ગોધરા : શ્રી ગોવિંદ ગુરુ યુનિ. ના ગોવિંદગુરુ ટ્રાઇબલ ચેર દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ની સંસ્કૃતિ, કલા, પરંપરા, જ્ઞાન અને અધિકારોને સમર્પિત અનોખી ઉજવણી કરાઈ હતી ચેરના કોર્ડીનેટર ડો.મહેશભાઈ રાઠવા અને ટીમ દ્વારા આયોજિત આ ઉજવણીમાં કુલપતિ પ્રો. હરિભાઈ કાતરીયાએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજની પરંપરા, સંસ્કૃતિ અને કળાઓ માત્ર ગુજરાત જ નહીં ,સમગ્ર વિશ્વ માટે પ્રેરણા રૂપ છે. આ પ્રસંગે ભગવાન બિરસા મુંડા યુનિ. ના કુલપતિ પ્રો. ડો. મધુકર પાડવી, અગ્રણી પીઠોરા કલાકાર પદ્મશ્રી પરેશભાઈ રાઠવા, કુલ સચિવ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અનિલભાઈ સોલંકી અને ઉપેન્દ્રભાઈ રાઠવા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન રજૂ થયેલ ટીમલી નૃત્યથી સમગ્ર વાતાવરણ ઉર્જાથી ભરાઈ ગયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો