
Surat: MBBSમાં 30 લાખની સ્કોલરશિપ અપાવવાના બહાને નર્સિંગ કોલેજની પૂર્વ શિક્ષિકાએ વિદ્યાર્થીની પાસે 80 લાખ પડાવ્યા

Feb 15, 2026 11:20 pm
ગીર સોમનાથના વેરાવળમાં ભીડીયા વિસ્તારમાં રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે. રસોઈ બનાવતી વખતે 7 કિલોના ગેસ બાટલામાં અચાનક બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ બાદ મકાનમાં આગ ભભૂકતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી. આ ઘટનામાં કૂલ પાંચ લોકો દાઝી ગયા હતાં. 4 લોકોને સામાન્ય ઈજા સાથે સારવાર હેઠળ ખસેડાયા હતાં. જ્યારે ગંભીર રીતે દાઝેલો રાકેશ મેઘજીભાઈ પાંજરીને રાજકોટ રીફર કરાયા છે.
Feb 15, 2026 10:48 pm
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો છે. આવતીકાલથી પ્રતિબંધિત પ્લાસ્ટિક સાથે ફેરિયા પકડાશે તો દંડ કરવામાં આવશે. 120 માઈક્રોનથી ઓછી જાડાઈની થેલી પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે. કોઈ પણ ફેરિયો પહેલી વાર પકડાશે તો એક હજાર અને બીજી વાર પકડાશે તો ત્રણ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે. ત્રીજી વાર પકડાશે તો પાંચ હજારનો દંડ કરાશે.
Feb 15, 2026 10:27 pm
સાબરકાંઠાના ઈડરિયા ગઢ પર આગ લાગતાં તંત્ર દોડતું થયું છે. રુખી રાણીના માળિયા નજીક વનસ્પતિ બળીને ખાખ થઈ ગઈ છે. ઈડરિયા ગઢની આસપાસ વન્ય જીવોનો વસવાટ છે. ફાયર બ્રિગેડે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી છે. આગથી વન્ય પ્રાણીઓ સહિત પશુ પક્ષીઓના મોત થયાની આશંકા છે.આગ લાગવા પાછળનું કારણ હજુ અકબંધ છે.
Feb 15, 2026 10:03 pm
વેરાવળમાં ગેસ સિલિન્ડર લીકેજ થતાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. લીકેજ થતાં જ રહેણાંક મકાનમાં આગ લાગી હતી. આ ઘટનામાં બે લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
Feb 15, 2026 09:34 pm
જૂનાગઢમાં ભવનાથ મંદિરે આજે મહાશિવરાત્રીનો મેળો યોજાયો છે. હજારો શ્રદ્ધાળુઓ ભગવાન શીવના દર્શને પધાર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ભગવાન શંકરના દર્શન કર્યા હતાં. નાગા સાધુઓની શાહી રવેડી જોવા માટે સમગ્ર જૂનાગઢમા મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યો છે.
Feb 15, 2026 09:26 pm
અંકલેશ્વરના કારોબારી સમિતીના અધ્યક્ષ નિલેશ પટેલનું માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું છે. અડોલ હજાર ગામ નજીક ટ્રેક્ટર સાથે કાર ભટકાતા તેમનું મોત નિપજ્યું હતું.
Feb 15, 2026 09:13 pm
અમદાવાદમાં મણીનગરમાં ગોરના કુવા વિસ્તારમાં ટ્રાવેલ્સ બસ દુકાનમાં ઘૂસી હોવાનો બનાવ સામે આવ્યો છે. બે દુકાનોમાં બસ ઘૂસી જતાં મોટું નુકસાન થયું છે પણ કોઈ જાનહાની થઈ નથી. ટ્રાફિક પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.
Feb 15, 2026 08:57 pm
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતાં. તેમણે સુરસાગર સ્થિત સર્વેશ્વર મહાદેવની આરતી ઉતારી હતી. મહાઆરતીમાં જોડાયા બાદ અમિત શાહે સંબોધનમાં કહ્યું હતું કે, આજે ભગવાન શીવની મનોરમ્ય પ્રતિમા નિહાળીને ધન્ય થયો છું. લોકો અને સંતોની મદદથી વિરાટ પ્રતિમા બની છે. 550 વર્ષ સુધી ભગવાન શ્રી રામ ટેન્ટમાં રહ્યા અને મોદીજીના શાસનમાં ભવ્ય રામ મંદિર બન્યું. ઔરંગઝેબે કાશી પર હુમલા કર્યા,મોદીજી ના શાસન માં ભવ્ય કાશી કોરીડોર બન્યું, મુગલોએ સોમનાથ મંદિર પર હુમલા કર્યા, મોદીજીએ સોમનાથ ના ગૌરવ વર્ષ ની ઉજવણી કરી
Feb 15, 2026 08:21 pm
અમદાવાદમાં મહિલાએ પોતાના ઘર ખર્ચને પહોંચી વળવા માટે સંબંધીના ઘરમાં જ ચોરી કરી હતી. આ મહિલાએ તેના સંબંધીના ઘરમાંથી 8.10 લાખના દાગીના ચોર્યા હતાં. આ ઘટના નારણપુરાના શુભલક્ષ્મી ટાવરમાં બની હતી. નારણપુરા પોલીસે માનસી દોશી નામની મહિલાની ધરપકડ કરી હતી.
Feb 15, 2026 08:17 pm
મુખ્યમંત્રીએ આસ્થાના મહાકુંભરૂપ મહાશિવરાત્રીના મેળામાં ભવનાથ મંદિર પરિસરના સત્સંગ હોલ ખાતે મુક્તાનંદ બાપુ, શેરનાથ બાપુ, હરિહરાનંદ બાપુ, મહેશગીરીબાપુ, મહેન્દ્રાનંદગીરીબાપુ, સંપૂર્ણાનંદજી બાપુ, રાજેન્દ્રદાસ બાપુ, ભારદ્વાજગીરી બાપુ, બુદ્ધગીરી બાપુ, સોમનાથજી બાપુ સહિતના સાધુ સંતો સાથે મુલાકાત કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. સાથે જ ખેસ અને ફુલહાર પહેરાવી અભિવાદન કર્યું હતું. મુખ્યમંત્રીનું જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવાસિયા અને ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજાએ સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સ્વાગત સન્માન કર્યું હતું. પ્રાંત અને મેળા અધિકારી ચરણસિંહ ગોહિલે મહાશિવરાત્રીના મેળાની પ્રાથમિક ભૂમિકા આપી હતી. મુખ્યમંત્રીએ ભવનાથ મંદિરના પરિસરમાં સહજતાપૂર્વક ભાવિકો સાથે વાતચીત કરી હતી અને તેમનું અભિવાદન કર્યું હતું. મહાશિવરાત્રીના મેળામાં જુદા જુદા અખાડાઓના સાધુ સંતો અને દિગંબર સાધુઓની મહાશિવરાત્રી પર્વે નીકળતી રવેડીનું પણ વિશેષ મહત્વ રહેલું છે.
Feb 15, 2026 08:01 pm
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરતની મુલાકાતે પહોંચ્યા હતાં. તેમણે પોલીસ ભરતી મુદ્દે નિવેદન આપતાં કહ્યું હતું કે, "ભરતી પ્રક્રિયાની તમામ ફાઈલો મંગાવવામાં આવી છે.સંપૂર્ણ તપાસ કરીને આગળની કાર્યવાહી કરાશે
Feb 15, 2026 07:36 pm
આજે શિવરાત્રીના પ્રસંગે પોરબંદરમાં ચેમ્બર ઓફ કોમર્સમાં સત્તા સંગ્રામ ખેલાયો હતો. બે જૂથો વચ્ચે આજે ચેમ્બર ઓફ કોમર્સમાં ઘમાસાણ મચી જવા પામી હતી. ટ્રસ્ટીઓએ ઓફિસનું તાળુ તોડીને કબજો મેળવ્યો હતો. નલિન કાનાણી જૂથે ચેરિટી કમિશ્નરના આદેશો રજૂ કર્યા હતાં. વર્તમાન પ્રમુખ જિજ્ઞેશ કારીયા દ્વારા ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવેલા કબજાનો ઉગ્ર વિરોધ કરાયો હતો.
