જામનગરના આણંદબાવા આશ્રામ પાસે રહેતા રિક્ષા ચાલકે ઝેરી દવા ગટગટાવી જીવનલીલા સંકેલી લીધી છે. આર્થિક કટોકટીને કારણે બુલેટ ગાડીની માંગ કરતા પુત્ર સાથે અવારનવાર ડખ્ખો થતો હતો. અંતે કંટાળી જઈ પિતાએ અંતિમ પગલું ભરી લેતા પરિવારજનોમાં અરેરાટી મચી ગઇ છે.
શહેરના પંચેશ્વર ટાવર નજીક આવેલ આણંદ બાબા આશ્રામ પાસે રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતા 57 વર્ષીય નિલેશભાઇ બચુભાઇ સુચકે મોત વ્હાલું કરી લીધું છે. નિલેશભાઇના દીકરા ધવલને બુલેટ લેવુ હોવાથી તે અવારનવાર નિલેશભાઈ પાસે પૈસા માંગતા હતા. પરંતુ નિલેશભાઈની આર્થીક સ્થીતી ખરાબ હોવાથી બુલેટ લેવાની ના પાડી હતી. જે મામલે નિલેશભાઈ અને તેના દીકરા ધવલ વચ્ચે અવારનવાર ઝગડો થતો હતો.










