ગણેશચતુર્થી આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે હિંમતનગર સહિત જિલ્લાના અન્ય ઠેકાણે બજારોમાં ગણેશજીની મૂર્તિઓની ખરીદી માટે ભક્તોની ભીડ વધી રહી છે. આ વર્ષે પર્યાવરણ પ્રત્યેની જાગૃતિને કારણે બજારમાં માટીની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ અને પીઓપીની મૂર્તિઓ વચ્ચે ભાવ અને માંગમાં તફાવત દેખાઈ રહ્યો છે. માટીની ઈકો-ફ્રેન્ડલી મૂર્તિઓ પર્યાવરણને નુકસાન ન પહોંચાડતી માટીની મૂર્તિઓની માંગમાં ઉછાળો આવ્યો છે.

ગણેશચર્તુથી નિમિત્તે ગણેશજીનું મૂર્તિઓનું વેચાણ કરતા હિંમતનગરના એક દુકાનદારે જણાવ્યું હતું કે મારે ત્યાં આ વર્ષે મહારાષ્ટ્ર કલેક્શનની મૂર્તિની માંગ વધારે છે. કુદરતી રંગો અને વધારાની મહેનતના કારણે આ મૂર્તિઓ અન્ય મૂર્તિઓ કરતાં મોંઘી છે. જોકે નાની માટીની મૂર્તિઓ 6 ઈંચ થી લઈને 5 ફૂટ સુધીની રૂ.350 મૂર્તિઓ છે, છતાં 120 મૂર્તિનુ બુકિંગ થઈ ચુકયું છે ગણેશની મૂર્તિઓના ભાવ અંગે તેમણે જણાવ્યું હતું કે અત્યારે બજારમાં રૂ.150 થી લઈને 22500 સુધીની નાની મોટી મૂર્તિઓ વેચાણ માટે મુકાઈ છે અન્ય એક દુકાનદારે જણાવ્યું હતુ કે મારે ત્યાં રૂ.200 થી લઈને 10 હજાર સુધીની માટીની મૂર્તિઓ છે. જોકે આ વર્ષે મહારાષ્ટ્ર કલેક્શન અને કલકત્તા કલેક્શનની માંગ વધારે છે.

તો બીજી તરફ પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિઓના વ્યવસાય સાથે સંકળાયેલા અને મોતીપુરા કેનાલ ફ્રન્ટ પર વેચાણ કરવા માટે આવેલા ઈશ્વરભાઈ બાવરીએ જણાવ્યું હતુ કે હું 20-25 વર્ષથી ગણપતિ બાપાની મૂર્તિઓનું વેચાણ કરું છું મારી પાસે એક ફૂટથી લઈને 10 ફૂટ સુધીની મૂર્તિઓ ઉપલબ્ધ છે. પીઓપીની મૂર્તિઓ વજનમાં હલકી અને આકર્ષક ફિનિશિંગ ધરાવતી હોય છે. માટીની સરખામણીએ આ મૂર્તિઓ સસ્તી હોય છે. સામાન્ય રીતે પીઓપીની નાની મૂર્તિઓ રૂ.200થી રૂ.1500 અને પંડાલો માટેની મોટી મૂર્તિઓ 20-35 હજારના ભાવમાં બુકીંગ હોય તો જ બનાવીને આપવામાં આવે છે. દર વર્ષે હિંમતનગરમાં ગણેશની મૂર્તિઓ ખરીદવા માટે તહેવાર પૂર્વે જિલ્લાના વિવિધ ઠેકાણેથી અને આબુરોડ(રાજસ્થાન)થી પણ ભક્તો મૂર્તિ લેવા માટે આવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો