મહેસાણા મહનાગરપાલિકા વિસ્તારમાં ગંદકી અને પ્રદુષણની ગંભીર પરિસ્થિતિ સામે આવી છે. જ્યાં વરસાદના સ્વચ્છ પાણીને વહેવાનું હોય છે. ત્યાં આજે ગટરના દૂષિત પાણી વહી રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે, શું આ રીતે સ્વચ્છતા સર્વેક્ષણમાં મહેસાણાને સારો રેન્ક મળી શકશે? મહેસાણાના ગાયત્રી મંદિર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી લાઈનમાં ગટરના ગંદા પાણીનો ઉપદ્રવ વધ્યો છે. આ મુદ્દો ભારે ચર્ચામાં આવતા મનપા દ્વારા ગટરના પાણી જ્યાંથી આવતા હતા. તે જગ્યાને બંધ કરી દેવાઈ હતું. પરંતુ બંધ કર્યાની રાત્રીએ જ ફરી પાછું ગટરનું પાણી આ વરસાદી લાઈનમાં નાખવામાં આવ્યું હતું. રોજની સમસ્યાથી દુર્ગંધ મારતા સ્થાનિકોના નાકે દમ આવી ગયો છે. તો. પાલિકા તંત્ર પણ આ અંગે કોઈ ચોક્કસ નિરાનારણ નથી લાવી રહ્યું. અહીં સર્જાતા પ્રદુષણ સામે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના પણ હાથ પણ ટૂંકા પડી રહ્યા છે.
