સમાજમાં દિવ્યાંગો પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ અને જાગૃતતા લાવવાના હેતુથી આ રેલીનું આયોજન કરાયું હતું. આજે તા. ૩ ડિસેમ્બરે સવારથી જ આઝાદ ચોક ખાતે દિવ્યાંગ બાંધવોનો ધસારો જોવા મળ્યો. વ્હીલચેર, ટ્રાઈસાઈકલ અને ટેક્ટરની મદદથી ૮૦ થી વધુ દિવ્યાંગ બહેનો-ભાઈઓએ રેલીમાં ભાગ લીધો હતો.


અમે અલગ નથી તેવા સૂત્રોના બેનર સાથે રેલી નીકળી

સી.ડબ્લ્યુ.સી.ના ચેરમેનના હસ્તે રેલીનું પ્રસ્થાન કરાવાયું હતું. રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ સરદાર ચોક ખાતે સમાપન પામી હતી. રેલી દરમિયાન દિવ્યાંગોએ “અમને હસતા જોઈએ, સહાનુભૂતિ નહીં” અને “અમે અલગ નથી, ખાસ છીએ” જેવા સૂત્રોના બેનરો લઈને લોકોને જાગૃત કર્યા હતા.

સમાજને એ સંદેશ મળ્યો કે દિવ્યાંગતા કોઈ અડચણ નથી

આ આયોજનથી દિવ્યાંગોને પ્રોત્સાહન મળ્યું અને સમાજને એ સંદેશ મળ્યો કે દિવ્યાંગતા કોઈ અડચણ નથી, માત્ર એક અલગ ક્ષમતા છે. લોકોમાં દિવ્યાંગો પ્રત્યે જાગૃતતા આવે અને દિવ્યાંગો પણ કંઈક કરી શકે છે તેવો મેસેજ પહોંચાડવા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૮૦ થી વધુ દિવ્યાંગો વીલ ચેર , ટ્રાઇસિકલ અને ટેક્ટર મારફત જોડાયા હતા. દિવ્યાંગોને પ્રોત્સાહન મળે અને દિવ્યાંગનો જુસ્સો વધે જે આશયથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ પણ વાંચો : Arvalli News : અરવલ્લીના મેઘરજમાં હડકાયા શ્વાનનો આતંક, છેલ્લા બે દિવસમાં 30 લોકોને શ્વાને બચકા ભર્યા


 

  • Follow us on: