ઉત્તર ગુજરાતના પંથકમાં આજે સાંજે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં કુતૂહલ અને ક્યાંક ફફડાટ જોવા મળ્યો હતો. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) ના જણાવ્યા અનુસાર, આજે સાંજે 07:21:16 વાગ્યે આ હળવી ધ્રુજારી નોંધાઈ હતી.


ભૂકંપની તીવ્રતા અને કેન્દ્રબિંદુ

રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.1 નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ધરોઈથી ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાં આશરે 49 કિમી દૂર નોંધાયું હતું.અક્ષાંશ 24.435 અને રેખાંશ 72.943 પર તેનું ઉદ્ભવસ્થાન નોંધાયું છે.

કોઈ જાનહાનિ કે નુકસાન નહીં

ભૂકંપની તીવ્રતા ઓછી હોવાના કારણે સદનસીબે હજુ સુધી ક્યાંયથી પણ કોઈ જાનમાલના નુકસાન કે મકાનોમાં તિરાડ પડવાના સમાચાર સામે આવ્યા નથી. ઘણા લોકોએ આ આંચકો અનુભવ્યો હોવાની સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી છે, જોકે આ એક નાનો આંચકો હોવાથી વહીવટી તંત્રએ લોકોને ગભરાવવાની જરૂર નથી તેવી ખાતરી આપી છે.

આ પણ વાંચો: Ahmedabad: કોમનવેલ્થ ગેમ્સ પહેલા વસ્ત્રાલને મળી મોટી ભેટ, 58.68 કરોડના ખર્ચે ફૂટબોલ સ્ટેડિયમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર

  • Follow us on: