
ચારેકોર સ્ત્ર્રોત છતાં ખારીવાડમાં પાણી માટે વલખાં

Mar 07, 2026 11:41 pm
બીલીમોરા નજીક કાર ચડાવી હત્યા કરી ફરાર થયો હતો, નવસારી LCBની ટીમે ગણતરીના કલાકોમાં ઝડપ્યો, હત્યામાં ઉપયોગમાં લેવાયેલી કાર પોલીસે જપ્ત કરી, પોલીસે આરોપી કૃપલ પટેલની ધરપકડ કરી
Mar 07, 2026 11:21 pm
આંબાવાડી વિસ્તારમાં દુકાનમાં ભીષણ આગ, રેડીમેઇડ કાપડની દુકાન આગમાં ખાખ, સમ્રાટ શોપિંગ સેન્ટરમાં ઘટી દુર્ઘટના,સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી બુઝાવી આગ, કાચ વાગતા વેપારી થયો ઇજાગ્રસ્ત
, ફાયર વિભાગની ટીમ પહોંચી ઘટનાસ્થળે, વેપારીઓની સતર્કતાથી ટળી જાનહાનિ
Mar 07, 2026 11:06 pm
મુલતાની નગરમાં શ્વાને 4 લોકોને કરડ્યા. ઘટનામાં 3 બાળકો અને એક મહિલા ઈજાગ્રસ્ત, ઘટનાના પગલે પરિવારજનોમાં દોડધામ, શ્વાનોના આતંક મુદ્દે નાગરિકોમાં તંત્ર સામે રોષ
Mar 07, 2026 11:05 pm
લિંક મોકલી વેપારી પાસેથી 20 હજાર પડાવ્યા, બેંકનું કાર્ડ ચાલુ કરવા માટે મોકલી હતી લિંક, અમદાવાદની વટવા પોલીસે તપાસ હાથ ધરી
Mar 07, 2026 10:54 pm
દાણીલીમડામાં પાડોશીએ છરી ના ઘા ઝીંક્યા, બાળકોના ઝઘડામાં ગાળો બોલતા મારી છરી, દાણીલીમડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
Mar 07, 2026 10:38 pm
આદિવાસી સમાજના અપમાન મુદ્દે મુખ્યમંત્રીનું નિવેદન, CM ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રપતિના નિવેદનનો કર્યો ઉલ્લેખ, સમુદાયના લોકો ભાગ ન લઇ શક્યા તે દુર્ભાગ્યુપૂર્ણ, આદિવાસી પરંપરાઓ આદર અને યોગ્ય સ્થાનને પાત્ર છે, રાષ્ટ્રપતિનું કાર્યાલય ગરિમા-એકતાનું પ્રતિનિધિત્વ કરે છે, હંમેશા ઉચ્ચતમ આદર સાથે વર્તવું જોઈએ, TMC સરકારની આવી વર્તણૂંક દુઃખદ, TMC આદિવાસી સમુદાય પ્રત્યે આવી અવગણના ન કરે
Mar 07, 2026 10:02 pm
લાશ હત્યા કરાયેલી હોવાનું સામે આવ્યું , ચીમનભાઈ હરિભાઈ નાયક નામના શખ્સની હત્યા , પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો , લાશને પી.એમ અર્થે સિહોર સરકારી દવાખાને ખસેડવામાં આવી
Mar 07, 2026 09:43 pm
કેમિકલયુક્ત પાણી છોડનાર કારખાનેદાર સામે ફરિયાદ, કોયબા ગામની સીમમાં કેમિકલયુક્ત પાણી છોડ્યું, ગાંધીનગર CID ક્રાઈમે 3 શખ્સો સામે ગુનો દાખલ કર્યો , કારખાનામાંથી દૂષિત પાણી છોડવા મામલે કાર્યવાહી , અલ્પેશ વશિયાની સામે ફરિયાદ દાખલ કરાઈ, સંજય પટેલ અને વિજય પટેલ સામે ફરિયાદ દાખલ
Mar 07, 2026 09:33 pm
અંજાર પોલીસે 7 બાઇક ચોરીનો ભેદ ઉકેલી દીધો, અંજાર અને ગાંધીધામ વિસ્તારમાંથી આરોપીએ બાઇક ચોરી કરી હતી, પોલીસે જયેશ રમેશ કોલીને ચોરાઉ બાઇક સાથે ઝડપી પાડ્યો
Mar 07, 2026 09:06 pm
આગમાં ગંભીર રીતે દાઝી જતા 4 લોકોના મોત, 4 દિવસની સારવાર બાદ આખરે 4 લોકોના મોત, નમકીન બનાવતી ફેકટરીમાં લાગી હતી રાત્રે આગ,માધુપૂરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
Mar 07, 2026 08:49 pm
પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો, પોલીસે વડાગામના 27 વર્ષીય કિરણભાઈ ગીરીશભાઈ વાઘેલાને ઝડપ્યો, પોલીસે આરોપીને ઝડપીને વધુ કાર્યવાહી હાથધરી
Mar 07, 2026 08:44 pm
પાંચ મિત્રોમાંથી બે બાળકો પાણીમાં તણાયા, 5 પૈકી એક બાળકનો મૃતદેહ મળી આવ્યો, બીજા ગુમ બાળકની શોધખોળ હજુ ચાલુ, ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો તૈનાત
Mar 07, 2026 08:41 pm
જીલ્લા ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખનું રાજીનામું, બક્ષીપંચ મોરચા પ્રમુખ કાંતિ ઘેડીયાએ આપ્યું રાજીનામું, અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાની ચર્ચા, તાજેતરમાં જ કાંતિ ઘેડીયાની કરાઇ હતી વરણી
Mar 07, 2026 07:59 pm
દસાડાના કચોલીયા ગામે દિવાલ ધરાશયી પૂર્વ MLA નૌશાદ સોલંકીની ભ્રષ્ટાચારને લઇ પ્રતિક્રિયા નબળા બાંધકામથી મહિલાનો જીવ ગયો હોવાનો દાવો તંત્રની બેદરકારી સામે પૂર્વ MLAએ આક્રોશ ઠાલવ્યો
Mar 07, 2026 07:58 pm
સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાએ કર્યા હનુમાનજીના દર્શન, નમો સ્ટેડિયમમાં હનુમાન ટેકરી મંદિરમાં કર્યા દર્શન, કોચ ગૌતમ ગંભીરે પણ હનુમાનજીના કર્યા દર્શન, દર્શન કર્યા બાદ ફેન્સને મળ્યા સૂર્યકુમાર યાદવ, મહિલા ક્રિકેટ પ્રેમીએ તૈયાર કરેલા પોસ્ટર પર કરી સહી, એક્ટિવા પર જતા યુવકે સૂર્યકુમાર-હાર્દિકને મંદિરે ઉતાર્યા, હાઈ વોલ્ટેજ મેચ પહેલા હનુમાનજીના લીધા આશીર્વાદ
Mar 07, 2026 07:57 pm
મેચ પહેલા ભારતીય કેપ્ટનની પ્રેસ કોન્ફરન્સ, ફાઈનલ મેચને લઇ ભારે ઉત્સાહઃ સૂર્યકુમાર, વરુણના ફોર્મને લઇ કોઇ ચિંતા નથી, વરુણ ચક્રવર્તી ટીમનો મહત્વનો ભાગ, ઓફ-સ્પિનર સામે રમવામાં કોઈ વાંધો નથી, ખેલાડીઓને મેદાનમાં પોતાની રીતે રમવાની છૂટ, ટીમ 'પ્રેશર સિચ્યુએશન' માટે સંપૂર્ણ તૈયાર, બેટસમેન, કેપ્ટન તરીકે બેટિંગમાં એકસ્ટ્રા જવાબદારી મારી, ટાર્ગેટ ચેઝ કરવા અને સ્કોર ડિફેન્ડ કરવા તૈયાર છીએ, ન્યૂઝીલેન્ડ મજબૂત છે પણ અમે પણ શ્રેષ્ઠ ફોર્મમાં છીએ
Mar 07, 2026 07:54 pm
ડિગ્રી વગર બોગસ ડૉક્ટર ક્લિનીક ચલાવતો હતો, પોલીસે બોગસ ડૉક્ટર મેહુલ પરમારને ઝડપી પાડ્યો, એલોપેથિક દવાઓ સહિત મેડિકલ સાધનો જપ્ત કરાયા
Mar 07, 2026 07:37 pm
રાધાકિશન સોસાયટી પાસે સંખ્યાબંધ વૃક્ષો કપાયા, અજાણ્યા વ્યક્તિએ ગેરકાયદે રીતે વૃક્ષો કાપ્યા, નગરપાલિકા દ્વારા વન વિભાગને જાણ કરાઈ, વૃક્ષ છેદન ધારા હેઠળ કડક કાર્યવાહી કરાશે
Mar 07, 2026 07:28 pm
