જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ગણા ગામમાં એક અત્યંત દુઃખદ ઘટના ઘટી છે. પ્રસૂતિ બાદ એક મહિલાની તબિયત અચાનક બગડતા અને સમયસર સારવાર ન મળવાને કારણે તેનું મૃત્યુ થયું છે. મળતી માહિતી મુજબ, ગણા ગામની સગર્ભા મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ અચાનક શ્વાસ લેવામાં તકલીફ અનુભવી હતી
માણાવદરમાં સગર્ભા મહિલાનું મોત
મહિલાની હાલત ગંભીર જણાતા તેને તાત્કાલિક સારવારની જરૂર હતી. પરિવારજનો તેને વધુ સારી સારવાર મળી રહે તે હેતુથી ઉપલેટા હોસ્પિટલ ખાતે લઈ જઈ રહ્યા હતા. દુર્ભાગ્યવશ, હોસ્પિટલ પહોંચે અને ડોક્ટરો સારવાર શરૂ કરે તે પહેલા જ મહિલાએ રસ્તામાં જ પોતાનો દમ તોડી દીધો હતો. પ્રસૂતિ બાદ ઘરના આંગણે પારણું બંધાય તે પહેલા જ માતાના મોતના સમાચાર મળતા પરિવાર પર આભ ફાટ્યું છે અને ગણા ગામમાં શોક વ્યાપી ગયો છે.










