ખેડબ્રહ્મા : ખેડબ્રહ્મા શહેરમાં અંબિકા માતાજી મંદિર જતા રોડ પર તંત્ર દ્વારા વારંવાર રોડ ઉપર કાચા દબાણો દુર કરવા છતાં પરત રોડ ઉપર લારીઓ લઈ ને ઉભા થઇ જતા તંત્ર દ્વારા લારી ગલ્લાઓ દુર કરવામા આવતા દબાણકર્તાઓ ફ્ફ્ડાટ ફેલાઈ ગયો હતો. ખેડબ્રહ્મા શહેરમાં ગતરોજ સાંજના સમયે અંબિકા માતાજી મંદિર જતા રોડ પર ટ્રાફ્કિ સમસ્યાઓને લઈને રોડ પર લારી ગલ્લાઓ લોકો મનફાવે તેમ મુકી દેતા નાયબ કલેકટર નિમેષ પટેલ, ચીફ્ ઓફ્સિર હિતેષ પટેલ, પી.આઈ ડી.વી હડાત પોલીસ સ્ટાફ્, સફાઈ કમદારો સાથે રાખીને અંબિકા માતાજી મંદિર રોડ ઉપરના લારી ગલ્લાઓ દુર કરાતા દબાણકર્તાઓમાં ફ્ફ્ડાટ ફેલાઈ ગયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો