મહીસાગર લુણાવાડા વિભાગ દ્વારા 9 ડિસેમ્બર, મંગળવારે મહત્વપૂર્ણ સમારકામ અને મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરીને કારણે લુણાવાડા શહેર તેમજ આસપાસના ગામોમાં સવારે 7 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી લગભગ પાંચ કલાક વીજ પુરવઠો બંધ રહેશે.


સમારકામને કારણે વીજ વિક્ષેપ

MGVCL દ્વારા લુણાવાડા સબસ્ટેશનમાંથી નીકળતા વિવિધ ફીડર્સ પર રીપેરિંગ અને મેન્ટેનન્સ કામગીરી થશે. અધિકારીઓએ જણાવ્યું છે કે, કાર્ય સુરક્ષિત રીતે પૂરા થાય તે માટે વીજ પુરવઠો બંધ રાખવો જરૂરી બન્યો છે.

 આ વિસ્તારોમાં વીજળી બંધ રહેશે

 આ વિસ્તારોમાં વીજળી બંધ રહેશે જેમાં દલુખડિયા, નાના અને મોટા સોનેલા, સજ્જનપુર, લીંબોદરા, મધવાસ, કારવા, માળિયા, પાવાપુર, હરદાસપુર, કાકાના ભેંસાવાડા, સાલાવાડા, ચોપડા, ભાયાસર, વિરાણીયા, કાંઠા, ઉકરડી, ચાવડિયા, ચાવડી બાઈ નો મુંવાડોનો સમાવેશ થાય છે


આ પણ વાંચો----   Gujarat Flashback 2025 : ગુજરાત પોલીસે સ્પેશ્યલ ડ્રાઇવ કરી ગુનેગારોમાં ફફડાટ ફેલાવ્યો હતો, 100 કલાકમાં રાષ્ટ્રવિરોધી તત્વોનું ચેકીંગ થયું હતું

  • Follow us on: