જસદણ તાલુકાના કનેસરા ગામે બનેલી વન્યજીવ હુમલાની ઘટનામાં આજે એક દુખદ સમાચાર સામે આવ્યા છે. કનેસરા સ્થિત જડિયા મહાદેવ મંદિરના પૂજારી સવાભગતનું દીપડાના હુમલામાં ગંભીર ઈજાઓ થયા બાદ આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
જસદણમાં દીપડાના હુમલામાં પૂજારીનું મોત
જસદણના કનેસરા ગામે આવેલા જડિયા મહાદેવના મંદિરે દીપડો ત્રાટક્યો હતો. આ હિંસક દીપડાએ મંદિરમાં હાજર પૂજારી સવાભગત તેમજ તેમની સાથેના એક સેવક પર ઓચિંતો જીવલેણ હુમલો કર્યો હતો. દીપડાએ પૂજારીને ગંભીર રીતે ફાડી ખાતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા.










