કેશોદઃ સ્વદેશી જાગરણ મંચ અને સ્વાવલંબી ભારત અભિયાન, સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા તા. 13 અને 14 જૂનના જૂનાગઢ ખાતે દ્વિદિવસીય સૌરાષ્ટ્ર પ્રાંત અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભ્યાસ વર્ગનું આયોજન અમૃત ઇન્સ્ટિટયૂટ, ખડિયા ખાતે કરવામાં આવેલ. આ અભ્યાસ વર્ગનો મુખ્ય ઉદ્દેશ ભારતને આર્થિક રીતે વધુ સશક્ત, આત્મનિર્ભર અને સ્વાવલંબી બનાવવા માટે કાર્યકરોમાં વિચાર મંથન માર્ગદર્શન અને સંગઠનાત્મક સશક્તિકરણ લાવવાનો છે.અભ્યાસ વર્ગમાં પશ્ચિમ ક્ષેત્ર સંયોજક કેશવ દુબલેશજી, પશ્ચિમ ક્ષેત્ર સહસંયોજક ઈશ્વર સજ્જનજી,કાશ્મીરીલાલજી સહિત વક્તાઓએ માર્ગદર્શન આપ્યુ હતુ.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: