જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના પિયાવા ગામે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ધોરણ-10માં અભ્યાસ કરતા એક તરુણે પરીક્ષાના પેપર નબળા ગયા હોવાના ડર અને નાપાસ થવાની બીકે આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
વિસાવદરમાં ધો.10ના છાત્રનો આપઘાત
મળતી માહિતી મુજબ, વિસાવદરના પિયાવા ગામે રહેતા અને ધોરણ-10ની પરીક્ષા આપી રહેલા કિશોરને છેલ્લા કેટલાક દિવસોથી પરીક્ષાના પેપર નબળા જવાની ચિંતા સતાવી રહી હતી. તેને મનમાં એવો ડર ઘર કરી ગયો હતો કે તે પરીક્ષામાં નાપાસ થશે. આ માનસિક તણાવમાં કિશોરે આજે પોતાની વાડીએ જઈને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.