Feb 15, 2026 07:02 pm
અમદાવાદના સરખેજમાં ચાર જુગારિયા ઝડપાયા છે. સરખેજના આકાશ એસ્ટેટમાં બંધ રૂમમાં જુગાર રમાતો હતો. LCB ઝોન-7ની ટીમે દરોડો પાડી જુગારીઓ ઝડપી લીધા હતાં. રોકડ અને મોબાઈલ ફોન સહિત કુલ 1,62,500નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
Feb 15, 2026 06:53 pm
મહેસાણામાં યોજાયેલા સમૂહલગ્ન કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, ડો. બાબા સાહેબ આંબેડકરે દેશની એકતા માટે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. તેમને ખ્રિસ્તી અને ઈસ્લામ ધર્મ સ્વીકારવાની ઓફર હતી છતાં તેમણે બોદ્ધ ધર્મ જ કેમ પસંદ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ડો. બાબા સાહેબની રાષ્ટ્રભક્તિ અને સૂઝબૂઝ પર જનસભામાં અપાયેલું વક્તવ્ય પ્રેરણાદાયી છે. તેમણે ભારતની સંસ્કૃતિ અને એકતાને ધ્યાનમાં રાખીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. લાખોની કમાણી છોડીને તેમણે દલિત, અનુસૂચિત જાતિ અને ગરીબોની સેવામાં જીવન સમર્પિત કર્યું હતું. બાબા સાહેબનો નિર્ણય દેશને નબળો પડતો અટકાવવા માટે એક ઐતિહાસિક પગલું હતું.
Feb 15, 2026 06:31 pm
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ કોલંબો પહોંચ્યો છે. તે ભારતીય ટીમ સાથે મુલાકાત કરી રહ્યો છે. રોહિતની કેપ્ટનશીપમાં જ ભારતે T20 વર્લ્ડકપ 2024 જીત્યો હતો. આ વર્ષે તેને ICCના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.
Feb 15, 2026 06:12 pm
વડોદરામાં વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સયાજીપુરા સ્થિત પાયોનિયર કોલેજની ઘટના, Bamsના વિદ્યાર્થીએ કર્યો આપઘાતનો પ્રયાસ, કોલેજના ત્રીજા માળથી લગાવી છલાંગ, રોહન રાઠોડ નામના વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસ, જાતિ આધારે હેરાનગતિના કરતાના આરોપ લગાવ્યા, હાલ રોહન જૂનાગઢ ખાતે સારવાર હેઠળકપુરાઈ પોલીસે બે પ્રોફેસર સામે નોંધાઈ ફરિયાદ, એટ્રોસિટી સહીતની કલમ નોંધી તપાસ હાથ ધરાઈ
Feb 15, 2026 05:58 pm
3. Pakistan સામે T20Iમાં સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય બોલરો, જાણો કોણ છે ટોપ પર
4. Jammu Kashmir : ભારત વિરોધી ગતિવિધિઓ કરનારા 8000 બેનામી બેન્ક એકાઉન્ટને કરાયા ફ્રીઝ
6. US National Defense Strategy 2026 : અમેરિકાની નવી સંરક્ષણ નીતિ, તાઇવાન મુદ્દે કેમ બદલાયું વલણ?
9. Maharashtra : 21 ઠેકાણાઓ પર ATSએ પાડ્યા દરોડા, 14 શંકાસ્પદ લોકોને કસ્ટડીમાં લેવાયા
10. Gold Loan આપનારી કંપની હવે કરવાની છે મોટી ડિલ, શેરના ભાવ પર જોવા મળશે અસર
Feb 15, 2026 05:45 pm
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે બનાસકાંઠા પહોંચી બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટ્સની મુલાકાત લીધી હતી. દૂધથી લઈને બાયો-સીએનજી સુધીના વિવિધ પ્લાન્ટના મોડેલની સર્વાંગી વિકાસયાત્રાને આનંદીબેને બિરદાવી હતી. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તેમજ વાવ-થરાદ વિસ્તાર ખાતે આવેલ બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોની લીધી મુલાકાત. પાલનપુર સ્થિત બનાસડેરી કેમ્પસમાં આવેલા દુધેશ્વર મહાદેવ મંદિરે દર્શન કર્યા હતા. ડેરીના બોર્ડ રૂમમાં બનાસ ડેરીની કામગીરી, વિકાસલક્ષી પહેલો અને સહકારી માળખાની સફળતા અંગે પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું .ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ગુજરાત તથા ઉત્તર પ્રદેશની વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિઓ અને અધિકારીઓ રહ્યા હતા ઉપસ્થિત
Feb 15, 2026 05:37 pm
આવતીકાલથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થશે. બપોરે 12 વાગ્યાથી રાજ્યપાલના સંબોધન સાથે સત્રની શરૂઆત થશે. રાજ્યપાલના સંબોધન બાદ આભાર પ્રસ્તાવ રજૂ થશે. CM ભૂપેન્દ્ર પટેલ ગૃહમાં શોક દર્શક ઉલ્લેખ રજૂ કરશે.વિપક્ષ તથા શાસક પક્ષના સિનિયર સભ્યો ટેકો આપશે.ગુજરાત દૂકાન અને સંસ્થા સુધારા વટહુકમ સંદર્ભ રજૂ થશે. વિવિધ નિગમ-આયોગના અહેવાલ ગૃહમાં રજૂ થશે, નાણાંકીય નિગમ, મહિલા આયોગનો અહેવાલ રજૂ થશે, ગુજરાત ખનીજ વિકાસ નિગમનો અહેવાલ રજૂ થશે, ત્યારબાદ વિધાનસભા ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે, કોંગ્રેસ તરફથી શૈલેષ પરમારને નોંધાવી ઉમેદવારી, દિનેશ ઠાકોર શૈલેષ પરમારને ઉપાધ્યક્ષ તરીકે પ્રસ્તાવ મુકશે, મંત્રી જીતુ વાઘાણી પૂર્ણેશ મોદીને ઉપાધ્યક્ષનો પ્રસ્તાવ મુકશે, ધ્વની મતથી વિધાનસભા ઉપાધ્યક્ષની ચૂંટણી થશે.કામકાજ સલાહકાર સમિતિનો અહેવાલ ગૃહમાં રજૂ થશે
Feb 15, 2026 05:15 pm
ભારતીય ક્રિકેટ ટીમની જીત માટે અંબાજીમાં પ્રાર્થના કરવામાં આવી છે. શિવભક્તોમાં અનોખો દેશભક્તિનો રંગ જોવા મળ્યો હતો. અંબાજીના માનેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા-અર્ચના કરાઈ હતી.શિવલિંગ સમક્ષ ત્રિરંગો અર્પણ કરી જીત માટે પ્રાર્થના કરાઈ હતી. ભક્તોમાં ભારતની જીતનો આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો.
Feb 15, 2026 04:55 pm
અમદાવાદના વિવેકાનંદનગર વિસ્તારમાં અસમાજિક તત્વો દ્વારા ધીંગાણાનો ગંભીર મામલો સામે આવ્યો છે.હાથીજણ વિસ્તારમાં આવેલી ધર્મવાટિકા સોસાયટીમાં પાર્કિંગ મુદ્દે થયેલી અદાવતના કારણે સોસાયટીના રહીશો પર જાહેરમાં હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે 6 આરોપીઓને ઝડપી લઈને ઘટના સ્થળે રી-કન્સ્ટ્રક્શન કર્યું છે.
Feb 15, 2026 04:44 pm
ગાંધીનગર ખાતેથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દેશની સૌપ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આધારિત પારદર્શક, આધુનિક અને સરળ જાહેર વિતરણ વ્યવસ્થાનો શુભારંભ કરાવ્યો હતો. આ સમારોહ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રીએ 1 કિલોના સીલબંધ પેકિંગમાં ચણા અને તુવેરદાળના વિતરણ, અમદાવાદના સાબરમતી ઝોનમાં અન્નપૂર્તિ ગ્રેઇન ATM સુવિધા તેમજ ગરિમા પોષણ સુપોષિત ગરુડેશ્વર તાલુકો અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો.આ ઉપરાંત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગ્રાહકોના હિતોના રક્ષણ માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ તથા ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર વચ્ચે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા.
Feb 15, 2026 04:30 pm
અમદાવાદના ચાણક્યપુરીમાં ફાયરિંગ કેસમાં તપાસ શરૂ કરાઈ છે. એ ડિવિઝન એસીપી જયેશ બ્રહ્મભટ્ટનું નિવેદન સામે આવ્યું છે. કોલ મળતાં જ પોલીસ પહોંચી હતી. પ્રકાશ દેસાઈ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. વતનમાં દીકરી સાથે પ્રેમ સંબંધમાં હુમલો કરવામાં આવ્યો હતો. બે રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. મોન્ટુ રબારી નામનો આરોપી ચાણક્યપુરીમાં રહે છે. સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ચાલુ છે.
