અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે પર પ્રાંતિજ નજીક આવેલા રસલપુર પાસે આજે એક કારમાં અચાનક આગ લાગી હતી. કાર હાઈવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે જ એન્જિનના ભાગેથી ધુમાડા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આખી કાર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. હાઈવે પર ભડભડ સળગતી કારને જોઈને અન્ય વાહનચાલકોમાં પણ ફાળ પડી હતી.
ચાલકની સમયસૂચકતાથી મોટી જાનહાનિ ટળી
કારમાં આગ લાગતા જ ચાલકે અત્યંત સતર્કતા દાખવી હતી. આગની તીવ્રતા વધે તે પહેલાં જ ચાલકે સમયસૂચકતા વાપરી કારને રોકી દીધી હતી અને તરત જ બહાર નીકળી ગયો હતો. ચાલક સમયસર બહાર આવી જતાં તેનો આબાદ બચાવ થયો છે. આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી, જે એક રાહતના સમાચાર છે.
