ગોધરા : ગુરુ પૂર્ણિમા નિમિત્તે આદિવાસી વિકાસ ફઉન્ડેશન ગોધરા દ્વારા દયાળ ગામની પ્રાથમિક શાળા ખાતે બાળકોને નોટબૂક વિતરણ કરાયું હતું. આ પ્રસંગે આદિવાસી વિકાસ ફઉન્ડેશનના સભ્યો એમ.એમ. પારગી, દેવજીભાઈ ડામોર, સુરેશભાઈ કલારા, તુષારભગોરાએ હાજર રહી બાળકોને નોટબુક, પેન, પેન્સિલ અને કેળાંના પ્રસાદનું વિતરણ કર્યું હતું.