Feb 15, 2026 04:19 pm
પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ અધિકારીઓ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, હાલમાં ગુજરાત સરકારમાં પોલીસ ભરતીમાં ઊંચાઈ અને રનીગની પરીક્ષા ચાલી રહી છે. આ પરીક્ષામાં ઊંચાઈમાં એક નવો નિયમ આવ્યો છે. જેમા 2019 અને 2025માં જે વિદ્યાર્થીઓ બંને પરીક્ષામાં પાસ થયા પછી 2026માં રનિંગની પરીક્ષા આપી રહ્યા છે અને ઊંચાઈની પરીક્ષામાં નાપાસ કરવામાં આવ્યા છે. આવી અમારી પાસે આધાર પૂરવા સાથેની લેખિતમાં નવ અરજીઓ આવી છે. કેટલાક અધિકારીઓ સરકારને જાણી જોઈને બદનામ કરી રહ્યાં છે. અમારા સમાજના વિદ્યાર્થીઓને જાતિ વિશે ટીપ્પણીઓ કરે છે. જો વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો વિરોધ કરીશું. લેખિત પરીક્ષા હશે ત્યારે વિરોધ કરીશું.
Feb 15, 2026 03:55 pm
આમ આદમી પાર્ટીના પૂર્વ ખેડૂત નેતા રાજુ કરપડાએ ત્રણ નેતાઓ સામે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા રાજુ કરપડાની ઓડિયો ક્લિપ વાયરલ કરીને તેઓ ભાજપના સંપર્કમાં હોય તેવો દાવો કર્યો હતો. જેને લઈને રાજુ કરપડાએ ખુલાસો આપતાં કહ્યું હતું કે, આ ઓડિયો ટેકનિકલ રીતે રેકોર્ડિંગ કરીને વાયરલ કરવામાં આવી છે. તે ખોટી છે. ત્યાર બાદ તેમણે આમ આદમી પાર્ટીના કરણ બારોટ, સ્વયમ સાલવી અને વિપુલ ઠાકોર સામે સુરેન્દ્રનગરમાં સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોધાવી છે. રાજુ કરપડાએ ત્રણ નેતાઓ સામે ફરિયાદ નોંધાવતા રાજકારણમાં ગરમી પ્રસરી જવા પામી છે.
Feb 15, 2026 03:34 pm
જુઓ સંદેશ ન્યુઝ પર અન્નપૂર્તિ ATM મશીનની કામગીરી, કેવી રીતે કામ કરશે અન્નપૂર્તિ એટીએમ મશીન, લાભાર્થીનો ડેટા મશીનમાં સેટ કરેલો રહેશે, મશીનમાં લાભાર્થીનું નામ અને નંબર નાખવાનો રહેશે, મશીનથી નિર્ધારિત માત્રામાં અનાજ આપવામાં આવશે, છૂટક ઘઉં અને ચોખા પણ મળશે.
Feb 15, 2026 03:25 pm
બંગલાવાડી વિસ્તારમાં કુતરાનો બાળકી પર હુમલો, આંગણામાં રમતી બાળકી પર કુતરાએ બચકા ભર્યા, બાળકીને બચાવવા જતા વૃધ્ધને પણ પહોંચી ઈજા, 2 વર્ષની બાળકીને માથામાં 9 ટાંકા આવ્યા, હાલ બાળકી હોસ્પિટલમાં સારવાર હેઠળ, ખંભાળીયામાં રખડતા કુતરાથી લોકોમાં ભારે ફફડાટ, તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં રોષ.
Feb 15, 2026 03:15 pm
GNLU ખાતે ઇન્ડિયા સ્કિલનું આયોજન, કેન્દ્રીય મંત્રી જ્યંત ચૌધરી કાર્યક્રમમાં હાજર, કુંવરજી બાવળિયા, મહારાષ્ટ્રના મંત્રી હાજર.
Feb 15, 2026 03:07 pm
‘અમુક અધિકારીઓ સરકારને બદનામ કરે છે’, ‘અગાઉ રનીંગમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને નાપાસ કરાયા’, ‘લેખિતમાં અરજી આપી છે તેવા નવ લોકો છે’, ‘વિદ્યાર્થીઓને ન્યાય નહી મળે તો વિરોધ કરીશું’, લેખિત પરીક્ષા હશે ત્યારે વિરોધ કરીશું : બાંભણિયા, જાતિ વિશે અધિકારીઓએ ટિપ્પણી કરી હતીઃ બાંભણિયા.
Feb 15, 2026 02:51 pm
રમાઘાટ ડેમ પાસે પાણીના ખાડામાંથી લાશ મળી, પાણીમાં ન્હાવા પડતા ડૂબી જવાથી કરુણ મોત, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો.
Feb 15, 2026 02:39 pm
03 - Surat News : સુરતમાં ટ્રકના ચાલકે 3 લોકોને ઉડાવ્યા, 1 મહિલાનું ઘટના સ્થળે મોત
06 - T20 World Cup : વેસ્ટ ઈન્ડિઝે નેપાળને 9 વિકેટથી હરાવ્યું
07 - Hindu Tv એક્ટરના હાથ પર અલ્લાહનું ટેટૂ જોઈ ભડક્યા યુઝર્સ, ટ્રોલર્સ બોલ્યા- ધર્મનું અપમાન ન કર!
09 - Digital Arrest Scams:ડિજિટલ ઠગાઈનો આવશે અંત! સાયબર ક્રાઇમ રોકવા કેન્દ્ર સરકારનો માસ્ટર પ્લાન
10 - Bangladesh Election Result 2026: રાષ્ટ્રપતિના નામ માટે મોહમ્મદ યુનુસના નામની ચર્ચા થઇ તેજ
Feb 15, 2026 02:27 pm
સવારે સામાન્ય ઠંડીની અસર રહેશે, બપોરે ગરમીની અસર રહેશે: હવામાન, મહતમ તાપમાન 30 થી 32 ડિગ્રી રહેશે, લઘુતમ તાપમાન 17 થી 18 ડિગ્રી રહેશે, ઉત્તર પૂર્વના ગરમ પવનો ફૂંકાતા ગરમી રહેશે, દક્ષિણ ગુજરાતમાં 2 થી 3 ડિગ્રી વધઘટ રહેશે.
Feb 15, 2026 02:23 pm
ત્યારે દેવ બિરસા સેના દ્વારા આજે ગીધમાળી ડુંગર પર હિજારી (એક ટોપલીમાં પકવેલું અનાજ અને પૂજાની સામગ્રી) લઈને ગીધમાળી આયા ડુંગર પર જવા આહવાન કર્યું હતું. જો કે પોલીસે આ ગીધમાળી ડુંગરને ચુસ્તબંદોબસ્ત સાથે અભેદ કિલ્લામાં દેવી દીધું હતું. અને દેવ બિરસા સેનાના કાર્યકરોને જતા અટકાવ્યા હતા. જો કે આદિકાળથી પૂર્વજો દ્વારા આ ડુંગર પર કરાતી પૂજા અટકતા અને ખ્રિસ્તીઓ દ્વારા મારિયમ માતાનું મંદિર બનાવી દેતા આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.
Feb 15, 2026 02:22 pm
દાવો કરવામાં આવ્યો છે કે આદિવાસીઓ આદિકાળથી દર વર્ષે પકવેલું અનાજ આ ગીધમાળી ડુંગર પર કણી કંસરીની પૂજા કરી ચઢાવે છે ત્યારબાદમાં ઉપયોગમાં લેતા આવ્યા છે ત્યારે કેટલાક સમય પહેલા આ ડુંગર પર ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા મરિયમ માતાનું મંદિર બનાવી દેતા પરંપરાગત કણી કંસરીની પૂજા અટકવા પામી છે.
Feb 15, 2026 02:10 pm
પ્રેમ પ્રેકરણમાં આરોપીઓએ ફાયરિંગ કર્યુ છે અને જાહેર રોડ પર આ ફાયરિંગ કર્યુ હોવાની વાત સામે આવી છે, ફરિયાદી ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા છે અને આરોપીઓએ ફરિયાદીને માર મારી ફાયરિંગ કર્યુ છે, આરોપીઓને ઝડપવા સોલા પોલીસની ટીમ તપાસ કરી રહી છે, આરોપીઓ ઝડપાય ત્યારબાદ બીજા ખુલાસા થઈ શકે છે. પોલીસે ફરિયાદીની ફરિયાદ લીધી છે અને નિવેદન પણ લીધું છે, જે આરોપીઓએ ફાયરિંગ કર્યુ છે તેમની પાસે લાયસન્સ વાળી પિસ્તલ હતી કે ગેરકાયદે હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
Feb 15, 2026 02:10 pm
અમદાવાદના ચાણકયપુરી વિસ્તારમાં 2 રાઉન્ડ ફાયરિંગની ઘટના બની છે, જેમાં પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે, સોલા પોલીસે નોંધ્યો ગુનો. અમદાવાદના ઘાટલોડિયામાં આવેલ ચાણકયપુરી વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે, જેમાં પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે, ફરિયાદી ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે અને પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે, પોલીસે ગુનો પણ નોંધ્યો છે.
Feb 15, 2026 01:52 pm
તો ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી, સાથે સાથે મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, હાલમાં પોલીસે રસ્તા પરનો ટ્રાફિક દૂર કર્યો છે અને તપાસ શરૂ કરી છે, તો ટ્રકનો ચાલક સ્પીડમાં આવતો હોવાની વાત સામે આવી છે.
Feb 15, 2026 01:52 pm
સુરતના લસકાણામાં ટ્રકે અકસ્માત સર્જયો છે અને 3 લોકોને ઉડાવ્યા છે જેમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત થયું છે, તો ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે, 72 વર્ષીય સરોજબેન પટેલનું અકસ્માતમાં મોત થયું છે, મહિલાના ભાઈ અને તેના પૌત્રને સામાન્ય ઇજા પહોંચી છે અને અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે, લસકાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી.
Feb 15, 2026 01:51 pm
સુરતના લસકાણા વિસ્તારમાં અકસ્માતની ઘટના બની છે. જેમાં ટ્રકના ચાલકે 3 લોકોને ઉડાવ્યા છે અને 1 મહિલાનું ઘટના સ્થળે મોત થયું છે, સુરતમાં બેફામ ટ્રક ચાલકે મહિલાનો ભોગ લીધો છે અને ટ્રક ચાલકે મોપેડને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત થયો છે, અકસ્માતમાં 72 વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે મોત થયું છે, અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થયો છે.
Feb 15, 2026 01:26 pm
01-તા. 16.02.2026ની 19032 યોગનગરી ઋષિકેશ સાબરમતી એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ મહેસાણા – આંબલિયાસણ – કલોલના બદલે પરિવર્તિત માર્ગ મહેસાણા – કટોસણ રોડ – કલોલના રસ્તે ચાલશે.
02-તા. 16.02.2026ની 19412 દૌલતપુર ચોક – સાબરમતી એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ મહેસાણા – આંબલિયાસણ – કલોલના બદલે પરિવર્તિત માર્ગ મહેસાણા – કટોસણ રોડ – કલોલના રસ્તે ચાલશે.
Feb 15, 2026 01:24 pm
પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના મહેસાણા–જગુદણ સ્ટેશનો વચ્ચે બ્રિજ નં. 974 અને 975 ના પુનર્નિમાણ સંબંધિત એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવ્યો છે. રેલ મુસાફરોને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરી શરૂ કરે. મુસાફરો ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in પર માહિતી મેળવી શકે છે.
Feb 15, 2026 01:24 pm
પુરવઠા વિભાગના વિવિધ પ્રકલ્પોનો શુભારંભ
કાર્યક્રમમાં અમિત શાહનું સંબોધન
સૌને શિવરાત્રિની શુભકામના : અમિત શાહ
પ્રત્યેક બીજું ટ્રાન્ઝેક્શન ભારતમાં થાય છેઃ અમિત શાહ
'11 વર્ષ પહેલા 7 કરોડ પરિવાર પાસે બેંક એકાઉન્ટ નહોતું'
'દુનિયાના અડધા ડિજિટલ ટ્રાન્ઝેક્શન ભારતમાં થાય છે'
પ્રત્યેક બીજું ટ્રાન્ઝેક્શન ભારતમાં થાય છે : અમિત શાહ
આ પદ્ધતિથી ભ્રષ્ટાચાર સંપૂર્ણ દૂર થશે: અમિત શાહ
ગરીબોને પોતાનું અનાજ પહોંચશે : અમિત શાહ
માઓવાદ વિસ્તારમાં અનાજ પહોંચતું નહોતું: અમિત શાહ
અનાજ વચેટિયા ખાઇ જતા હતાઃ અમિત શાહ
મેડ ઇન ગુજરાત અન્ન ATMની શરુઆત થઇઃ અમિત શાહ
‘11 વર્ષ પહેલા ભ્રષ્ટાચારની શરુઆત તોલવાથી થતી’
‘પૂર્ણ સુરક્ષિત અને પારદર્શી પદ્ધતિની શરુઆત થઇ’
મોદી સરકારે 4 કરોડ લોકોને ઘર આપ્યાઃ અમિત શાહ
બાકીના 3 કરોડ લોકોને 2029 સુધી ઘર મળશેઃ અમિત શાહ
‘1 કરોડ લોકોને સ્વનિધિ યોજનાનો ફાયદો મળ્યો’
‘મોદીજી 27 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા’
કોંગ્રેસ ખેડૂતો માટે કેટલું અનાજ ખરીદતી હતીઃ અમિત શાહ
‘મોદી સરકાર 10 ગણું અનાજ ખેડૂતો પાસેથી ખરીદે છે’
‘જનતાએ કોંગ્રેસને 2014માં ટાટા - બાય બાય કહી દીધું’
‘ખેડૂતોની સુરક્ષા માટે મોદી ચટ્ટાનની જેમ ઉભા છે’
Feb 15, 2026 12:58 pm
પુરવઠા વિભાગના વિવિધ પ્રકલ્પોનો શુભારંભ
કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીનું સંબોધન
‘ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં મોટું પરિવર્તન આવશે’
‘ડિજિટલ અન્ન ચક્રથી 250 કરોડ રૂપિયા બચ્યા’
‘કોઇ ખામી હશે તો ગૃહમંત્રીના નેતૃત્વમાં પૂર્ણ થશે’
‘લાભાર્થીને ખબર પડશે કે તેને કેટલું અનાજ મળવાપાત્ર છે’
‘અમિતભાઈને અહીંયા બોલવાનું એક કારણ છે’
‘અમિતભાઈ આવે તો કોઈ આડું અવળું ન વિચારે’
બધા રાજ્યો આનો અમલ કરે: પ્રહલાદ જોષી
‘ગરીબી સામે ડિજિટલ સત્યાગ્રહ શરૂ થશે’
Feb 15, 2026 12:58 pm
‘ટેક્નોલોજીથી ગરીબોનું કલ્યાણ થશે : CM
અનાજ ATMનો પ્રારંભ થયો : CM
‘PM મોદીના નેતૃત્વમાં સેવા મંત્ર સાકાર થયો’
‘વડાપ્રધાન કાર્યાલય હવે સેવા તીર્થ તરીકે ઓળખાશે’
‘દેશમાં 25 કરોડ લોકો ગરીબી રેખાની બહાર’
‘હવે અનાજ ઉપાડવા માટે બન્યા ખાસ ATM’
‘માત્ર 35 સેકન્ડમાં મળશે 25 કિલો અનાજ’ : CM
24 કલાક અનાજ મેળવવાની સુવિધા ઉપલબ્ધ રહેશે : CM
અન્ન વિતરણ વ્યવસ્થામાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ
ગરીબ પરિવારો માટે હવે અનાજ મેળવવું વધુ સરળ : CM
Feb 15, 2026 12:45 pm
પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ દ્વારા જીલ્લામાં “NO DRUGS IN EAST KUTCH CAMPAIGN" અંતર્ગત ગેરકાયદેસર કેફી અને માદક પદાર્થના સેવન, હેરફેર,વેપારની પ્રવૃતિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા તથા ગેરકાયદેસર માદક પદાર્થના કેસો શોધી કાઢવા મળેલ સુચના આધારે એસ.ઓ.જી.ટીમને મળેલ બાતમી હકીકત આધારે ગાંધીધામથી ભચાઉ તરફ જતા ને.હાના સર્વિસ રોડ ઉપર આવેલ ક્રિષ્ના પાર્કિગમાં આવેલ જય શ્રી કિષ્ના હોટલના સંચાલકો પોતાના કબજા ભોગવટાની હોટલ જય શ્રી કિષ્નામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ પોષડોડા રાખી વેચાણ પ્રવૃત્તિ કરતા હતા.
Feb 15, 2026 12:45 pm
કચ્છના ગાંધીધામમાં માદક પદાર્થ સાથે બે ઝડપાયા છે અને પૂર્વ કચ્છ SOG પોલીસે કરી કાર્યવાહી, SOG પોલીસે પોષડોડા સાથે આરોપીને ઝડપી પાડયા છે. આરોપી પાસેથી 9.183 કિલો ગ્રામ પોષડોડા મળ્યા છે અને આરોપી હોટલમાં ગેરકાયદેસર પોષડોડાનું વેચાણ કરતો હતો અને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
Feb 15, 2026 12:22 pm
ભગવાન શિવના અંશ અવતાર હનુમાનજી મહારાજને શિવસ્વરુપના વાઘા તથા સિંહાસને બ્લુ ડેઝીના ફુલોનો શિવસ્વરુપ થીમનો દિવ્ય શણગાર કરાયો છે વાઘા 7 દિવસની મહેનતે ગોંડલમાં તૈયાર કરાયેલા હતા. અને શ્રી નિલકંઠ મહાદેવનું પૂજન કરાયું, લઘુરુદ્ર યજ્ઞની સાથે યોજાયો હતો. દિવ્યાંગ વંદના સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં મંદિર પરિસરમાં સ્વંય સ્વામિનારાયણ ભગવાને પૂજા કરેલા નિલકંઠ મહાદેવ મંદિરમાં પૂજા કરવામાં આવી હતી. સર્વે ભક્તો સુખી થાય એવી ભગવાન મહાદેવને અભિષેક કરીને પ્રાર્થના કરી છે. આ પાવન અવસરે હજારોની સંખ્યામાં હરિભક્તોએ ઉમટી પડી દાદાના અને મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
Feb 15, 2026 12:22 pm
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર - સાળંગપુરધામ દ્વારા એક માનવતાવાદી અભિગમ સાથે ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬, રવિવારના રોજ 'દિવ્યાંગ વંદના સમારોહ'નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ યોજાયો. સમાજના દિવ્યાંગ ભાઈ-બહેનો પ્રત્યે આદર અને સંવેદના પ્રગટ કરવાના ઉમદા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોઠારી સ્વામી વિવેકસાગરદાસજીએ જણાવ્યું કે, આજે મહાશિવરાત્રિનું પર્વ છે.
Feb 15, 2026 12:21 pm
શ્રીકષ્ટભંજનદેવ દાદાને શિવસ્વરુપના વાઘા તથા સિંહાસને બ્લુ ડેઝીના ફુલોનો શિવસ્વરુપ થીમનો દિવ્ય શણગાર કરાયો હતો. નિલકંઠ મહાદેવ મંદિરને ફૂલોથી વિશેષ શણગાર કરી મંદિરમાં રાત્રે 10 થી 12 કલાક દરમિયાન પૂજન-અર્ચન-મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી અને સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)દ્વારા મંદિર પરિસરમાં આવેલાં નિલકંઠ મહાદેવ મંદિરમાં ભગવાન શિવની વિશેષ પૂજા પણ કરવામાં આવી હતી.જેના દર્શન-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Feb 15, 2026 12:21 pm
મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી અંતર્ગત શ્રીકષ્ટભંજનદેવ દાદાને શિવસ્વરુપના વાઘા તથા સિંહાસને બ્લુ ડેઝીના ફૂલોનો શિવસ્વરુપ થીમનો દિવ્ય શણગાર કરાયો છે, શ્રી નિલકંઠ મહાદેવનું પૂજન કરાયું, લઘુરુદ્ર યજ્ઞની સાથે યોજાયો દિવ્યાંગ વંદના સમારોહ. સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે મહાશિવરાત્રિના પાવન પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો સંપન્ન થયા હતા.

Feb 15, 2026 12:18 pm
પુરવઠા વિભાગના વિવિધ પ્રકલ્પોનો શુભારંભ, કાર્યક્રમમાં DyCM હર્ષ સંઘવીનું નિવેદન, ‘જાહેર વિતરણની દિશા-દશા બદલવા જઇ રહી છે’, ‘ભારત જેવા દેશમાં અન્ન સુરક્ષા સૌથી મોટો પડકાર’, ‘હકદારને હક મુશ્કેલી વગર મળે તે સરકારનું લક્ષ્ય’, ‘ભારતમાં સામાન્ય લોકો માટે ડિજિટલ કરન્સીનો ઉપયોગ’, ‘ATMથી માત્ર રૂપિયા જ નહીં અનાજ પણ મળી શકે છે’ , ‘રાજનીતિ ટીકા ટિપ્પણીથી નહીં સામાજિક સેવાથી થાય’.
Feb 15, 2026 11:59 am
સુરત એરપોર્ટ પર લોખંડી પક્ષીના ઉતરાણથી કુતૂહલ, વિમાન સુરત એરપોર્ટ પર ફ્યુઅલ માટે રોકાયું હતું, ટૂંકા રોકાણ બાદ વિમાન વડોદરા રવાના કરાયું, એવિએશન પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.
Feb 15, 2026 11:49 am
અશાંતધારો (Disturbed Areas Act)એ ગુજરાત સરકારનો એક વિશેષ કાયદો છે, જે કોમી સંવેદનશીલ વિસ્તારોમાં મિલકતના ગેરકાયદેસર કે દબાણયુક્ત વેચાણને રોકવા માટે બનાવાયો છે. આ કાયદા હેઠળ, નિયુક્ત વિસ્તારોમાં મિલકત વેચવા માટે કલેક્ટરની પૂર્વ મંજૂરી ફરજિયાત છે, જેથી ડેમોગ્રાફી (વસ્તી વિષયક માળખું) બદલાય નહીં અને કોમી એકતા જળવાઈ રહે. 1990ના દાયકામાં કોમી તોફાનો બાદ તત્કાલિન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે આ કાયદો અમલમાં મૂક્યો હતો. અશાંત વિસ્તાર જાહેર કરાયેલા સ્થળોએ મિલકતની લે-વેચ માટે કલેક્ટરની લેખિત મંજૂરી જરૂરી છે.
Feb 15, 2026 11:48 am
અમદાવાદના ચાંદખેડામાં આવેલ અને એસજી હાઈવેથી નજીક આવેલું ગોદરેજ ગાર્ડન સિટી કે જયાં હજારોની સંખ્યામાં લોકો વસવાટ કરી રહ્યાં છે, ત્યારે આ બધાની વચ્ચે વિધર્મીઓ પ્રવેશ કરી રહ્યાં છે અને ઘર ખરીદી કરી રહ્યાં છે અને વસવાટ કરે છે, ત્યારે ચાંદખેડા વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો નથી જેનો વિધર્મીઓ ફાયદો ઉઠાવી રહ્યાં છે, અને ઘર વેચનાર બ્રોકરો પણ રૂપિયાની લાલચે ઘરનું વેચાણ કરાવીને દલાલી લઈ રહ્યાં છે.
Feb 15, 2026 11:46 am
અમદાવાદના ચાંદખેડામાં આવેલ ગોદરેજ ગાર્ડન સિટીમાં અશાંતધારાની માગ સ્થાનિકોએ ઉઠાવી છે, કેટલાક વિધર્મીઓ દ્વાર ફલેટ ખરીદી લેતા આ માગ ઉઠી છે. અમદાવાદના ચાંદખેડામાં અશાંતધારો જાહેર કરવા માગ ઉઠી છે અને વિધર્મીના વધતા વસવાટના કારણે સ્થાનિકો પણ અકળાયા છે, હોદરેજ ગાર્ડન સિટીમાં વિધર્મીઓનો પગ પેસારો અટકાવવા માટે માગ ઉઠી છે, સ્થાનિકોનો આક્ષેપ છે કે, વિધર્મીઓ સાથે રહેવું મુશ્કલે છે અને આ મામલે સ્થાનિકોએ કલેકટર ઓફિસ અને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.
Feb 15, 2026 11:32 am
પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર જામનગરના મહેમાન બન્યા
પૂર્વ ક્રિકેટર યુવરાજસિંહ પણ જામનગર એરપોર્ટ પર દેખાયા
રિલાયન્સ ગ્રુપની ખાસ ફ્લાઈટમાં મહેમાનોનું આગમન
અંજલી અને સારા તેંડુલકર પણ એરપોર્ટ પર સાથે પહોંચ્યા
જામનગર એરપોર્ટ પર ક્રિકેટરોને જોવા ચાહકોની ભીડ જામી
ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મહેમાનોનું સ્વાગત કરાયું
Feb 15, 2026 11:31 am
03 - Ahmedabad News : અમદાવાદના નારોલમાં જમાઈએ કરી સસરાની હત્યા, પોલીસે તપાસ શરૂ કરી
06 - Himachal Accident: સરજમાં મહાશિવરાત્રી પર જીપ અકસ્માતમાં ત્રણ યુવાનોના મોત, એક ગંભીર ઘાયલ
07 - India Brazil relation : બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલાની ભારત મુલાકાત કેમ બની શકે છે ગેમચેન્જર?
08 - IND vs PAK મેચમાં કોણ મારશે બાજી? GroK, ChatGPT અને Geminiની મોટી આગાહી
09 - Bangladesh: રહમાન તારિક 17 ફેબ્રુઆરીએ લેશે PM પદના શપથ,ભારતને પણ આપ્યું આમંત્રણ
10 - Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના નવીનતમ ભાવ જાહેર, જાણો તમારા શહેરનો લેટેસ્ટ ભાવ
Feb 15, 2026 11:17 am
જિ.પં.ની કુલ 40 બેઠકો રહેશે, 11 બેઠકો ઓબીસી અનામત રહેશે, 2 બેઠક અનુસૂચિત જાતિ માટે જાહેર, 1 બેઠક અનુસૂચિત આદિજાતિ માટે જાહેર, 13 બેઠક સામાન્ય સ્ત્રી માટે અનામત જાહેર, 13 બેઠક સામાન્ય માટે રહેશે.
Feb 15, 2026 11:06 am
પુરવઠા વિભાગના વિવિધ પ્રકલ્પોનો શુભારંભ, ગાંધીનગરના મહાત્મા મંદિરમાં કાર્યક્રમનું આયોજન, CBDC પાયલોટ પ્રોજેક્ટનો ગૃહમંત્રીના હસ્તે પ્રારંભ, હવેથી અનાજ ATMની પણ શરૂઆત, લાભાર્થીઓના અનાજ પર મોનીટરીંગ થશે, અનાજ સગેવગેની ફરિયાદ પર અંકુશ માટે પહેલ.
Feb 15, 2026 11:00 am
ભારત-પાક મેચને લઇ ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ, ભારત પાકિસ્તાનનો બાપ છેઃ ક્રિકેટ રસિક, આજે સરહદ પર નહીં પીચ પર ટક્કરઃ ક્રિકેટ રસિક, ભારત પાકિસ્તાનને ધૂળ ચટાડશેઃ ક્રિકેટ રસિક, યુદ્ધથી ઓછી નથી આ મેચઃ ક્રિકેટ રસિક, ભારતની જીત નિશ્ચિત છેઃ ક્રિકેટ રસિક.
Feb 15, 2026 10:40 am
ચૂંટણીને લઇ પૂર્વ ક્રિકેટ કોર્નર વિલિયમ્સનું નિવેદન, ‘BCA ચૂંટણીમાં વોટ કરવો એ સૌભાગ્યની વાત’, ભારત-પાક. મેચ પર કોર્નર વિલિયમ્સનું નિવેદન, ‘જે સારું રમશે તે જીતશે, ભારત જીતે તેવી આશા’, હાર્દિક પંડ્યા ઇમ્પેક્ટ પ્લેયરઃ કોર્નર વિલિયમ્સ, ‘હાર્દિક વર્લ્ડ ક્લાસ ઓલરાઉન્ડર પ્લેયર છે’.
Feb 15, 2026 10:35 am
આ કચેરી ખાતે નાયબ ચેરિટી કમિશ્નર અધિકારીની ચેમ્બેર, કોર્ટ રૂમ, સ્ટાફ રૂમ, રેકર્ડ રૂમ, બાર રૂમ સહિતની સુવિધાઓ હશે. આ તકે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડીયા, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, ધારાસભ્ય સર્વે સેજલબેન પંડયા, શિવાભાઈ ગોહિલ, મ્યુનિસિપલ કમિશનર એન. કે. મીના, કલેકટર ડૉ. મનીષકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, આગેવાન કુમારભાઈ શાહ, દિગ્વિજયસિંહ ગોહિલ સહિતના અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Feb 15, 2026 10:34 am
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કાયદા વિભાગ હસ્તકની સંયુક્ત ચેરિટી કમિશનરની કચેરી, ભાવનગર તેમજ જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, ભાવનગર માટે નવનિર્મિત થનાર ‘ચેરિટી ભવન’નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાજ્યકક્ષાના કાયદા મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. નવનિર્મિત ‘ચેરિટી ભવન’થી ચેરિટી કમિશનર કચેરી અને જાહેર ટ્રસ્ટોની નોંધણી સંબંધિત કામગીરી વધુ સુવિધાસભર અને સુવ્યવસ્થિત બનશે.
Feb 15, 2026 10:20 am
22 લાખ શ્રદ્ધાળુઓએ લીધો દર્શનનો લાભ, 5 દિવસમાં 22 લાખ શ્રદ્ધાળુએ કર્યા દર્શન, રવાડીને લઈને તંત્રની તમામ તૈયારી પૂર્ણ, શાહી સ્નાન સાથે મેળાની પૂર્ણાહૂતિ થશે.
Feb 15, 2026 10:14 am
તો ઝડતી સ્કવોડે ભુજ બી ડિવિઝન પોલીસને જાણ કરી છે અને પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે, પાલારા જેલમાંથી અવાર-નવાર મોબાઈલ મળી આવતા હોય છે, તો મોબાઈલ અંદર સુધી કઈ રીતે પહોંચ્યો તેને લઈ તપાસ શરૂ કરાઈ છે, શું જેલમાં પણ અંદર મોબાઈલ લઈ જવાને લઈ કોઈ સેટિંગ ચાલે છે ?
Feb 15, 2026 10:14 am
ભુજની પાલારા જેલમાંથી મોબાઇલ મળ્યો છે અને પ્રતિબંધિત મોબાઇલ, સીમકાર્ડ, ચાર્જર મળ્યું છે, બેરેક 0505ની ગટરની પાઇપમાંથી મોબાઇલ મળ્યો છે અને ભુજ બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. ભુજ પાલારા જેલમાંથી ફરી એકવાર મોબાઈલ મળ્યો છે અને ઝડતી સ્ક્વોડની તપાસ દરમિયાન મોબાઈલ મળી આવ્યો છે, પ્રતિબંધિત મોબાઈલ, સીમકાર્ડ અને ચાર્જર મળ્યું છે અને બેરેક નંબર 0505 ની બહારના ભાગે ગટરની ચેમ્બરના પાઇપમાંથી મોબાઈલ મળ્યો છે, ભુજ બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
Feb 15, 2026 09:47 am
જેતલસર જંક્શન રેલવે પુર પાસે ગમખ્વાર અકસ્માત, કાર પુલ સાથે અથડાતા કારના બે ભાગ થયા, ત્રણ યુવક અને એક યુવતી કારમાં સવાર હતા, એક યુવક અને યુવતીનું અકસ્માતમાં મોત, ઇજાગ્રસ્ત બે લોકોને સારવાર અર્થે ખસેડાયા.
Feb 15, 2026 09:46 am
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે વર્ષ 2004માં Atal Bihari Vajpayeeના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલા Golden Quadrilateral પ્રોજેક્ટ હેઠળ ખુલ્લો મુકાયો હતો. આ દેશનો પ્રથમ 4-લેન એક્સપ્રેસવે ગણાય છે. આ માર્ગ અમદાવાદ, નડિયાદ, આણંદ અને વડોદરાને જોડતો મહત્વપૂર્ણ કોરિડોર છે. આ માર્ગ શરૂ થતાં અમદાવાદથી વડોદરા વચ્ચેનો મુસાફરી સમય લગભગ 2.5 કલાકથી ઘટીને અંદાજે 1 કલાક થશે.
Feb 15, 2026 09:45 am
12 ફેબ્રુઆરી 2026ના રોજ દિલ્હીની NHAI મુખ્યાલય તરફથી આ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ટેન્ડર અનુસાર 93.302 કિમી સુધીના સંપૂર્ણ 93.302 કિમીના માર્ગ માટે તૈયાર કરવામાં આવશે, હાલમાં આ એકસપ્રેસ વે પર બન્ને બાજુએ બે-બે લેન અને સર્વિસ લેન છે, NHAIના જાહેર શેડ્યૂલ મુજબ, ટેન્ડર સંબંધિત પ્રશ્નો 3 માર્ચ, 2026 સુધી પુછાઈ શકશે. 4 માર્ચે પ્રી-બિડ મિટિંગ યોજાશે.
Feb 15, 2026 09:45 am
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવેનું એક્સપાન્શન થશે અને એક્સપ્રેસ હાઇવને 6 લેન રોડ કરવા તૈયારીઓ કરાઈ રહી છે, 93.30 કિલોમીટરનો રોડ 6 લેન બનાવવામાં આવશે. ગુજરાતનો સૌથી વ્યસ્ત અને મહત્વનો રોડ એવો અમદાવાદ-વડોદરા એકસપ્રેસ વેને 6 લેન સુધી વિસ્તૃત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને NHAIએ એક્સપ્રેસવેના વિસ્તરણ માટે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા કન્સલ્ટન્સી ફર્મ નીમવા ટેન્ડર બહાર પાડ્યું છે.
