કીમ : માંગરોળનાં તરસાડીની પી.એમ.પ્રાથમિક શાળા, દાદરી ઉચ્ચતર માધ્યમિક શાળા, આદિજાતિ નિવાસી


કુમાર શાળા તથા વાંકલ ખાતે આવેલી આદિજાતિ નિવાસી મિશ્રા શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો

હતો. ધારાસભ્ય ગણપત વસાવાએ 120 ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવ્યો

હતો. સાથે સ્વર્ગસ્થ માતા-પિતાની પુણ્યસ્મૃતિમાં પાંચ લાખનાં ખર્ચે 20 હજાર નોટબુકોનું વિતરણ કર્યુ હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ રશ્મીબેન રાવલ, ઉપપ્રમુખ સુનિલભાઇ, કારોબારી અધ્યક્ષ

દત્તુભાઇ તથા એ.પી.એમ.સી. ચેરમેન સુરેન્દ્રસિંહ ખેર, તરસાડીનગર સંગઠનનાં

વિવિધ હોદ્દેદારો, કાર્યક્રમનું

સફળ સંચાલન કરનાર લાયન્સ ગ્રુપનાં મોહનસિંહ ખેર અને હીરાભાઇ સહિત શાળાનાં આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: