કોડીનાર વિધાનસભા પંથકમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન એક ગંભીર વિવાદ છેડાયો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારના આશરે 6,722 જેટલા મુસ્લિમ મતદારોના નામ યાદીમાંથી કમી કરવા માટે ખોટી રીતે ફોર્મ-7 ભરવામાં આવ્યા હોવાનો આક્ષેપ સાથે મુસ્લિમ સમાજ લાલઘૂમ થયો છે. આ મામલે કોડીનારના ઈતિહાસમાં પ્રથમવાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી.
કોડીનારમાં મુસ્લિમ સમાજ લેખિત ફરિયાદ કરી
મુસ્લિમ સમાજના આગેવાનો અને અંદાજે 400 થી વધુ લોકો લેખિત ફરિયાદ સાથે પી.આઈ. વણારકા પાસે પહોંચ્યા હતા. તેમની રજૂઆત મુજબ: ષડયંત્રની આશંકા: SIR (Special Intervention Report) કામગીરી દરમિયાન 47 જેટલા તત્વોએ ભેગા મળીને મુસ્લિમ મતદારોના મતાધિકાર છીનવવા માટે ખોટી રીતે ફોર્મ-7 (નામ કમી કરવા માટેનું ફોર્મ) ભર્યા છે. બંધારણીય અધિકાર: લોકોનો આક્ષેપ છે કે આ સીધો જ બંધારણીય મતાધિકાર છીનવવાનો પ્રયાસ છે અને તેનાથી ચૂંટણી પંચની પારદર્શિતા સામે પણ સવાલો ઊભા થયા છે.