Feb 15, 2026 09:27 am
01-મમતાબેન જીતેશ ગાવિત - ઉં.વ.49, રહે. થાણે, મુંબઈ
02-કેતન રમેશ કાંતિલાલ સોની - ઉં.વ. 54, રહે. દહીસર ઈસ્ટ
03-ડેનિયલ બાપીસ્ટ મોન્ટેરો - ઉં.વ. 49, રહે. અંધેરી ઈસ્ટ
Feb 15, 2026 09:27 am
આરોપીઓએ આણંદના ધ્રુવ અને સાહેદબેન નામના બે યુવકોને કેનેડા અથવા અમેરિકા મોકલવાના બહાને દિલ્હીથી અઝરબૈજાન મોકલ્યા હતા. અઝરબૈજાન પહોંચતા જ આરોપીઓએ બંનેનું અપહરણ કરી એક ગુપ્ત સ્થળે ગોંધી રાખ્યા હતા, પરિવારજનોને વીડિયો કોલ પર યુવકોને માર મારતા બતાવી ડરાવવામાં આવ્યા હતા. આરોપીઓએ યુવકોની કિડની, આંખો અને લીવર કાઢીને વેચી દેવાની ધમકી આપી રૂ. 65 લાખની ખંડણી માંગી હતી, જે પરિવારજનો પાસેથી પડાવી લેવામાં આવી હતી.
Feb 15, 2026 09:27 am
આણંદના યુવક-યુવતીને અઝરબૈજાનમાં બંધકનો કેસ, આણંદ LCB પોલીસે મુંબઇના 3 એજન્ટને ઝડપ્યા છે, મમતા ગામીત, કેતન સોની, ડેનિયલ મોન્ટેરોની ધરપકડ કરવામાં આવી છે. અન્ય ત્રણ એજન્ટોને ઝડપી પાડવા પોલીસની તપાસ શરૂ થઈ છે, ઝડપાયેલા ત્રણેય એજન્ટો ચાર દિવસના રિમાન્ડ પર છે, ટેકનિકલ સર્વેલન્સ અને મોબાઇલ ટ્રેસ કરી ત્રણને ઝડપી પાડયા છે, અન્ય ત્રણ એજન્ટોને ઝડપી પાડવા પૂછપરછ હાથ ધરાઈ છે, અમેરિકા મોકલવાની લાલચ આપી આણંદના બે નાગરિકોને અઝરબૈજાન લઈ જઈ, ત્યાં તેમને ગોંધી રાખી માર મારી રૂ. 65 લાખની ખંડણી વસૂલનાર મુંબઈના ત્રણ એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે.
Feb 15, 2026 09:11 am
ટાકાટુકા ગામેથી ખેતરમાંથી ગાંજાના છોડ મળ્યા
પોલીસે 23 છોડ, 9.70 કિગ્રા ગાંજા સાથે 1ને ઝડપ્યો
આરોપી સંજય ગમાર વિરુદ્ધ પોલીસની કાર્યવાહી
પૂર્વ રાજકીય આગેવાન અને ખેતર માલિક અંગે તપાસ
ખેતરનું માલિકનું નામ જાણી નથી શકાયું : PI
NDPS એક્ટ મુજબ કાર્યવાહી કરાશેઃ PI
Feb 15, 2026 09:06 am
એક્સપ્રેસ હાઇવને 6 લેન રોડ કરવા તૈયારીઓ, 93.30 કિલોમીટરનો રોડ 6 લેન બનાવવામાં આવશે, વર્ષ 2024માં એક્સપ્રેસ-વે શરુ કરાયો હતો.
Feb 15, 2026 08:47 am
આટલું જ નહીં પરંતુ રુદ્રાક્ષ તમામ લોકો માટે ખૂબ જ આર્શીવાદ સમાન થાય છે કારણ કે રુદ્રાક્ષ પહેરવાથી લોહીનું પરિભ્રમણ નિયમિત થાય છે અને હૃદયને નુકસાન ઓછું પહોંચે છે તેમજ રુદ્રાક્ષના અનેક ફાયદાઓ પણ શરીરને થાય છે ત્યારે 11000 રુદ્રાક્ષ ધારણ કરી સાધુ ચેતનગીરી મેળામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
Feb 15, 2026 08:47 am
મહાશિવરાત્રિના મેળામાં અનેક વિભૂતિઓ હાજર હોય છે સાથે સાથે દૂર દૂરથી આવેલા સંતો મહાત્માઓ અને સાધુઓ પોતાની વિશિષ્ટ યોગ્યતાઓના દર્શન લોકોને કરાવતા હોય છે. આવા જ 11 હજાર રુદ્રાક્ષધારી એક સંતના દર્શન કરવા ભકતોને મળ્યા છે, જેણે માથાથી પગ સુધી ધારણ કર્યા છે રુદ્રાક્ષ, એક નહીં બે નહીં પરંતુ પૂરા અગિયાર હજાર રુદ્રાક્ષની માળાઓથી શણગાર કર્યો છે, ભવનાથના મેળામાં સાધુ-સંતો દૂર દૂરથી ઊમટી પડે છે અને આવા જ ચેતનગીરી નામના સંત એ રુદ્રાક્ષનો મહિમા જાણતા હોવાથી તેઓએ પગથી માથા સુધી 11000 રુદ્રાક્ષની માળાઓ ધારણ કરી છે જેનું વજન અંદાજિત 15 થી 20 કિલો ઉપરનું થતું હશે સવારથી લઈને રાત્રે મોડે સુધી શરીર ઉપર ધારણ કરી અને મેળામાં આવતા ભાવિકોને દર્શન આપે છે.
Feb 15, 2026 08:28 am
અમદાવાદના નારોલમાં હત્યાનો બનાવ બન્યો છે જેમાં કૌંટુંબિક ઝઘડામાં હત્યા થઈ હોવાનું અનુમાન છે, જમાઈએ આ હત્યા કરી છે અને જમાઈના ભાઈ અને માતા વિરુદ્ધ મરણજનારના પરિજનોએ આક્ષેપ કર્યા છે, પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે અને મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, આરોપી ઝડપાશે ત્યારબાદ વધુ ખુલાસા થશે.
Feb 15, 2026 08:28 am
અમદાવાદના નારોલ વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો છે જેમાં જમાઈએ જ સસરાની કરી નાખી હત્યા અને જમાઇ, તેના ભાઇ અને માતા સામે હત્યાનો આક્ષેપ થયો છે. નારોલમાં કૌટુંબિક ઝઘડામાં હત્યા નિપજાવ્યાનું અનુમાન પોલીસને છે અને નારોલની બાગે કૌશર સોસાયટીમાં હત્યાનો બનાવ બન્યો છે, સમગ્ર બનાવને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે અને આરોપી પોલીસની પકડમાં આવી જશે ટૂંક સમયમાં, હત્યાને લઈ પોલીસે પરિજનોના પણ નિવેદન લીધા છે.
Feb 15, 2026 08:15 am
અમદાવાદ પીસીબીએ વિશાલા સર્કલથી નારોલ સર્કલ તરફ જતા રોડ ઉપર આવેલ પીરાણા ચાર રસ્તા પાસે દેવ હોટલ સામે રોડ ઉપર જાહેરમાં દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે અને એક શખ્સની અટકાયત કરી છે, દારૂ કયાં અને કોને આપવાનો હતો એ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે, સમગ્ર ઘટનામાં આગળની તપાસ નારોલ પોલીસ કરી રહી છે.
Feb 15, 2026 08:14 am
અમદાવાદ પીરાણા પાસેથી દારૂ ભરેલી કાર અમદાવાદ પીસીબી પોલીસે ઝડપી પાડી છે અને PCBએ 4.55 લાખના દારુ સાથે એકને ઝડપ્યો છે. રાજસ્થાનના પાલીનો રવિ વછેટાને પોલીસે ઝડપી પાડયો છે. અમદાવાદ પીરાણા પાસેથી દારુ ભરેલ કાર ઝડપાઇ છે અને PCBએ 4.55 લાખના દારુ સાથે એકને ઝડપ્યો છે, રાજસ્થાન પાલીનો રવિ વછેટાને પોલીસે ઝડપ્યો અને કાર સહિત કુલ 9.60 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે, નરોડા અને શાહીબાગનો બુટલેગર ફરાર થયો છે.
Feb 15, 2026 07:46 am
કેરવાડા-બુવા ગામ વચ્ચે અકસ્માતની ઘટના, ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માતમાં 1નું મોત, અકસ્માતમાં બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મોત.
Feb 15, 2026 07:42 am
ઢેમેચા પરિવારની લેખિત રજૂઆત સાથે નોટિસનો ઉલ્લેખ, મંદિરમાં સેવા-પૂજાના હક્કતને લઇ વિવાદ, પોલીસ બંદોબસ્ત વચ્ચે આરતી કરવામાં આવી, ઢીમા ખાતે આવેલું ઐતિહાસિક ધરણીધર મંદિર.
Feb 15, 2026 07:30 am
જૂનાગઢના મહાશિવરાત્રી મેળાને ભવ્ય અને દિવ્ય બનાવવા આયોજનમાં વહીવટી તંત્ર સહિત સૌ સહભાગીઓને અભિનંદન આપ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ભવનાથ પ્રવેશ દ્વાર નજીક આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી થવાની સાથે ભવનાથ મંદિરની વેબસાઈટ લોન્ચ કરી હતી, જેથી હવે ભાવિકો ભવનાથ મહાદેવના લાઈવ દર્શન કરી શકશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી ભવનાથ ભવનાથ અને હર હર મહાદેવ દેવનો જયકાર કરતા જણાવ્યું હતું કે, મહાશિવરાત્રીના મહામેળાને લાખો શિવભક્તોએ સાથે મળીને ઓમ નમઃ શિવાયના જયઘોષથી સમગ્ર તળેટીનું વાતાવરણ ભક્તિમય બન્યું છે, સાથે જ તેમણે કહ્યું કે, ગિરનારી આ પવિત્ર ભૂમિ પર સાધુ સંતોની આ ભવ્ય નગર પ્રવેશ યાત્રામાં ઐતિહાસિક દ્રશ્યો નજરે પડ્યાં છે.
Feb 15, 2026 07:29 am
જૂનાગઢના ભવનાથમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટયું છે અને અત્યાર સુધી 7 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા, મંદિર પરિસરમાં માનવ મહેરામણ ઉમટ્યું છે અને ગિરનાર શિવભક્તિમાં લીન થયો છે. મહાશિવરાત્રી મેળાને લઈને ભાવિકોનું વિશેષ ઘસારો જોવા મળી રહ્યો છે. ભવનાથ વિસ્તારમાં આજના દિવસ દરમિયાન પણ પુષ્કળ પ્રમાણમાં ભાવિકો ભવનાથ મહાશિવરાત્રિ મીની કુંભ મેળાની મુલાકાત કરે તેવી પણ પૂરી શક્યતા છે. જેને લઈને ભવનાથની ગિરિ તળેટી માનવ મહેરામણથી ઉભરાતી જોવા મળી રહી છે.
Feb 15, 2026 07:13 am
17 ફેબ્રુઆરીએ તારીક રહેમાનની યોજાશે શપથવિધિ, PM શપથવિધિમાં હાજર રહે તેવી શક્યતા ઓછી, ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોં 3 દિવસના ભારત પ્રવાસે છે, મેક્રોંની 17 ફેબ્રુઆરીએ PM મોદી સાથે દ્વિપક્ષીય બેઠક, બેઠકને લઇ PM બાંગ્લાદેશ ન જાય તેવી શક્યતા.
Feb 15, 2026 07:05 am
પાછલા વર્ષને બાદ કરતા જાન્યુ.માં સૌથી ઓછી ઠંડ, 1954માં 10 જાન્યુ.એ રેકોર્ડબ્રેક 3.9 ડિગ્રી તાપમાન હતું, ચાલુ વર્ષે ત્રણ વખત 12 ડિગ્રીથી નીચે પારો ગયો, ગત વર્ષની સરખામણીએ ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો, નલિયામાં ગત વર્ષે 10 વખત પારો 7 ડિગ્રીથી નીચે ગયો.
Feb 15, 2026 07:05 am
ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું.
Feb 15, 2026 07:05 am
છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે.
Feb 15, 2026 07:04 am
હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે.
Feb 15, 2026 07:04 am
રાજ્યમાં બેવડી ઋતુની અસર વર્તાઈ રહી છે, સવારે ગુલાબી ઠંડી તો બપોરના સમયે શહેરીજનો ગરમીનો અહેસાસ કરી રહ્યાં છે, વાતાવરણમાં બદલાવ આવ્યો છે. રાજ્યમાં વહેલી સવારે ઠંડીનો અહેસાસ થયો છે, બે દિવસ બેવડી ઋતુની અસર રહેશે અને સૌથી નીચું તાપમાન નલિયામાં 12 ડિગ્રી, અમરેલીમાં 14.6 ડિગ્રી, ડીસામાં 15.2 ડિગ્રી, કેશોદમાં 15.9 ડિગ્રી, કંડલામાં 16 ડિગ્રી, પોરબંદરમાં 16 ડિગ્રી, ગાંધીનગરમાં 16.2 ડિગ્રી નોંધાયું છે.
Feb 15, 2026 06:52 am
IT વિભાગ વેરાની જાળ વિસ્તારવા GST ડેટા ચકાસશે, ઉત્પાદનથી ગ્રાહકના રિઅલ ટાઇમ ડેટાનો અભ્યાસ કરશે, કરદાતાને છુપાવેલી આવક સ્વંય દર્શાવવાની તક અપાશે, વધુમાં વધુ લોકોને ઇનકમ ટેક્સમાં આવરી લેવાશે, ચાલુ નાણાકીય વર્ષમાં આવકવેરાના દર ઘટાડાયા છે, ટેક્સ રેટ ઘટતા કરવેરાની આવકમાં ઘટાડો થયો છે, આવક વધારવા માટે આ કવાયત હાથ ધરાશે, કરદાતા પોતાનું રિવાઇઝડ રિટર્ન ભરે તેની તક અપાશે.
Feb 15, 2026 06:51 am
ડિંડોલી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો, ટેમ્પો, બાઇક સહિત 2.30 લાખનો મુદ્દામાલ જપ્ત, ડિંડોલીમાંથી ટેમ્પો, બાઇકની કરી હતી ચોરી.
Feb 15, 2026 06:51 am
પોલીસે આરોપી અભિષેક મોતીલાલ શાહને ઝડપ્યો, આરોપીએ મુક બુધીર મહિલાના ફોટા પાડ્યા હતા, ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ કર્યું, પોલીસે આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી.
Feb 15, 2026 06:50 am
આજે શિવરાત્રીને લઇ મોટી સંખ્યમાં ભક્તો ઉમટ્યા, ભવનાથ મહાદેવના દર્શન કરવા ભક્તોની ભીડ, વહેલી સવારથી ભક્તોએ ભવનાથમાં લગાવી કતાર, 'બમ બમ ભોલે' ના નાદથી ભવનાથ તળેટી ગૂંજી ઊઠી.
Feb 15, 2026 06:50 am
સોમનાથ મહાદેવ મંદિર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યુ, ઐતિહાસિક સોમનાથ મંદિરે શિવરાત્રીની ઉજવણી, વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા, ગીર સોમનાથ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, મહાશિવરાત્રી પર 5 લાખ યાત્રિકો આવવાની સંભાવના.

Surat: MBBSમાં 30 લાખની સ્કોલરશિપ અપાવવાના બહાને નર્સિંગ કોલેજની પૂર્વ શિક્ષિકાએ વિદ્યાર્થીની પાસે 80 લાખ પડાવ્યા

Rajkot : હડમતાળાની ફાર્મા કંપનીમાં EDના ધામા, કરોડોના હવાલા કૌભાંડમાં કનેક્શન ખુલતા તપાસ તેજ

Rajkot : નવનિર્મિત સાંઢિયા પુલની ઢીલી કામગીરી અને નબળા ફિનિશિંગ બદલ ચેતન કન્સ્ટ્રક્શન અને PMC ને કોર્પોરેશને ફટકારી નોટિસ

Gujarat: ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓનું મહા-ઓપરેશન ડેલ્ટા હન્ટ, રાજ્યભરમાંથી 424 ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા

Weather Forecast : ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આજે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધબધબાટી બોલશે

India Weather Forecast : કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીની તૈયારી, હિમાચલમાં ઓરેન્જ એલર્ટ, જાણો દેશભરના હવામાનની સ્થિતિ

Bihar: મુઝફ્ફરપુરમાં પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ,3 દર્દી જીવતા ભુંજાયા,સ્ટાફ દર્દીઓને તડપતા છોડી ભાગી છૂટ્યો

દીવાનો ધર્મ છે બધાને પ્રકાશ આપવાનો

માયામાંથી મોહ વગેરે અનર્થો પેદા થાય છે

મને વિદ્યા આપો તો તમારું કામ કરી આપું

Surat: MBBSમાં 30 લાખની સ્કોલરશિપ અપાવવાના બહાને નર્સિંગ કોલેજની પૂર્વ શિક્ષિકાએ વિદ્યાર્થીની પાસે 80 લાખ પડાવ્યા