ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા એક ભવ્ય નિમણૂંક પત્ર એનાયત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના હજારો યુવાનોને સરકારી નોકરીની ભેટ મળી છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યના પરિવહન ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે મોટા પાયે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ ભરતીના ભાગરૂપે આજે મહાત્મા મંદિર ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં કુલ 4,742 ઉમેદવારોને નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવશે.