આરોપી ચીમન સોલંકીને 15 વર્ષની સજા, 2 લાખનો દંડ, આરોપી ચીમન સોલંકીને કોર્ટે દોષિત જાહેર કર્યો, 15થી વધુ પુરાવા, સાક્ષીની જુબાની આધારે કોર્ટનો ચુકાદો, સમાજમાં દાખલો બેસાડવા દોષીતોને બક્ષી ન શકાય, 2021માં 3 એપ્રિલે નારોલ પાસેથી કરાઇ હતી ધરપકડ
Mar 07, 2026 07:27 pm
પગાર વધારો કરવા હાઇકોર્ટનો આદેશ, રાજ્ય સરકારને HCએ કર્યો આદેશ, સરકારના વલણ મુદે હાઇકોર્ટની ટકોર, હોમગાર્ડ સાથે અન્યાય કહેવાય, સરકારને એક મહિનામાં પગારનો સુધારો કરે, હોમગાર્ડ દ્વારા પગાર મુદે કરી હતી અરજી, નિયમિત નોકરી, પગાર અને નિવૃત્તિ લાભોની રજૂઆત
Mar 07, 2026 07:04 pm
અધૂરા કામના વિરોધ પહેલા કોર્પોરેટરો ડિટેન, વિરોધ કરે તે પહેલાં જ વિપક્ષી નેતાઓને કર્યા ડિટેન, તકતીમાં નામ હોવા છતા નગરસેવકોને ડિટેન કર્યા
Mar 07, 2026 06:01 pm
ફાઇનલ મેચને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે, JPC,DCP,ACP, PI, PSI બંદોબસ્તમાં તૈનાત રહેશે, 2200થી વધુ પોલીસકર્મીઓ સુરક્ષા માટે ફરજ પર રહેશે, 6 BDDS ટીમો દ્વારા બોમ્બ સ્ક્વોડ ચેકિંગ, સુરક્ષા દેખરેખ, ટ્રાફિક વ્યવસ્થા માટે 1500 જેટલા ટ્રાફિક પોલીસ તૈનાત, અંદાજે 4500 પોલીસકર્મીઓનો વિશાળ બંદોબસ્ત
Mar 07, 2026 05:24 pm
અમદાવાદ કોર્પોરેશનમાં અગ્ર સચિવ મુકેશ કુમારની નિમણૂક, વડોદરામાં શાલિની અગ્રવાલને ચાર્જ સોંપાયો, સુરતમાં શિક્ષણ સચિવ મિલિંદ તોરવણેની નિમણૂક, ભાવનગરમાં હર્ષદ પટેલની નિમણૂક
Mar 07, 2026 04:47 pm
ફાઇનલ પહેલા ન્યૂઝીલેન્ડ કેપ્ટનનું નિવેદન, ભારતીય ટીમ દબાણ સાથે મેદાનમાં ઉતરશે, મેચ હાઈ સ્કોરિંગ થવાની પણ કરી ભવિષ્યવાણી , બુમરાહ બેસ્ટ બોલર છે અને ગેમ ચેન્જ કરી શકે છે, ન્યૂઝીલેન્ડની ટીમ કપ અને દિલ બંને જીતશે, મેચમાં 220થી વધુ રન પડકારજનક સાબિત થશે, હોમ ગ્રાઉન્ડ હોવાથી ક્રાઉડ પ્રેશર ભારત પર રહેશે
Mar 07, 2026 04:16 pm
ડેરીમાં સપ્લાય થતા ગેસના જથ્થામાં કાપ, સરકારે ગેસ સપ્લાય પર 40 ટકા કાપ મુક્યો, નિશ્વિત ભાવ પર 60 ટકા ગેસ સપ્લાય થશે , 40 ટકા ગેસ સપ્લાય માટે નવા ભાવ ચૂકવવા પડશે , ડેરી ઉદ્યોગનું પ્રોડક્શન સંપૂર્ણ ગેસ આધારિત, ગેસ સપ્લાયના કાપની સીધી અસર પ્રોડક્શનમાં વર્તાશે, ગેસ કાપ બાબતે સરકારે મૌખિક સૂચના આપી
Mar 07, 2026 04:00 pm
આરોપી શિક્ષક આશિષ પટેલની ધરપકડ, 56 દિવસ બાદ માસ્ટર માઇન્ડ શિક્ષક જેલ હવાલે, સરકારી જમીન બારોબાર વેચી દેવાનું કૌભાંડ, 8 પૈકી 5 આરોપીઓ અત્યાર સુધી ઝડપાયા, મહેમદાવાદમાં જમીન વેચી કૌભાંડ આચર્યુ હતુ, સિંચાઇ વિભાગની જમીન વેચી કૌભાંડ કર્યુ હતુ
Mar 07, 2026 03:52 pm
ભાજપ પ્રવક્તા અનિલ પટેલના કોંગ્રેસ પર પ્રહાર, યુદ્ધની સ્થિતિ વચ્ચે NDA સરકારે જનતાનું ધ્યાન રાખ્યું, વિપરીત સંજોગોમાં સરકાર ભાવને નિયંત્રણમાં રાખી રહી છે, ક્ષણિક લાભ લેવા માટે કોંગ્રેસની નકારાત્મક રાજનીતિ, અચ્છે દિનની વાત કરીને રાજકારણ કરે એ અશોભનીય, આવા નિવેદનોથી જ આવનારા સમયમાં કોંગ્રેસ ક્યાંય નહીં હોય
Mar 07, 2026 03:39 pm
ખેરવાડી પાસે રિક્ષા ડ્રાઇવર કુંડમાં ડૂબ્યો હતો, પાણીમાં ડૂબી જવાથી રિક્ષા ડ્રાઇવર અનિલ પટેલનું મોત, કુંડમાં હાથ પગ ધોવા જતા ડૂબ્યો હતો રિક્ષા ડ્રાઇવર, વાઘોડિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
Mar 07, 2026 03:35 pm
આરોપી શિક્ષક આશિષ પટેલની ધરપકડ, 56 દિવસ બાદ માસ્ટર માઇન્ડ શિક્ષક જેલ હવાલે, સરકારી જમીન બારોબાર વેચી દેવાનું કૌભાંડ, 8 પૈકી 5 આરોપીઓ અત્યાર સુધી ઝડપાયા, મહેમદાવાદમાં જમીન વેચી કૌભાંડ આચર્યુ હતુ, સિંચાઇ વિભાગની જમીન વેચી કૌભાંડ કર્યુ હતુ.
Mar 07, 2026 03:28 pm
ભાજપ પ્રવક્તા અનિલ પટેલના કોંગ્રેસ પર પ્રહાર
યુદ્ધની સ્થિતિ વચ્ચે NDA સરકારે જનતાનું ધ્યાન રાખ્યું
‘વિપરીત સંજોગોમાં સરકાર ભાવને નિયંત્રણમાં રાખી રહી છે’
‘ક્ષણિક લાભ લેવા માટે કોંગ્રેસની નકારાત્મક રાજનીતિ’
‘અચ્છે દિનની વાત કરીને રાજકારણ કરે એ અશોભનીય’
‘આવા નિવેદનોથી જ આવનારા સમયમાં કોંગ્રેસ ક્યાંય નહીં હોય’
Mar 07, 2026 03:01 pm
અમદાવાદમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઇનલ રમવાની છે ત્યારે માત્ર ક્રિકેટ પ્રેમીઓમાં જ નહીં પરંતુ શહેરના હોટલ અને હોસ્પિટાલિટી સેક્ટરમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેચ પહેલા જ શહેરની તમામ હોટલો લગભગ હાઉસફુલ થઈ ગઈ છે અને રૂમના ભાવોમાં 300થી 400 ટકા સુધીનો તોફાની વધારો નોંધાયો છે. ટી-૨૦ ફાઈનલ મેચ માટે અન્ય રાજ્ય અને દેશમાંથી 40 હજાર લોકો અમદાવાદ આવે તેવી શક્યતા છે. સામાન્ય દિવસોમાં સામાન્ય રકમમાં મળતા હોટલ રૂમના ભાડાંમાં ૪૦૦ ટકાનો વધારો ઝીંકાયો છે. ઘણી હોટલોમાં તો રૂમ મળવો મુશ્કેલ બની ગયો છે. હાલની સ્થિતિ એવી છે કે અમદાવાદની ઘણી જાણીતી હોટલોમાં ૭૦ થી ૮૦ ટકા સુધીનું બુકિંગ પહેલેથી જ થઈ ગયું છે.
Mar 07, 2026 02:48 pm
06 - Iranમાં મહિલાઓની સ્થિતિ ભયાનક, અભિનેત્રી એલનાઝ નોરોઝીનો ચોંકાવનારો ખુલાસો
07 - Jan Aushadhi Diwas 2026: સસ્તી દવા અને શ્રેષ્ઠ સારવાર..જન ઔષધિ દિવસ પર PM Modiએ પાઠવી શુભકામના
10 - Crude Oil Reserves: ગભરાશો નહી, નહી ખૂટી પડે પેટ્રોલ ડીઝલ, સરકારે કરી આ સ્પષ્ટતા
Mar 07, 2026 02:39 pm
એર કાર્ગો મારફ્તે મોકલાઇ હતી નશાકારક દવાઓ, થાઇલેન્ડ, મલેશિયા જેવા દેશમાં મોકલાતી દવાઓ, દવાના જથ્થા પર ખોટી માહિતી દર્શાવવામાં આવતી, તપાસ એજન્સીઓને ગેરમાર્ગે દોરી દવાઓ મોકલાતી.
Mar 07, 2026 02:32 pm
છેતરપિંડી કરનાર એજન્ટ સંજય રાઠોડ ઝડપાયો, એકના ડબલ કરવાની લાલચ આપી ઠગાઈ કરતો, રૂ. 15.40 લાખની, છેતરપિંડી કરી થયો હતો ફરાર, પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપ્યો.
Mar 07, 2026 02:25 pm
સુરત-દુબઈ વચ્ચેની ફ્લાઈટ 10 માર્ચ સુધી સ્થગિત
સુરત-શારજાહ ફ્લાઇટ શરુ થવા અંગે અનિશ્ચિતતા
11 માર્ચથી ફ્લાઇટ શરુ થશે કે કેમ તે અંગે પ્રશ્નાર્થ
Mar 07, 2026 02:22 pm
તાલુકા કક્ષાના પ્રશ્નો, ફરિયાદો માટે તા.૧૦ સુધીમાં swagat.gujarat.gov.in વેબસાઈટ પર સાંજના ૧૮.૦૦ કલાક સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહે છે. અરજદારે ઓનલાઈન અરજી કરી હોય તે તમામ આધારોની પીડીએફ ઓનલાઈન અરજીમાં અપલોડ કરવાની હોય છે. અલગ-અલગ વિષય દર્શાવતાં પ્રશ્નો માટે અલગ-અલગ અરજી કરવામાં આવે છે. એક અરજદાર વધુમાં વધુ બે પ્રશ્નો જ રજૂ કરી શકે છે. જે રજુઆતો નીચલી કક્ષાએ વારંવાર થઈ હોય અને તેનું નિરાકરણ થઈ આવતું ન હોય તેવી અરજીઓ આ કાર્યક્રમમાં સમાવેશ કરવાની થતી હોવાથી જે તે સબંધિત કચેરી તરફથી યોગ્ય પ્રત્યુત્તર મળેલ ન હોય તો તેના આધારો સાથે ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં ઓનલાઈન અરજી કરી તે તમામ આધારોની પી.ડી.એફ. ઓનલાઈન અરજીમાં અપલોડ કરવાની રહેશે.
Mar 07, 2026 02:21 pm
સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ્ય તેમજ તમામ તાલુકાઓનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ 24 માર્ચના રોજ યોજાશે, તાલુકા કક્ષાના પ્રશ્નો માટે ઓનલાઇન તેમજ ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો માટે તાલુકા વિકાસ અધિકારીને 10 માર્ચ સુધી અરજી કરી શકાશે. સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ ગ્રામ્ય વિસ્તાર તેમજ તમામ તાલુકા અને એક શહેરી વિસ્તારને સ્પર્શતા પ્રશ્નોના નિવારણ હેતુ “ફરિયાદ નિવારણ” કાર્યક્રમ અન્વયે ચાલુ માસમાં તા.૨૪.૦૩.૨૦૨૬ ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે સંબંધિત તાલુકાની મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે.
Mar 07, 2026 02:16 pm
અમરેલીના બગસરામાં જુની અદાવતમાં બન્ને પક્ષો વચ્ચે બોલાચાલી બાદ અથડામણ થઈ હતી અને સમગ્ર ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, એક બીજા સાથે હાથાપાઈ કર્યા હોવાની વાત સામે આવી છે, તો અથડામણમાં બન્ને પક્ષે 8 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને પોલીસે આસાપસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે.
Mar 07, 2026 02:16 pm
અમરેલીના બગસરામાં 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાની વાત સામે આવી છે અને જુની અદાવતમાં અથડામણ થઈ છે, બગસરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. અમરેલીના બગસરામાં જુની અદાવતમાં મારામારી થતા 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે, જુની અદાવતમાં આ બબાલ થઈ હોવાની વાત સામે આવી છે, બગસરા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે. પોલીસે બન્ને પક્ષે ફરિયાદ નોંધી છે અને તપાસ શરૂ કરી છે.
Mar 07, 2026 02:04 pm
ટ્રેન નં. 01154 અમદાવાદ–છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્પેશિયલ સોમવાર, 09 માર્ચ 2026ના રોજ 04:00 વાગ્યે અમદાવાદથી પ્રસ્થાન કરી એ જ દિવસે 12:55 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પહોંચશે. તે જ રીતે ટ્રેન નં. 01153 છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ–અમદાવાદ સ્પેશિયલ શનિવાર, 07 માર્ચ 2026ના રોજ 22:05 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી પ્રસ્થાન કરી બીજા દિવસે 06:40 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં વડોદરા, સુરત, વસઈ રોડ, ઠાણે અને દાદર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 3-ટિયર (ઇકોનોમી) કોચ હશે.
Mar 07, 2026 02:04 pm
ટ્રેન નં. 09044 અમદાવાદ–બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ સોમવાર, 09 માર્ચ 2026ના રોજ 03:50 વાગ્યે અમદાવાદથી પ્રસ્થાન કરી એ જ દિવસે 12:15 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તે જ રીતે ટ્રેન નં. 09043 બાંદ્રા ટર્મિનસ–અમદાવાદ સ્પેશિયલ સોમવાર, 09 માર્ચ 2026ના રોજ 14:30 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી પ્રસ્થાન કરી એ જ દિવસે 22:55 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં વડોદરા, ભરૂચ, સુરત, વાપી, અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 3-ટિયર ના કોચ હશે.
Mar 07, 2026 02:03 pm
ટ્રેન નં. 09029 બાંદ્રા ટર્મિનસ–અમદાવાદ સ્પેશિયલ રવિવાર, 08 માર્ચ 2026ના રોજ 00:05 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી પ્રસ્થાન કરી એ જ દિવસે 08:40 વાગ્યે અમદાવાદ પહોંચશે. તે જ રીતે ટ્રેન નં. 09030 અમદાવાદ–બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ સોમવાર, 09 માર્ચ 2026ના રોજ 03:20 વાગ્યે અમદાવાદથી પ્રસ્થાન કરી એ જ દિવસે 11:35 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, ભરૂચ અને વડોદરા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટિયર અને એસી 3-ટિયર ના કોચ હશે.
Mar 07, 2026 02:03 pm
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા તથા મુસાફરીની માંગને ધ્યાનમાં રાખીને બાંદ્રા ટર્મિનસ–અમદાવાદ, અમદાવાદ–છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ તથા અમદાવાદ–પુણે વચ્ચે વિશેષ ભાડે ચાર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે. ટ્રેન નં. 09029, 09030, 09043, 09044, 01154 અને 01418 માટેની બુકિંગ 07.03.2026થી તમામ પીઆરએસ કાઉન્ટરો તથા આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે . ટ્રેનોના ઠેરાવો, સમય અને કોચ રચનાની વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.
Mar 07, 2026 01:51 pm
રાજકોટ કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ રાજકીય ક્ષેત્રમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાત કરી છે. વર્ષ 2012ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેઓ રાજકોટ-પૂર્વ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2018માં તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને બાદમાં 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને ફરીથી કોંગ્રેસમાં પરત ફર્યા હતા. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે પોતાની બેઠક છોડીને તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે રાજકોટ-પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડી હતી જેમાં તેમની હાર થઈ હતી.
Mar 07, 2026 01:50 pm
ગુજરાતના સૌરાષ્ટ્રની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલે રાજનીતિમાંથી સન્યાસ લીધો છે, તેમણે કહ્યું કે, હું કોંગ્રેસ સાથે જોડાયેલો છું અને હાલમાં કોઈ અન્ય પક્ષ સાથે જોડાઈશ નહી, ત્યારે કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી રહી છે તેજ સમયે કોંગ્રેસને ફટકો પડયો છે, ઈન્દ્રનીલને પીઢ નેતા તરીકે ગણવામાં આવે છે. તાજેતરમાં જ કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અલગ અલગ સાત કમિટીઓની રચના કરી હતી.
Mar 07, 2026 01:42 pm
સૌરાષ્ટ્રની રાજનિતીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુની રાજકારણમાં નિવૃત્તિ લીધી હોવાની વાત સૂત્રો તરફથી સામે આવી છે. સક્રિય રાજકારણમાંથી ઇન્દ્રનીલે નિવૃત્તિ જાહેર કરી છે તેવી વાત સૂત્રો તરફથી સામે આવી છે અને ઈન્દ્રનીલ રાજગુરૂએ આ મામલે મોવડી મંડળને પણ જાણ કરી છે, રાજકીય કારર્કિદીમાં સ્વૈચ્છિક નિવૃતિ જાહેર કરતા ઇન્દ્રનીલ રાજયગુરૂ. ઈન્દ્રનીલ રાજયગુરૂ ઘણા વર્ષોથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા હતા.
Mar 07, 2026 01:26 pm
ઈરાન સરેંડર નહી કરેઃ ઈરાન રાષ્ટ્રપતિ
અમેરિકાનું સ્વપ્ન કબ્રમાં જશેઃ રાષ્ટ્રપતિ
પાડોશી દેશો પર હુમલા નહી કરીએઃ રાષ્ટ્રપતિ
બીજા દેશો પર હુમલાનો કોઇ ઇરાદો નથીઃ રાષ્ટ્રપતિ
Mar 07, 2026 01:11 pm
કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુની રાજકારણમાં નિવૃત્તિઃ સૂત્ર
સક્રિય રાજકારણમાંથી ઇન્દ્રનીલે નિવૃત્તિ જાહેર કરીઃ સૂત્ર
મોવડી મંડળને પણ જાણ કરી હોવાની વાત
રાજકીય કારર્કિદીમાં સ્વૈચ્છિક નિવૃતિ જાહેર કરતા ઇન્દ્રનીલ
Mar 07, 2026 01:00 pm
ગુજરાત કોંગ્રેસ પ્રભારની અધ્યક્ષતામાં બેઠક શરુ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ બેઠકમાં ચર્ચા, મુકુલ વાસનિક ચેરમેન,વાઇસ ચેરમેનને માર્ગદર્શન આપશે, અલગ-અલગ મુદ્દાઓ પર નેતાઓને આપશે માર્ગદર્શન, 15 માર્ચ આસપાસ ઉમેદવારોના નામની પેનલ તૈયાર કરશે.
Mar 07, 2026 12:48 pm
મોરબીનાઆદરણામાં પ્રા.શાળાનો શિક્ષકે દારૂ પીધેલો, દારૂના નશામાં વિદ્યાર્થીઓને ભણાવતા પકડાયો હતો, સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ રાજુ પરમાર ફરજ મુક્ત, ગતકાલે નશાની હાલતમાં શાળામાં ભણાવતા પકડાયા, શિક્ષક વારંવાર નશો કરતો હોવાનું વિદ્યાર્થીઓનું નિવેદન, કેટલાક વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યાનો આક્ષેપ, શિક્ષક પાસેથી દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ કબજે, મહિલા સરપંચના પતિએ શિક્ષક સામે નોંધાવી ફરિયાદ.
Mar 07, 2026 12:47 pm
શિક્ષકો હવે પાનના ગલ્લાઓ પર તપાસશે, તંબાકુ વેચતા વેપારીઓને પકડી દંડ ફટકારશે, શાળાની આસપાસ વેપારીઓને શોધશે શિક્ષકો, જિ. પં. શિક્ષણ વિભાગના પરિપત્રથી રોષ, ભણાવવાનું છોડી દંડ ઉઘરાવવાના આદેશથી રોષ.
Mar 07, 2026 12:32 pm
આ વર્ષે 8મી માર્ચ, ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ના રોજ ગુજરાતની મહિલાઓની સુરક્ષાની કરોડરજ્જુ સમાન ‘૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન’પોતાની સફળ સેવાના ૧૨ વર્ષ પૂર્ણ કરી રહી છે. ગુજરાત એટલે શાંતિ, સલામતી અને સમૃદ્ધિનું પર્યાય. રાજ્યમાં વસતી પ્રત્યેક મહિલા પોતે સુરક્ષિત અનુભવે અને મુશ્કેલીના સમયે તેને કોઈ મજબૂત સાથ મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર સતત કાર્યશીલ છે.
Mar 07, 2026 12:23 pm
જ્યારે ગત વર્ષની સરખામણીએ તા. ૫ માર્ચ, ૨૦૨૫ સ્થિતિએ રાજ્યમાં વિસ્તારવાર ઉત્તર ગુજરાતમાં ૨૭,૮૪૭ MCFT, મધ્ય ગુજરાતમાં ૫૭,૮૮૨ MCFT, દક્ષિણ ગુજરાતમાં ૨,૨૪,૧૮૨ MCFT, સૌરાષ્ટ્રમાં ૫૨,૨૬૪ MCFT અને કચ્છ વિસ્તારમાં ૫,૩૩૨ MCFT પાણીનો જથ્થો સંગ્રહાયેલો હતો. આ ઉપરાંત સરદાર સરોવર જળાશયમાં ૨,૪૧,૯૫૨ MCFT એટેલ કે ૭૨.૪૨ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો. આમ રાજ્યમાં ગત વર્ષે કુલ ૬,૦૯,૪૫૯ MCFT એટલે કે ૬૮.૩૪ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો તેમ યાદીમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં ૧૪૧ જળાશયો, ઉત્તર ગુજરાતમાં ૧૫, મધ્ય ગુજરાતમાં ૧૭, દક્ષિણ ગુજરાતમાં ૧૩, કચ્છમાં ૨૦ તેમજ સરદાર સરોવર સહિત ગુજરાતમાં કુલ ૨૦૭ જળાશયો-ડેમ આવેલા છે.
Mar 07, 2026 12:23 pm
વધુમાં ગુજરાત જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલની સ્થિતિએ ૭૪ ટકાથી વધુ એટલે કે ૨.૪૭ લાખ MCFT પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. રાજ્યમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં ૨.૩૪ લાખથી વધુ MCFT પાણીનો જથ્થો જળાશયોમાં સચવાયો છે. આ સિવાય મધ્ય ગુજરાતમાં ૬૫,૧૭૯ MCFT, ઉત્તર ગુજરાતમાં ૪૧,૮૪૨ MCFT પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે. સૌરાષ્ટ્રમાં ૫૩,૬૨૧ અને કચ્છ વિસ્તારમાં ૪,૩૯૨ MCFT પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે. આમ રાજ્યમાં કુલ ૬,૪૬,૫૫૬ MCFT એટલે કે ૭૨.૪૯ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે.
Mar 07, 2026 12:22 pm
જેના પરિણામ સ્વરૂપે તા. ૦૫ માર્ચ ૨૦૨૬ની સ્થિતિએ રાજ્યના મુખ્ય જળાશયોમાં સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો ૬.૪૬ લાખ મિલિયન ક્યુબિક ફીટ-MCFT એટલે કે, કુલ પાણીનો જથ્થો ૭૨ ટકાથી વધુ છે. આમ ગત વર્ષની સાપેક્ષમાં વિસ્તારવાર એકંદરે રાજ્યમાં ૪.૧૫ ટકા જેટલો વધારે જ્યારે સરદાર સરોવર જળાશયમાં પણ ગત વર્ષની સાપેક્ષમાં ૧.૬૩ ટકા વધારે પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે. જેથી રાજ્યમાં આગામી ઉનાળામાં પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહેશે તેમ,જળ સંપત્તિ વિભાગ દ્વારા જણાવાયું છે.
Mar 07, 2026 12:21 pm
ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં સાવાર્ત્રિક અને ભારે વરસાદના પરિણામે રાજ્યના મુખ્ય જળાશયો એટલે કે ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને જળ સંપત્તિ-પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલના નેતૃત્વમાં પાણી સંચય અંગેના સુચારૂ વ્યવસ્થાપન થકી રાજ્યમાં દિન-પ્રતિદિન પીવાના અને સિંચાઈ માટેના પાણીની ઉપલબ્ધતા વધી રહી છે.
Mar 07, 2026 12:03 pm
તો પરિજનોએ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી, અને રાત્રિના સમયે શોધખોળ ફાયર વિભાગે કરી હતી, તો આ ઘટનામાં પોલીસને કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી, બન્નેના મૃતદેહને પીએમ માટે ખસેડાયા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, આ અંગે સૂત્રોએ જણાવ્યું કે, બંને યુવતીઓ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તાજેતરમાં થયેલી ભરતીમાં નોકરીએ લાગી હતી. જેમાં એક યુવતી વ્યવસાયવેરા અને બીજી યુવતી મહેકમમાં નોકરી કરતી હતી.
Mar 07, 2026 12:03 pm
ગાંધીનગર કોર્પોરેશનમાં ફરજ બજાવતી 2 યુવતીઓએ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે અને કેનાલમાં કૂદીને સામૂહિક આપઘાત કર્યો છે, તો ફાયરની ટીમે કલાકોના સર્ચ બાદ મૃતદેહને બહાર કાઢયા હતા, મૃતક યુવતીઓની ઓળખ સેજલ જશવંતભાઈ પટેલ(ઉં. વ. 26, રહે. નરોડા, અમદાવાદ) અને રિપલ રાકેશભાઈ રાવત (ઉં. વ. 24, રહે. થલતેજ, અમદાવાદ) તરીકે થઈ છે. આપઘાત કરતા પહેલા બન્ને યુવતીઓએ પરિજનોને ફોન કરીને જાણ કરી હતી કે તેઓ આપઘાત કરવા માટે જઈ રહી છે.
Mar 07, 2026 12:02 pm
ગાંધીનગરમાં નર્મદા કેનાલમાં 2 યુવતીએ કૂદીને આપઘાત કર્યો છે, અને મૃતક યુવતીઓ ગાંધીનગર કોર્પોરેશનમાં ફરજ બજાવતી હોવાની વાત સામે આવી છે. ગાંધીનગરની સુઘડ કેનાલ પાસેથી મોડી રાત્રે યુવતીઓના મૃતદેહ બહાર કાઢયા છે અને યુવતીઓ ગાંધીનગર કોર્પોરેશનમાં ફરજ બજાવતી હતી, 2 યુવતીના મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યા છે અને બન્ને યુવતીઓના આપઘાતનું કારણ અકબંધ છે, સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથધરી છે.
Mar 07, 2026 11:43 am
ગીર સોમનાથના કોડીનારના ઘાટવડ ગામે દુર્ઘટના સર્જાઈ છે અને યુવાનો ગામથી વાડીએ જતા હતા તે દરમિયાન બની ઘટના, બાઈક પર પસાર થતા ત્રણ યુવકો પર 11KVનો વીજ વાયર પડ્યો જેમાં ઘટનામાં બે યુવકોના ઘટના સ્થળે જ મોત થયા છે અને એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે, મૃતકોમાં રવિભાઈ ગોવિંદ ભાઈ ચુડાસમા અને લાલાભાઈ દાનસિંગ ઝાલાનું મોત થયું છે. મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.
Mar 07, 2026 11:42 am
કોડીનારના ઘાટવડ ગામે PGVCLની ગંભરી બેદરકારી સામે આવી છે, વાડી વિસ્તારમાંથી બે યુવકો બાઈક લઈને જઈ રહ્યાં હતા તે દરમિયાન જીવતો વીજ વાયર યુવકો પર પડે છે અને બન્ને યુવકો બાઈક પરથી નીચે પડે છે અને મોત થયા છે, તો ઘટનાની જાણ થતા પીજીવીસીએલના અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યાં હતા અને તે વિસ્તારમાંથી પસાર થતી વીજ લાઈન તાત્કાલિક બંધ કરી હતી અને પોલીસને જાણ કરી હતી, મૃતક યુવાનો ગામના હોવાની વાત સામે આવી છે.
Mar 07, 2026 11:42 am
ગીર સોમનાથના કોડીનારમાં વીજ વાયર પડતા 2 યુવકના મોત થયા છે અને બાઈક લઈ જઈ રહ્યાં હતા તે દરમિયાન આ ઘટના બની છે, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગીર સોમનાથના કોડીનારમાં વીજ વાયર પડતા 2 લોકોના ઘટના સ્થળે મોત થયા છે, ગ્રામજનોએ pgvcl પર ગંભીર આરોપ લગાવ્યા છે અને આક્ષેપ કર્યો છે કે, pgvclની ગંભીર બેદરકારીના કારણે આ મોત થયા છે, આ સમગ્ર ઘટનામાં ગામમાં શોકનો માહોલ છે.
Mar 07, 2026 11:33 am
05 - Surat News : સુરતના પાંડેસરામાં ડાઈંગ મિલમાં કેમિકલની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 શ્રમિકના મોત
06 - Petrol Diesel Price Today: કાચા તેલમાં ઉછાળો, જાણો 7 માર્ચે કેટલો વધ્યો પેટ્રોલ ડીઝલનો ભાવ
07 - IND vs NZ T20I Head to Head : 30 મેચોનો પૂરો હિસાબ...જાણો કોનું પલ્લું છે ભારે?
08 - Crude Oil Price Hike: તો શું 100ની પાર થઇ જશે પેટ્રોલ ? કાચા તેલની કિંમતમાં જબરદસ્ત ઉછાળો
09 - PM Mudra Yojanaના નામે નકલી મેસેજ અને અપ્રૂવલ લેટરથી ફસાયા અનેક લોકો
10 - Iran Earthquake: યુદ્ધની વચ્ચે ઇરાનમાં ભૂકંપના જોરદાર ઝટકા, રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા
Mar 07, 2026 11:25 am
સરકારના નિર્ણય પર ભાજપ પ્રવક્તાની પ્રતિક્રિયા, સારી સારવાર મળે તે હેતુ સરકારનોઃ અનિલ પટેલ, 150 જેટલી નવી દવાઓનો ઉમેરો કરાયોઃ અનિલ પટેલ, ‘1479 દવાઓનો એસેન્શિયલ ડ્રગ્સમાં સમાવેશ કરાયો’, ‘કેન્સર, હૃદયરોગની દવાઓ નિઃશુલ્ક આપવામાં આવશે’.
Mar 07, 2026 11:25 am
ઓવરસ્પીડ તેમજ દસ્તાવેજ રજૂ ન કરતા કાર્યવાહી, 12 બાઇક, રિક્ષા સહિતના વાહનો ડિટેઇન કરાયા, પોલીસે વાહનો ડિટેઇન કરી કાર્યવાહી હાથ ધરી.
Mar 07, 2026 10:48 am
ઇ-સાક્ષ્ય' એપ્લિકેશન દ્વારા સાક્ષીઓના નિવેદનો અને પંચનામાનું વિડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું, જેથી ન્યાયિક પ્રક્રિયામાં પુરાવા નબળા ન પડે. આ ઉપરાંત, ક્રાઈમ સીન મેનેજર અને FSL ની મદદથી મેળવેલા વૈજ્ઞાનિક અને મેડિકલ પુરાવાઓએ આરોપીઓને સજા અપાવવામાં પાયાની ભૂમિકા ભજવી છે. આણંદ પોલીસની આ સંવેદનશીલ અને ત્વરિત કામગીરીની નોંધ લેતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. ચૌધરી અને તેમની સમગ્ર ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું છે કે, ગુજરાત પોલીસની આ સજ્જતા અને સંવેદનશીલતા રાજ્યની દીકરીઓ અને તેમના પરિવારજનોમાં સુરક્ષાનો વિશ્વાસ વધુ મજબૂત કરે છે. રાજ્ય સરકારની સ્પષ્ટ નીતિ છે કે મહિલાઓ અને સગીરાઓ વિરુદ્ધના ગુનાઓમાં કોઈ પણ પ્રકારની શિથિલતા ચલાવી લેવામાં આવશે નહીં અને ગુનેગારોને કાયદાના કડક પાઠ ભણાવવામાં આવશે.
Mar 07, 2026 10:48 am
આ સચોટ તપાસના પરિણામે તમામ ૭ કેસોમાં ૧૦૦% સજાનો દર હાંસલ થયો છે અને આણંદ જિલ્લા પોલીસની ટીમે આ ગંભીર ગુનાઓમાં દાખલારૂપ કામગીરી કરી નરાધમોને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. નોંધનીય બાબત છે કે, તમામ ૭ કેસોમાં ગુનો નોંધાયાના મહત્તમ ૪૫ દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ ૭ પૈકી ૬ કેસોમાં આરોપીઓને ૨૦ વર્ષની કેદ (આજીવન કેદ) અને દંડની સજા ફટકારવામાં આવી છે. ઝડપી તપાસને કારણે માત્ર ૮ થી ૯ મહિનાના ટૂંકા ગાળામાં કોર્ટના ચુકાદાઓ આવ્યા છે. ગઈકાલે જ બે મહત્વના કેસોમાં કોર્ટે કડક વલણ દાખવી આજીવન કેદની સજા ફટકારી છે.
Mar 07, 2026 10:47 am
મહત્વપૂર્ણ બાબત એ છે કે આ બંને કેસની તપાસ કરીને આરોપીઓને આજીવન કેદની સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરનાર તપાસ અધિકારીએ પોક્સોના સાત કેસમાં ૧૦૦ ટકા સજાનો દર મેળવ્યો છે જે પૈકી છ આરોપીઓને આજીવન કેદની સજા થઈ છે. આણંદ જિલ્લા પોલીસ વડા જી.જી.જસાણીના સીધા માર્ગદર્શન હેઠળ, તત્કાલીન સી.પી.આઈ. (પેટલાદ ડિવિઝન) અને હાલ બોરસદ પોલીસ સ્ટેશનમાં કાર્યરત પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. ચૌધરી તથા તેમની ટીમ દ્વારા માર્ચ ૨૦૨૪ થી ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન નોંધાયેલા પોક્સોના ગુનાઓમાં 'ટોપ ટુ બોટમ' ઇન્વેસ્ટિગેશન પદ્ધતિ અપનાવવામાં આવી હતી.
Mar 07, 2026 10:47 am
ગુજરાત સરકાર મહિલા સુરક્ષા અને સગીરા પર દુષ્કર્મના ગુનેગારો સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ સાથે મક્કમતાથી કામગીરી કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દીકરીઓની સુરક્ષા માટે કટિબદ્ધ છે, ત્યારે આણંદ જિલ્લામાં ગઈ કાલે પોક્સોના ગુનામાં વધુ બે ચુકાદા આવ્યા છે જે બંને કેસમાં આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
Mar 07, 2026 10:42 am
પોક્સોના ગુનાઓમાં આણંદ પોલીસની દાખલારૂપ કામગીરી સામે આવી છે જેમાં વધુ બે કેસના ગુનેગારોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ગુજરાતમાં સગીરા પર દુષ્કર્મના 7 કેસોમાં ૧૦૦ ટકા સજાનો દર, 6 કેસોમાં ગુનેગારોને આજીવન કેદની ઐતિહાસિક સજા અપાઈ છે, તમામ ૭ કેસોમાં ગુનો નોંધાયાના મહત્તમ ૪૫ દિવસમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી, મહત્તમ કેસમાં માત્ર ૮ થી ૯ મહિનાના ટૂંકા ગાળામાં ચુકાદાઓ આવ્યા છે.
Mar 07, 2026 10:16 am
સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા સણીયા કણદે રોડ પરના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસે મૃતદેહ પરિજનોને સોંપ્યા છે અને મૃતદેહનું પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, તો પોલીસ અધિકારીનું કહેવું છે કે, મંદિરના તમામ CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા છે. લગભગ સવા સાત વાગ્યાના અરસામાં બંને યુવતીઓ મંદિરમાં પ્રવેશ કરે છે અને 7:30 વાગ્યે તેઓ બાથરૂમ તરફ જાય છે.
Mar 07, 2026 10:16 am
સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા સણીયા કણદે રોડ પરના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી આ મૃતદેહ મળી આવ્યા છે. બન્ને મૃતક વિધાર્થીનીઓ ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી હતી, 18 વર્ષીય રોશની શરદ શિરસાઠ અને 20 વર્ષીય જોસના અતુલ ચૌધરી સવારે કોલેજ જવા નીકળ્યા બાદ ગુમ થઈ હતી અને પરત ન ફરતા પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા અને આજે મૃતદેહ મળી આવ્યો હતો.
Mar 07, 2026 10:15 am
સુરતમાં મંદિરના બાથરૂમમાંથી 2 વિદ્યાર્થિનીના મૃતદેહ મળ્યા છે અને આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી આ વિદ્યાર્થિનીના મૃતદેહ મળી આવ્યા છે. મંદિરના બાથરૂમમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે અને શંકાસ્પદ હાલતમાં બાથરૂમમાંથી મળી આવ્યા મૃતદેહ, અને બન્ને વિદ્યાર્થિનીઓ કોલેજ જવા નીકળ્યા બાદ ગુમ હતી અને બાથરૂમમાંથી મૃતદેહ મળી આવ્યા છે અને મોતનું કારણ પોલીસ તપાસ બાદ સામે આવશે, સુરત પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.
Mar 07, 2026 09:53 am
જનપથ ટી થી મોટેરા સ્ટેડીયમ મુખ્ય ગેટ થઇ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ગામ ટી સુધીનો જતો-આવતો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે.
Mar 07, 2026 09:53 am
01-તપોવન સર્કલથી ઓ.એન.જી.સી. ચાર રસ્તાથી વિસત ટી થી જનપથ ટી થઇ પાવર હાઉસ ચાર રસ્તા થઇ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે.
02-કૃપા રેસીડેન્સી ટી થઇ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઇ ભાટ કોટેશ્વર રોડ થઇ એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.
Mar 07, 2026 09:53 am
આ સાથે જનપથ ટી થી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટથી કૃપા રેસિડેન્સીથી મોટેરા ગામ સુધીનો આવતો જતો રસ્તો વાહનોની અવર જવર માટે સવારે ૧૦ વાગ્યાથી મોડી રાત્રીના 2 વાગ્યા સુધી બંધ રહેશે. સ્ટેડિયમની આસપાસ આડેધડ રસ્તા પર પાર્કિંગ કરતા હોય છે. ત્યારે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ૧૬ ટ્રાફિક ક્રેન સતત પેટ્રોલિંગ કરીને નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલ વાહનોને ટોઈગ કરશે.
