મહીસાગરમાં શિક્ષકે રાહદારી પર કાર ચડાવી દેતા અકસ્માતની ઘટના બની હતી અને એક રાહદારીનું ઘટના સ્થળે મોત થયું હતુ, રાહદારીનું ઘટનાસ્થળે જ મોત નીપજતા સ્થાનિકોના ટોળા વળ્યા હતા અને બાકોર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથધરી છે, શિક્ષકને પોલીસે અટકાયત કરી છે અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે.
મહીસાગર જીલ્લામાં વધુ એક શિક્ષકે લીધો રાહદારીનો ભોગ
પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા રાહદારી પર કાર ચડાવી દેતા રાહદારીનું મોત થયું છે, ખાનપુર તાલુકાના આંબલિઘાટી ગામ પાસે સર્જાયો હતો અકસ્માત. શાળામાં જતા શિક્ષક દ્વારા કાર પરનો કાબુ ગુમાવતા રાહદારીને કચડી નાખ્યો હતો, બાકોર પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, રોડ સાંકડો હતો અને ફુલ સ્પીડમાં કાર ચલાવી હોવાની વાત સામે આવી છે, સમગ્ર ઘટનામાં પોલીસે ગુનો નોંધ્યો છે.
