ગિરનાર તળેટીમાં આવેલ પવિત્ર દામોદર કુંડ લાખો શ્રાદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે.


વર્ષ 2019માં યોજાયેલા મિની કુંભ મેળા દરમિયાન સાધુ-સંતો અને ભાવિકોને સ્નાન માટે શુદ્ધ પાણી મળી રહે તે માટે મનપા દ્વારા મોટી જાહેરાતો કરવામાં આવી હતી.

પરંતુ તે મેળા બાદની સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી હતી, જે તત્કાલીન સમયે મોટો વિવાદ બન્યો હતો.2019ના મેળા પૂર્વે જાહેરાત કરવામાં આવી હતી કે દામોદર કુંડમાં સ્કોટલેન્ડની ગ્રીન ગ્લાસ ટેકનોલોજી ધરાવતો અત્યાધુનિક ફ્લ્ટિર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે. જોકે, મેળાની સમાપ્તિ બાદ ચોમાસા દરમિયાન મનપા તંત્ર દ્વારા આ ફ્લ્ટિર પ્લાન્ટને દામોદર કુંડ પરથી હટાવીને બારોબાર વિલિંગ્ડન ડેમ ખાતે ફ્ટિ કરી દેવામાં આવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: