ગોધરા : સ્વસ્તિક ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સાંદિપની વિદ્યામંદિર ગુજરાતી માધ્યમમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. શાળાના તમામ વિદ્યાર્થીઓએ યોગ મહોત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. શાળાના આચાર્યએ યોગનું જીવનમાં મહત્વ દર્શાવી તે એક ઉત્સવ તરીકે નહીં પરંતુ નિરંતર જીવનમાં કરવા જોઈએ તેમ સમજાવ્યું. શાળાના તમામ શિક્ષકોએ યોગોત્સવને સફ્ળ બનાવવામાં સિંહફાળો આપ્યો આ તમામ આયોજન શાળાના પ્રમુખ દિલીપભાઈ પટેલની પ્રેરણા અને માર્ગદર્શનમાં કરાયું હતું.

Gujarat News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં યોગ કર્યા









