ભવનાથના દર્શન કરી ભાવિકોએ પૂણ્યુનું ભાથું બાંધ્યુ અને જીવ અને શિવના મિલનનો મિનીકુંભ મેળો જોવા મળ્યો છે, અત્યાર સુધી અલગ-અલગ રાજયોમાંથી લોકો દર્શન માટે આવ્યા છે અને દર્શન માટે પણ તંત્રએ સરખી વ્યવસ્થા કરી છે. ભવનાથ મંદિરમાં અવિરત ભક્તોનો ધસારો છે અને બિલીપત્રથી ગર્ભગૃહમાં શણગાર કરાયો છે.


એસ. ટી. નિગમ દ્વારા 1000 બસોનું સંચાલન કરાયું

મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે જૂનાગઢ ખાતે યોજાઈ રહેલા 'મીની કુંભ' મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સલામત અને સુલભ મુસાફરી માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સુયોગ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના ખૂણે-ખૂણેથી આવતા યાત્રિકોને પરિવહનમાં કોઈ અગવડ ન પડે તે માટે આ વર્ષે કુલ ૧,૦૦૦ બસોનું સંચાલન કરવામાં આવશે.

જૂનાગઢ ઝોનના 850 કર્મચારીઓ 24 કલાક કાર્યરત રહેશે

મેળા દરમિયાન જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લા જેવા જેમાં નજીકના જિલ્લાઓમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે ૩૩૦ બસોનું સંચાલન કરવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગર, કચ્છ, અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદ જેવા અન્ય જિલ્લાઓમાંથી આવતા યાત્રિકો માટે નિગમ દ્વારા વધારાની ૫૦૦ બસોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જરૂર પડે તો વધારાની ૭૫ બસોને સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવી છે.


આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં રહેશે બેવડી ઋતુની અસર, સવારે ગુલાબી ઠંડી તો બપોરના સમયે ગરમીનો થશે અહેસાસ



  • Follow us on: