ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી અબોલ પશુ-પક્ષી ઘાયલ ન થાય તેની સતર્કતા સાથે આવતીકાલ 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી રાજ્યવ્યાપી કરુણા અભિયાન શરૂ કરાયું છે.
જે અંતર્ગત મહેસાણા જિલ્લામાં ઘાયલ પશુ-પક્ષીઓની માહિતી આપવા માટે કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટે 12 સારવાર કેન્દ્રો અને કલેકશન સેન્ટર પણ ઊભા કરવામાં આવ્યા છે. આ અભિયાનના દિવસો દરમિયાન દરરોજ સવારે 7 થી સાંજે 6 કલાક સુધી પશુપાલન વિભાગ અને વન વિભાગ દ્વારા ઘાયલ પશુ-પક્ષીઓને વિના મુલ્યે સારવાર પૂરી પાડવામાં આવશે. વન વિભાગ અને પશુપાલન વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે ઉત્તરાયણે દરમિયાન ઘાયલ થતાં પશુ-પક્ષીઓની ત્વરિત સારવાર વ્યવસ્થા માટે વોટ્સએપ નંબર, વેબસાઈટ કાર્યરત કર્યા છે. વોટ્સએપ નંબર 8320002000 પર અને વેબસાઈટ પર સર્ચ કરવાથી પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો મળી શકશે.