Mar 07, 2026 09:50 am
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈને 2000થી વધુ પોલીસકર્મીઓ સુરક્ષામાં તૈનાત રહેશે. સ્ટેડિયમમાં નજર રાખવા સ્પેશ્યલ કંટ્રોલરૂમ તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં ૨૭૦ કેમેરાથી સતત મોનિટરિંગ કરાશે. ફાઈનલ મેચમાં વીવીઆઈપી-વિઆઈપી સહિત કુલ ૧ લાખથી વધુ લોકો આવવાના છે. સ્ટેડિયમના ગેટ નંબર ૧ પાસે એન્ટ્રી મેળવવા માટે ધક્કામુક્કી ન થાય તે માટે ગેટ નંબર ૧ થી ૧૦૦ મીટર આગળ બેરિકેટીંગ કરી દેવાશે.
Mar 07, 2026 09:50 am
અમદાવાદમાં આવતીકાલે ઈન્ડિયા-ન્યૂઝીલેન્ડ વચ્ચે T-20 વર્લ્ડ કપ ફાઈનલ મેચ યોજાવા જઈ રહી છે અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહેશે. સ્ટેડિયમમાં BDDS અને NDRFની ટીમ તૈનાત રહેશે અને 7 DCP, 10 ACP સહિત 25 પીઆઈ રહેશે હાજર જેમાં 78 PSI, 1470 પોલીસકર્મીઓ બંદોબસ્તમાં રહેશે અને સ્ટેડિયમમાં BDDSની 4, NDRFની 1 ટીમ રહેશે તૈનાત રહેશે, ટ્રાફિક સંચાલન માટે 744 અધિકારી-કર્મીઓ તૈનાત રહેશે, 1 JCP, 3 DCP, 4 ACP, 11 PI, 25 PSI રહેશે હાજર. પોલીસકર્મી, TRB સહિત 700 જવાનો ટ્રાફિક નિયમન કરશે.
Mar 07, 2026 09:31 am
મનપાના સ્ટાફના પગાર ધોરણમાં સુધારોની દરખાસ્ત, રેલનગર વિસ્તારમાં ચોકના નામકરણની દરખાસ્ત, રેસકોર્સ મેદાનની ધાર્મિક આયોજન માટે ફાળવણી, અયોગ્ય નામો દૂર કરવા સહિતની દરખાસ્ત મંજૂર થશે, વર્તમાન બોડીનું આ આખરી જનરલ બોર્ડ બનશે.
Mar 07, 2026 09:24 am
શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ દાદાને વિશેષ વાઘા ધરાવી, સમગ્ર સિંહાસનને ઓર્કિડ અને સેવંતીના ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. વહેલી સવારે 05:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી અને સવારે 07:00 કલાકે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી.

Mar 07, 2026 09:24 am
શ્રીકષ્ટભંજનદેવ દાદાને ઓર્કિડ અને સેવંતીના પુષ્પોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે અને મારુતિયજ્ઞનું આયોજન કરાયું છે અને હજારો હરિભક્તોએ દર્શનનો લ્હાવો લીધો છે. સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે બિરાજમાન શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે તારીખ 07-03-2026, શનિવારના રોજ દાદાને અત્યંત મનોહર અને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

Mar 07, 2026 09:02 am
રાજકોટમાં બાર કાઉન્સિલની ચૂંટણીનો વિવાદ વકર્યો,રાજકોટના દિલીપ પટેલની ઉમેદવારી રદ કરવા માંગ,AGP રક્ષિત કલોલાની BCG અને BCIમાં ફરિયાદ,BCI નિયમ ભંગના આક્ષેપ સાથે લેખિત ફરિયાદ કરી.
Mar 07, 2026 09:01 am
જસદણ પંથકમાં ધુમ્મસભર્યું વાતાવરણ,જસદણ સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધુમ્મસ,વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો,લાઈટો ચાલુ રાખી વાહન ચલાવવા મજબૂર,
Mar 07, 2026 08:48 am
અમદાવાદ ગ્રામ્યમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ,દેત્રોજ સહિત ગ્રામ્ય પંથકમાં ધુમ્મસભર્યું વાતાવરણ,ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં થયો ઘટાડો.
Mar 07, 2026 08:36 am
વિરમગામમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ,વિરમગામ સહિત આસપાસના વિસ્તારમાં ધુમ્મસ,ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો,વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી.
Mar 07, 2026 08:30 am
સામાન્ય જનતા માટે માઠા સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. ઘરેલું રાંધણ ગેસ (14.2 કિલો) અને કોમર્શિયલ ગેસ (19 કિલો) એમ બંનેમાં ભાવ વધારો થતા ગૃહિણીઓના રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે.
Mar 07, 2026 08:19 am
પુણામાં ભૂલમાં રૂ. 2 લાખ કેનાલમાં પધરાવ્યા, પૈસા શોધવા માટે ફાયર વિભાગની લીધી મદદ, ફાયર જવાનોએ પૈસા સલામત રીતે પરત આપ્યા, ફાયર બ્રિગેડના બે જવાનોને કાચ વાગતા ઈજાગ્રસ્ત.
Mar 07, 2026 08:18 am
છોટા ઉદેપુરના બોડેલી નજીક મેરિયા બ્રિજ પાસે રોડની બાજુમાં કારે પલટી મારી હતી અને કારમાં દારૂ છલોછલ ભરેલો હતો, વિદેશી દારૂ કયાંથી કયાં લઈ જવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે, મધ્યપ્રદેશ તરફથી આવતી સ્કોર્પિયો ગાડીમાં દારૂ લઈ જવાતો હોવાની મળી હતી પોલીસને બાતમી અને પોલીસે કારનો કર્યોં હતો પીછો, કારના ચાલકે સ્ટયરિંગ પરનો કાબુ ગુમાવતા રોડની બાજુના ખાડામાં ખાબકી કાર અને પોલીસે પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.
Mar 07, 2026 08:18 am
છોટા ઉદેપુરમાં બુટલેગરો બન્યા બેફામ અને બુટલેગરની કારનો પોલીસે પીછો કરતા કારે પલટી મારી હતી અને બુટલેગર સ્થળ પર કાર મૂકીને ફરાર થયો છે. છોટા ઉદેપુરમાં બુટલેગરની કારનો પોલીસે પીછો કરતા કાર ચાલકે કાર ભગાવી હતી અને સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કારે પલટી મારી હતી, બોડેલીના મેરિયા બ્રિજ પાસે બુટલેગરની કાર પલટી મારી ગઈ હતી અને કાર પલટ્યા બાદ ચાલક ઘટના સ્થળેથી થયો ફરાર અને દારૂ ક્યાંથી ક્યા લઈ જવાતો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
Mar 07, 2026 07:57 am
એ પછી સાવલીના ઝોન-૫ની બેઠક પર દીનુ મામા ગ્રુપના રામસિંહ વાઘેલાએ અને સામે ભાજપના જ કાયંકર પ્રવિણ મકવાણાએ ફોર્મ ભરેલુ હતુ જેમાં કોઈ કારણોસર આજે પ્રવિણ મકવાણાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. જેથી આજે રામસિંહ વાઘેલા બિનહરીફ થયા હતા. જે સાથે અત્યાર સુધીમાં વર્તમાન ૬ ડિરેક્ટરો બિનહરીફ થઈ ચુક્યા છે. હજુ, વાઘોડિયા બેઠક પરથી પણ એક ડિરેક્ટર બીનહરીફ થવાની તૈયારીમાં છે. કારણ કે, આ બેઠક પર વર્તમાન ડિરેક્ટર સતિષ મકવાણા (રાજુ અલવા) અને તેમની પત્ની હંસાબેન એમ બે જ ઉમેદવાર છે. હંસાબેન પણ આજ-કાલમાં પોતાનુંફોર્મ પરત ખેંચી લેવાના છે. તેવુ સૂત્રોએ કહ્યું છે. જો આમ થશે તો રાજુ અલવા બિનહરીફ થઈ જશે અને બીનહરીફનો આંક ૭ થઈ જશે. તો બાકીની ૬ બેઠક પર જ તા.૧૮મીએ ચૂંટણી યોજાશે.
Mar 07, 2026 07:57 am
ત્યારે ફોર્મ ભરાતાની સાથે જ દીનુ મામા ગ્રુપનો પાવર દેખાતો થઈ ગયો હતો. સિંગલ ફોર્મ ભરાતા ડેરીના ઉપપ્રમુખ જી.બી. સોલંકી બિનહરીફ થઈ ગયા હતાં. એ પછી ભરાયેલા ૫૫ ફોર્મની સ્કુટીની હાથ ધરાઈ હતી અને તેમાં વાંધાઓ લેવાયા હતાં. જે દરમિયાન ૩૧ ફોર્મ મંજૂર થયા હતા અને ૨૪ ફોર્મ રદ થયા હતા. જેથી પ્રતિસ્પર્ધીનુ ફોર્મ રદ થતા ડેરીના પ્રમુખ દીનુ મામા. ડિરેક્ટર કિપાલસિંહ મહારાઉલ અને સંગ્રામસિંહ રાઠવા પણ બિનહરીફ થયા હતાં. એ પછી ધૂળેટીના આગલા દિવસે સંખેડા બેઠક પરથી કનુબેન બારીયાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા તેમના પતિ રમેશ બારીયા કે જેઓ ડેરીના વર્તમાન ડિરેક્ટર છે. તેઓ બિનહરીફ થયા હતા.
Mar 07, 2026 07:56 am
તદુપરાંત સંઘ દ્વારા લેણદારોને ચૂકવવાનું નફા-નુકસાન રિટન ઓફ કરવામાં આવ્યું છે. આમ, દૂધ સંથના પ્રમુખ-ઉપપ્રમુખ નિષ્ફળ હોવાનું ફલિત થાય છે. જેથી, પ્રમુખ અને ઉપપ્રમુખને હોદા પરથી દૂર કરવા કાર્યવાહી શા માટે ન કરવી ? જે સંદર્ભે તા.૧૩મી માર્ચ ૨૦૨૬ના રોજ બપોરે ૧૨ કલાકે આધાર-પુરાવા સાથે હાજર રહેવા ફરમાન કરાયું છે. બરોડા ડેરીના અણનમ ખેલાડી દીનુ મામા સામે બાયો ચઢાવનાર ધારાસભ્યોનુ જોર ઓછુ થઈ ગયું હોવાનુ ફલિત થાય છે. કારણ કે, ડેરીની ચૂંટણીમાં ડિરેક્ટરોની ૧૩ બેઠક સામે પ્રમુખ, ઉપપ્રમુખ સહિત ૬ ડિરેક્ટરો બિનહરીફ થઈ ચુક્યા છે અને હજુ એક ડિરેક્ટર બિનહરીફ થશે. એટલે માત્ર ૬ બેઠક પર જ ચુંટણી યોજાશે.
Mar 07, 2026 07:56 am
સન ૨૦૪-૨૫ના વૈધાનિક ઑડિટ અહેવાલ મુજબ ઈટોલા ખાતે દાણ પ્લાન્ટનું ઉત્પાદન ઘટીને છેલ્લા ૩ વર્ષ દરમિયાન અનુક્રમે ૩૦.૬૪ ટકા, ૨૮.૮૫ ટકા અને ૨૬.૮૮ ટકા થયું છે. રૂ.પ લાખથી વધુની તમામ વસ્તુઓ અને સેવાની ખરીદીમાં ઈ-ટેન્ડરીંગની સૂચનાનો ભંગ કરાવો છે. બોડેલી ખાતેના સોલર પ્રોજેક્ટ માટે કન્સલ્ટન્ટની નિમણૂક માટે એન-પ્રોસિઝર કે ઈ-ટેન્ડરીંગ કરાયું નથી. ડભોઈ ખાતે રેવન્યુ સર્વે નં-૧૪૯૧ પૈકી વાડી ૨૮૨૫ ચોરસ મીટર જમીનને અડીને અક્ષરધામ સોસાયટીના પ્લોટ નં-૮૫ અને ૮૬ અનુક્રમે રૂ.૪૧,૦૦,૦૦૦ અને રૂ.૪૫,૦૦,૦૦૦ ખરીદવાનું નક્કી કર્યું હોવા છતા નિયમોનુસાર રજિસ્ટ્રારની પૂર્વ મંજૂરી લેવામાં આવી નથી.
Mar 07, 2026 07:56 am
ગુજરાત સહકારી મંડળી અધિનિયમ-૧૯૬૧ની કલમ ૭૬(બી)(૧)અન્વયે બરોડા ડેરીના પ્રમુખ દિનેશભાઈ પટેલાદિનુમામાં) અને ઉપપ્રમુખ જી.બી.સોલંકીને પાઠવવામાં આવેલી શો-કોઝ નોટિસમાં ઉલ્લેખ્યું છે કે રાજ્યમાં શ્વેત ક્રાંતિના ભાગરૂપે અમૂલ પેટર્ન અનુસાર દૂધ ઉત્પાદકોને સહકારી પ્રવૃત્તિનું માળખું ગોઠવાયેલું છે. જે અંતર્ગત ગ્રામ કક્ષા ભગતી ગ્રામ કક્ષાના નાના દૂધ પૂરક ઉત્પાદકો-પશુપાલકોને રોજગારી તરીકે અપનાવેલું છે. દૈનિક ઉત્પાદિત દૂધ ગ્રામ્ય કક્ષાની પ્રાથમિક દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ભરાવે છે. જે જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.માં દૂધ અને દૂધની બનાવટોમાં રૂપાંતરિત થાય છે.
Mar 07, 2026 07:56 am
વડોદરામાં યોજાશે બરોડા ડેરીની ચૂંટણી અને આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે, આજે સાંજ સુધીમાં ચિત્ર થશે સ્પષ્ટ અને અત્યાર સુધીમાં 7 બેઠક થઇ છે બિનહરીફ. વડોદરા ડેરીની ચૂંટણીને લઈ બાકીની 6 બેઠક મામલે ચિત્ર થશે સ્પષ્ટ અને ભાજપે 6 ઉમેદવારને આપ્યા ટેલિફોનિક મેન્ડેટ અને મેન્ડેટ વગરના ફોર્મ પાછુ ખેંચે છે કેમ તેના પર નજર છે.
Mar 07, 2026 07:42 am
પરંતુ આજે ઉનાળાની સીઝનમાં મુગલીસરા વિસ્તારમાં ફાયર સ્ટેશન ઓફિસની સામે મોટો ભૂવો પડી ગયો હતો. રોડ પર પડેલા ભૂવાને લીધે વાહનચાલકો અટવાયા હતા. બિલકુલ ફાયર ઓફિસની સામેજ ભૂવો પડતા ઓફિસના અધિકારીઓ અને ત્યાં જરૂરી કામ માટે આવનારા શહેરીજનોને પણ સમસ્યા સર્જાઈ હતી. વધુમાં જાણવા મળેલી માહિતી મુજબ ભૂવો જે જગ્યા પર પડયો હતો ત્યાં નીચેથી પાણીની લાઈન પસાર થતી હોય માટી ધસી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સેન્ટ્રલ ઝોનની ટીમ દ્વારા તરતજ માટી પુરાણ કરી ભૂવો પુરવામાં આવ્યો હતો.
Mar 07, 2026 07:42 am
સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરીની નજીક ફાયર ઓફિસની બિલ્કુલ સામે શુક્રવારે સાંજે રોડ પર ભૂવો પડી જતા ત્યાંથી અવર-જવર કરતા લોકોમાં ગભરાટ ફેલાયો । હતો. જોકે પાલિકા દ્વારા તરતજ ત્યાં માટી પુરાણની કામગીરી કરી બેરિકેટ મુકી દેવાયો હતો. નીચેથી પસાર થતી પાઇપલાઇનના લીધે માટી ધસી પડી હોવાની આશંકા સેવાઈ રહી છે. ચોમાસાની સીઝનમાં નીચેથી માટી ધસી જતા અનેક વિસ્તારોમાં રોડ પર ભૂવો પડવાની ઘટના અવારનવાર બનતી હોય છે.
Mar 07, 2026 07:42 am
સુરત મનપાની મુખ્ય કચેરી બહાર ભૂવો પડ્યો છે અને 6 થી 7 ફૂટ ઊંડો ભૂવો પડતા લોકો પરેશાન થયા છે, ઉચ્ચ અધિકારીઓ-પદાધિકારીઓ આ રોડ પરથી પસાર થાય છે. સુરત ડાયમંડ સિટી' કે 'ભૂવા સિટી'? એજ ખબર નથી પડતી, ઉનાળાની શરૂઆતમાં ભૂવો પડયો છે જેના કારણે પાલિકાના આંગણે જ તંત્રની પોલ ખુલી ગઈ છે, સુરત મનપાની મુખ્ય કચેરી અને CFO ઓફિસની બહાર આ ભૂવો પડયો છે, ચોમાસું હજુ દૂર છે, છતાં ભર ઉનાળે રસ્તો બેસી જતાં સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
Mar 07, 2026 07:29 am
આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી આપઘાત કર્યો, એસિડ પી લેતા વેપારીને હોસ્પિટલ ખસેડાયા હતા, સારવાર દરમિયાન સોની વેપારીનું થયું મૃત્યુ.
Mar 07, 2026 07:24 am
રાજકોટમાં 362 કરોડના વિકાસકાર્યોની ભેટ અપાશે, પ્રભારી મંત્રી જીતુ વાઘાણી કાર્યક્રમમાં રહેશે હાજર, આજી ફિલ્ટર પ્લાન્ટ, હોકી ગ્રાઉન્ડ સહિતના પ્રકલ્પો, 11 માર્ચે મહાનગરપાલિકાની ટર્મ થઈ રહી છે પૂર્ણ, ટર્મ પૂર્ણ થાય એ પહેલા લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે.
Mar 07, 2026 07:19 am
સોનુકુમાર ઉર્ફે ધનર્જયનું ગુરૂવારે મોડી રાત્રે જ મોત થયું હતું. ત્યારબાદ શુક્રવારે સવારે દિનુંકુમાર ઉર્ફે અંકિત રવિન્દ્રનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. જયારે શુક્રવારે સાંજે સંદીપનું પણ ડીંડોલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જયારે મહેન્દ્ર હાલ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, આ બનાવ અંગે પાંડેસરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી ત્રણેષ મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. પોલીસના જણાવ્યા મુજબ ચારેય યુવક કંપનીના કર્મચારી નહતા. તેમને કોન્ટ્રાક્ટ હેઠળ બહારથી કેમિકલની ટાંકી સાફ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને ગેસ લીકેજ કેવી રીતે થયો તેમજ સુરક્ષા વ્યવસ્થામાં કોઈ બેદરકારી હતી કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે.
Mar 07, 2026 07:18 am
ત્યારબાદ ટાંકીમાં જમા થયેલો કચરો સાફ કરવા માટે ચારેય શ્રમિક વારાફરતી ટાંકીમાં ઉતયાં હતા. આ દરમિયાન ટાંકીમાં રહેલી ગેસની પાઈપમાંથી અચાનક કેમિકલનો ગેસ લીકેજ શરૂ થતા ટાંકીની અંદર ગેસ ફેલાઈ ગયો હતો. ગેસના પ્રભાવને કારણે ચારેય શ્રમિકને ગૂંગળામણ થવા લાગી હતી અને થોડા જ સમયમાં તેઓ ટાંકીની અંકર બેભાન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા મિલના મેન્ટેનન્સ વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને જહેમત બાદ ચારેય શ્રમિકને ટાંકીમાંથી બહાર કાઢયા હતા.
Mar 07, 2026 07:18 am
પાપ્ત માહિતી અનુસાર મૂળ બિહાર રોહતાસના વતની અને હાલ પાંડેસરા ગણેશનગર વિસ્તારમાં રહેતા ૨૩ વર્ષીય સોનુકુમાર ઉર્ફે ધનર્જય કમલેશ પાસવાન, દિનુકુમાર ઉર્ફે અંકિત રવિન્દ્ર પાસવાન (ઉ. વ.૨૦), મહેન્દ્ર મેસર પાસવાન અને સંદીપ સંતોષ પાસવાન ગુરૂવારે રાત્રે પાંડેસરા જીઆઇડીસીમાં આવેલ ન્યુ પારસ ડાઈગ મિલમાં કેમિકલની ટાંકી સાફ કરવા માટે ગયા હતા. આ કામ માટે તેમને કોન્ટ્રાક્ટ હેઠળ બહારથી બોલાવવામાં આવ્યા હતા. મિલમાં આવેલી કેમિકલની ટાંકીમાંથી પહેલા ઇલેક્ટ્રિક મોટરની મદદથી પાણી બહાર કાઢવામાં આવ્યું હતું.
Mar 07, 2026 07:18 am
સુરતમાં ગૂંગળામણથી વધુ 2 કર્મચારીઓના મોત થયા છે અને પાંડેસરા GIDCની ટાંકી સફાઈ કરવા ઉતર્યા હતા અને ગઈકાલે પણ સારવાર દરમિયાન એકનું મોત થયું છે. સુરતની પાંડેસરા જીઆઇડીસીની ન્યુ પારસ ડાઈગ મિલમાં કેમિકલની ટાંકી સાફ કરતી વેળા ચાર શ્રમિક ગૂંગળાયા હતા. જેમાં સારવાર માટે તમામને હોસ્પિટલ ખસેડાયા હતા. ડીંડોલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ત્રણ યુવકના એક પછી એક મોત નિપજયા હતા. જયારે એક હાલ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે.
Mar 07, 2026 06:58 am
પૂર્વોત્તર ભારતના કેટલાક રાજ્યોમાં પણ આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેવાની અને કેટલીક જગ્યાએ વરસાદ થવાની શક્યતા છે. પૂર્વ ભારતના વિસ્તારોમાં પણ હવામાનમાં થોડો બદલાવ જોવા મળી શકે છે, જોકે ભારે વરસાદની શક્યતા ઓછી છે. પશ્ચિમ અને મધ્ય ભારતની વાત કરીએ તો Rajasthan, Gujarat અને Madhya Pradesh ના ઘણા વિસ્તારોમાં તાપમાન ઝડપથી વધી રહ્યું છે. કેટલીક જગ્યાઓ પર તાપમાન સામાન્ય કરતાં 3 થી 5 ડિગ્રી વધુ નોંધાઈ રહ્યું છે. આગામી દિવસોમાં પણ ગરમી ધીમે-ધીમે વધવાની શક્યતા છે.
Mar 07, 2026 06:57 am
બીજી તરફ પર્વતીય રાજ્યોમાં હવામાન બદલાઈ શકે છે. Jammu and Kashmir, Himachal Pradesh અને Uttarakhand માં આગામી દિવસોમાં હળવા થી મધ્યમ વરસાદ અને ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાની શક્યતા છે. પશ્ચિમ વિક્ષેપના પ્રભાવને કારણે આ વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે અને ઠંડીમાં થોડો વધારો પણ અનુભવાઈ શકે છે.
Mar 07, 2026 06:57 am
વાતાવરણીય પરિબળોનું મિશ્રણ ઉનાળાના અકાળ આગમનમાં ફાળો આપી રહ્યું છે. IMD અનુસાર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં તાપમાન સામાન્ય કરતાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. જ્યારે વેસ્ટર્ન ડિસ્ટરબન્સના કારણે 4 થી 6 માર્ચ દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં હળવી હિમવર્ષા થવાની શક્યતા છે, પરંતુ તેની અસર ઓછી રહેશે.
Mar 07, 2026 06:57 am
IMDની આગાહી સામે આવી છે, જેમાં મેદાની પ્રદેશો, અંતરિયાળ વિસ્તારોમાં ગરમી પડશે અને 90 દિવસમાં લૂ લાગવાના કિસ્સાઓ પણ વધી શકે છે, માર્ચમાં વરસાદ પડશે અને દેશના મોટાભાગના પ્રદેશોમાં સામાન્ય કરતાં વધુ ગરમી રહેશે સાથે સાથે ઉત્તર-પશ્ચિમ, મધ્ય ભારતમાં તાપમાન સામાન્યથી નીચું રહેશે, માર્ચમાં ગુજરાતમાં હીટ વેવના દિવસોની સંખ્યા વધુ રહેશે અને આંધ્રપ્રદેશના જુદાજુદા વિસ્તારોમાં પણ હીટવેવ રહેશે.
Mar 07, 2026 06:57 am
રાજ્યમાં 5 દિવસ હિટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે, સાથે સાથે ભાવનગરમાં બે દિવસ હિટવેવની આગાહી પણ કરવામાં આવી છે. પોરબંદર, દીવ, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હિટવેવ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, અમદાવાદમાં 36.3 ડિગ્રી, ડીસામાં 35.3 ડિગ્રી, ગાંધીનગરમાં 35.5 ડીગ્રી, વડોદરામાં 36 ડિગ્રી, સુરતમાં 36 ડિગ્રી, ભુજમાં 37.2 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 36.9 ડિગ્રી, રાજકોટમાં 36.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
Mar 07, 2026 06:48 am
તાપી-કરજણ લિંક પાઈપલાઇન યોજનાનું લોકાર્પણ કરશે, ખેડૂતો માટે 927 કરોડની યોજનાનું લોકાર્પણ કરશે, ઉમરપાડા, ડેડિયાપાડાના આદિવાસી ખેડૂતો માટે યોજના, ઉમરપાડા તાલુકાના કેવડી ગામે કાર્યક્રમ યોજાશે, 73 ગામની 54 હજાર એકર જમીનને સિંચાઇનું પાણી મળશે.
Mar 07, 2026 06:36 am
આજે નિશાંત કુમાર જેડીયુમાં જોડાશે, જેડીયુ ધારાસભ્યોની બેઠકમાં નિર્ણય લેવાયો, નિશાંત કુમારને નવી જવાબદારી મળે તેવી શક્યતા.
Mar 07, 2026 06:36 am
રાહુલ ગાંધી કેરળમાં રેલીને સંબોધિત કરશે, રાહુલ ગાંધી IT દિગ્ગજો સાથે સંવાદ કરશે.
Mar 07, 2026 06:35 am
રાષ્ટ્રપતિ પ.બંગાળના દાર્જિલિંગની મુલાકાત લેશે, આંતરરાષ્ટ્રીય સંથાલ પરિષદના કાર્યક્રમમાં હાજર રહેશે, 9મા આંતરરાષ્ટ્રીય સંથાલ સંમેલનમાં ભાગ લેશે.
Mar 07, 2026 06:35 am
શિવરાજસિંહ ચૌહાણ ચેન્નાઇના કાર્યક્રમમાં હાજર રહેશે, નારિયેળ ખેતી યોજના પર ખેડૂત સાથે સંવાદ કરશે.
Mar 07, 2026 06:34 am
3 દિવસનો કાર્યક્રમ જવાહરાલ નેહરુ સ્ટેડિયમમાં યોજાશે, પેરાલિમ્પિક મેડલ વિજેતા પ્રીતિ પાલ કાર્યક્રમમાં રહેશે હાજર, ત્રિ-દિવસીય કાર્યક્રમમાં અનેક અગ્રણીઓ હાજર રહેશે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કાર્યક્રમનું આયોજન.
Mar 07, 2026 06:34 am
મેરા યુવા ભારત-NSS ચિંતન શિબિર કાર્યક્રમ યોજાશે, 2047 વિકસિત ભારતના વિઝાન સાથે કાર્યક્રમ યોજાશે, સંરક્ષણ રાજ્યમંત્રી નિખિલ ખડસે પણ હાજર રહેશે.

ચારેકોર સ્ત્ર્રોત છતાં ખારીવાડમાં પાણી માટે વલખાં

કુકરમુંડામાં ખેતી માટે નિયમિત વીજ આપવા ખેડૂતોની માંગણી

તાપી જિલ્લાના કાળાવ્યારા, ઝાંખરી અને કણજા સહિતના અનેક વિસ્તારોમાં બેફામ રેતીખનન

તાપી જિલ્લામાં યુરિયા ખાતર મેળવવા રઝળપાટ રાતથી એગ્રો સેન્ટરોની બહાર ખેડૂતોના ધામા

અસનાડ ગામ પાસે ફાર્મમાં રમતા છ ઝડપાયા, મહિલા સહિત 10 ફરાર

પુણ્ય કમાવાની તદ્દન નવી રીત!

પ્રગતિ માટે વ્યાપક બદલાવો - કાયમી પરિણામો

મનનો મલક અને એનું પા..પાઇ પગલી વિજ્ઞાન

Suryakumar Yadav પાસેથી છીનવાશે કેપ્ટનશીપ? કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન

Britainમાં સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ, રોયલ નેવીના 3 સભ્યોનું મોત

પુણ્ય કમાવાની તદ્દન નવી રીત!