હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી અને માર્ચ એન્ડિંગની હિસાબી કામગીરીને ધ્યાનમાં રાખીને જસદણ માર્કેટિંગ યાર્ડ (APMC) દ્વારા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ખેડૂતોનો માલ પલળી ન જાય અને વહીવટી કામગીરીમાં સરળતા રહે તે માટે જણસીની આવક અને હરાજીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.


જીરૂની આવક અંગે સૂચના

યાર્ડના સત્તાધીશોના જણાવ્યા અનુસાર, જીરૂની આવક માત્ર આજ રોજ રાત્રિના 8:00 વાગ્યા સુધી જ કરવામાં આવશે. ત્યારબાદ કોઈપણ સંજોગોમાં જીરૂનો જથ્થો યાર્ડમાં ઉતારવા દેવામાં આવશે નહીં. ખેડૂતોને આ સમયમર્યાદાનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.

રજાઓ અને માર્ચ એન્ડિંગનું શિડ્યુલ

18 થી 21 માર્ચ આ સમયગાળા દરમિયાન કોઈપણ ખેત જણસી યાર્ડમાં ઉતારી શકાશે નહીં.22 થી 31 માર્ચ માર્ચ એન્ડિંગના હિસાબી કામકાજને કારણે દલાલ મંડળ દ્વારા ખરીદ-વેચાણનું કામકાજ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. આ દિવસોમાં પણ નવી આવક બંધ રહેશે.તમામ ખેત જણસીની નવી આવક 31 માર્ચ, મંગળવારથી સ્વીકારવામાં આવશે. જ્યારે હરાજી અને ખરીદ-વેચાણનું કામકાજ 1 એપ્રિલ, બુધવારથી રાબેતા મુજબ શરૂ થશે.

આ પણ વાંચો: Ahmedabad: નારણપુરામાં મોડી રાત્રે ધમાલ, પૈસાની લેતીદેતી મુદ્દે થયેલી માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું

  • Follow us on: