જૂનાગઢ જિલ્લાના માણેકવાડા ગામમાં વહીવટી તંત્ર દ્વારા ગૌચરની જમીન પરના દબાણો દૂર કરવાની એક મોટી અને આક્રમક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીના પરિણામે ગામના પશુઓ માટેની 800 વીઘા જેટલી ગૌચરની જમીન ગેરકાયદેસર દબાણમુક્ત કરવામાં આવી છે.
800 વીઘા ગૌચરની જમીન ખુલ્લી કરાવાઈ
પ્રાપ્ત માહિતી અનુસાર, જૂનાગઢ જિલ્લા કલેક્ટરની માણેકવાડાની મુલાકાત બાદ આ દબાણો હટાવવા માટે ત્વરિત પગલાં લેવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા આ ૮૦૦ વીઘા જમીન પરના દબાણો હટાવીને ગૌચરની જમીન ખુલ્લી કરાવાઈ છે. આ દબાણો દૂર કરવાની કાર્યવાહીમાં કુલ ૮૩ ખેડૂત ખાતેદારોના ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા છે. સરકારી જમીન પર દબાણ કરનારાઓ સામે લાલ આંખ કરીને તંત્રે એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે.










