સ્વૈચ્છિક રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. સંતરામપુર જનરલ હોસ્પિટલ ખાતે બ્લોક હેલ્થ સંતરામપુરના ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં અંદાજિત 500 જેટલા લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કરીને સમાજસેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાતાઓને સર્ટિફ્કિેટ આપીને સન્માનિત કરાયા હતા.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: