ખોડલધામ સેવા સમિતિ દ્વારા યોજાનાર દશાબ્દિ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સમસ્ત પાટીદાર સમાજના તમામ ગામોમાં રથ પરિભ્રમણ કરી મહોત્સવનું આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે.

આ નિમિત્તે રથ પરિભ્રમણ દરમિયાન મહીસાગર જિલ્લાના ચાવડી બાઈના મુવાડા ગામે રથનું આગમન થતાં સમગ્ર ગ્રામજનો દ્વારા રાત્રિરોકાણ સાથેનું અત્યંત ભવ્ય અને ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું.

આ પ્રસંગે શ્રી ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલના 61 વર્ષ પૂર્ણ થવાના અવસરે 61 વૃક્ષોનું રોપણ કરી પર્યાવરણ જતનનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.. આ સાથે જ ગામની મહિલાઓ દ્વારા ભક્તિમય વાતાવરણમાં ભજનસંધ્યા યોજાઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો