મોઢેરાના સૂર્ય મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમ યોજાયો હતો.આ વર્ષની થીમ 'સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ' હતી. જે યોગના આજીવન શારીરિક, માનસિક અને ભાવનાત્મક ફાયદાઓ તેમજ વ્યક્તિઓની ઉંમર વધવાની સાથે સ્વતંત્ર, સક્રિય અને સ્થિતિસ્થાપક જીવનશૈલીને પ્રોત્સાહન આપવામાં તેની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય લાલજીભાઈ મકવાણા, મોઢેરા જિલ્લા પરિષદ કાર્યાલય ઇન્ચાર્જ ઉદયસિંહ સોલંકી, CISF ઇન્સ્પેક્ટર એચ.એલ. ભારતીય, સરપંચ સફીર ખાન સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, પોસ્ટ વિભાગના 50 સભ્યો, આદિત્ય વિદ્યાલયના 100 વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહેવાસીઓએ ભાગ લીધો હતો.કાર્યક્રમની શરૂઆત વડા પ્રધાનના લાઈવ ભાષણથી થઈ હતી. ત્યારબાદ વડોદરા સર્કલના ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના અધિકારીઓ દ્વારા મહેમાનોનો આભાર માની સન્માન કરવામાં આવ્યું હતું અને છેલ્લે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રાદેશિક નિયામક, પ્રશિક્ષિત યોગ પ્રશિક્ષક ડૉ. કિંજલબેન પટેલે યોગ સત્રનું નેતૃત્વ કર્યું હતું.

Chhotaudepur: છોટાઉદેપુર ને.હા. 56 પર બ્રિજમાં ઉગેલા વૃક્ષ દૂર કરવા ઉઠેલી માગ









