અંધાત્રી(માંડવી): માંડવી નગરના


બૌધાનીયા દરવાજા વિસ્તારમાં મુખ્ય માર્ગની વચ્ચે જ છેલ્લા 10 થી 15 દિવસથી એક મોટો

ખાડો ખુલ્લો પડી રહ્યો છે, જે ગમે ત્યારે

મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે આ વિસ્તારમાં ગટર લાઈનની કામગીરી દરમિયાન ખોદકામ

કરતી વખતે પાણીની મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયું હતું. પાલિકા તંત્ર દ્વારા આ પાઈપલાઈન રિપેર કરવા માટે રસ્તાની વચ્ચે મોટો ખાડો ખોદવામાં

આવ્યો હતો. પાઈપલાઈન રિપેરિંગનું

કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં, પાલિકાએ આ ખાડાને

પૂરવાની તસ્દી લીધી નથી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: