હિંમતનગરના ખેડ-તસીયા રોડ પર ગત રાત્રે તસ્કરોએ એકસાથે ચાર જેટલી દુકાનોને નિશાન બનાવીને પોલીસ પેટ્રોલીંગ સામે સવાલો ઉભા કર્યા છે. આ આખી ઘટનાને પગલે વેપારીઓમાં ભારે રોષ અને ફફડાટ જોવા મળી રહ્યો છે.
તસ્કરોએ ચાર દુકાનોને નિશાન બનાવી
તસ્કરોએ સૌથી પહેલા સુંદરગઢ નજીક ગાયત્રી આશ્રમ પાસે એક પાન-મસાલાનો ગલ્લો તોડ્યો હતો. ત્યારબાદ નવા ગામ પાસે તસ્કરોએ પોતાની ચોરીનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું અને નીચે મુજબની ત્રણ દુકાનોના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો.










