ગોધરા : ગોધરા શહેરના મહાવીર નગર ખાતે આવેલા ભગવાન મહેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાન જગન્નાથની છેલ્લાં 21 વર્ષથી અષાઢી બીજ ના રોજ રથયાત્રા કાઢવામાં આવે છે.ભગવાન સોમનાથની રથયાત્રા તેમના માસી ગુડ્ડિચ ઘરે ભગવાન જગન્નાથ ફરવા જાય છે. નંદીઘોષ રથમાં ભગવાન જગન્નાથ, તાલધ્વજ માં ભાઈ બલરામ તેમજ દર્પ દલન રથમાં બહેન સુભદ્રા પ્રસ્થાન કરે છે અને આ રથ નગરચર્યા માટે નીકળે છે. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
