કે, દૂધ અન્ય ડેરીમાં ભરવા પર પ્રતિબંધ મૂકયો છે અને દૂધ પ્રતિબંધથી પશુપાલકોમાં ભારે રોષ છે, પશુપાલકોને મધુર ડેરી ફેટના રુ. 855 ચૂકવે છે અને ઉત્તમ ડેરી પશુપાલકોને ફેટના રુ. 810 ચૂકવે છે અને વાર્ષિક ભાવ ફેરમાં પશુપાલકને 10 ટકા નુકસાન થતું હોવાની વાત સામે આવી છે અને દેહગામના પશુપાલકોને વાર્ષિક 18 કરોડનું નુકસાન થતું હોવાની વાત છે.
91 દૂધ મંડળીના 15 હજાર પશુપાલકોને નુકસાન
પશુપાલકોનુ 3 દિવસનું 2 લાખ લીટર દૂધ રખડ્યુ છે અને ઉત્તર ડેરીના ચેરમેન સામે સરકાર કેમ ઝૂકી રહી છે તેવો આક્ષેપ પશુપાલકો કરી રહ્યાં છે, મોહન ભરવાડ સામે સરકાર કેમ ઝુકી તેવા આક્ષેપ પશુપાલકો કરી રહ્યાં છે. મોટી સંખ્યામાં પશુપાલકો ટ્રેક્ટરો લઈને નેહરુ ચોકડીથી સીધા વિધાનસભા તરફ કૂચ કરશે.હવે જોવાનું એ રહેશે કે પોલીસ પશુપાલકોને ગાંધીનગરના ઉંબરે જતાં અટકાવશે કે પછી ઘર્ષણની નવી સ્થિતિ સર્જાશે. છેલ્લા 3 દિવસથી દૂધના ભાવ મુદ્દે ભારે ઘમસાણ મચી રહ્યું છે.
