મહેમિયાદ : મહેમદવાદ શહેરમાં દર વર્ષની જે આ વર્ષે પણ ગુરુપૂર્ણિમા ઉત્સવ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે ઉજવવામાં આવ્યો હતો. દર વર્ષે મહેમદવાદ શહેરમાં આવેલ પંચમુખી હનુમાનજી મંદિરમાં આવેલ આશ્રામમાં રાષ્ટ્રીય સંત ચિન્મયાંનંદજી મહારાજ પધારે છે જ્યાં તેમના શિષ્યો મહારાજનું પૂજન કરતા હોય છે પણ આ વર્ષે મહારાજ હરિદ્વાર ખાતે આવે તેમના આશ્રામમાં પૂજનનો કાર્યક્રમ યોજી રહ્યા છે ત્યારે મહેમદવાદ શહેરમાં પંચમુખી હનુમાનજી મંદિરમાં પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
