ગુજરાતમાં સિંહ અને દિપડાનો વસવાટ છે. સિંહોના સંવર્ધન માટે રાજ્ય સરકાર દ્વારા એક ઈકો સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે રાજ્યમાં વાઘની હાજરી પણ નોંધવામાં આવી છે. જેથી નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીએ ગુજરાતને વાઘની હાજરી ધરાવતુ રાજ્ય જાહેર કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી છે.


રતનમહાલના જંગલમાં લાંબા સમયથી એક વાઘ સ્થાયી થયો

ગુજરાતમાં વન્ય જીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે એક ઈકો સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં સિંહોના સંવર્ધન માટે પણ રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ દરમિયાન એશિયાઈ સિંહોની સંખ્યા અને વિચરણનો વિસ્તાર પણ વધ્યો છે. એવામાં રતનમહાલના જંગલમાં લાંબા સમયથી એક વાઘ સ્થાયી થયો છે. વન્ય જીવોની કાળજી માટે વન વિભાગના પ્રયાસોને બિરદાવાયા છે. કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, 33 વર્ષ બાદ ગુજરાત ટાઇગર સ્ટેટ જાહેર કરાયું છે. NTCAએ ગુજરાતને ટાઇગર સ્ટેટ જાહેર કર્યું છે.દાહોદના રતનમહાલમાં વાઘ સ્થાયી થયો છે. માદા વાઘની પણ માગ કરવામાં આવી છે. 2026ની વાઘની વસ્તી ગણતરીમાં ગુજરાતનો સમાવેશ કરાશે


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) દ્વારા ગુજરાતને વાઘની હાજરી ધરાવતું રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે તે ઘણા આનંદની વાત છે. વડાપ્રધાન મોદીના માર્ગદર્શનમાં ગુજરાતમાં વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટેની એક સુઆયોજિત ઈકોસીસ્ટમ તૈયાર થઈ છે. જેના પરિણામે એશિયાઈ સિંહોની સંખ્યા અને વિચરણ વિસ્તાર વધ્યો છે. અને હવે રતનમહાલના જંગલોમાં વાઘ પણ લાંબા સમયથી સ્થાયી થયો હોવાથી ગુજરાતને વાઘની વસતી હાજરી ધરાવતું રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે. વાઘ સહિત વન્યજીવોની કાળજી માટેના વન વિભાગના પ્રયાસોને બિરદાવું છું.


આ પણ વાંચોઃ Banaskantha : ગૌ હત્યા અટકાવવા સરકાર પાયલોટ પ્રોજેક્ટ લાવશે, હત્યારા આજીવન જેલમાં રહેશે





  • Follow us on: