મહેસાણા શહેરમાં ધોબીઘાટથી ગાંધીનગર લિંક રોડ તરફ્ જવાના મુખ્ય રસ્તા પર, પાટીદાર પ્લાઝાની બિલકુલ બાજુમાં છેલ્લા અનેક દિવસોથી રસ્તાની વચ્ચોવચ એક મસમોટો ખાડો વાહનચાલકોની કમર તોડી રહ્યો હતો. જો કે, સંદેશમાં આ અંગે અહેવાલ પ્રસિધ્ધ થતાં અધિકારીઓને આ ખાડો મળ્યો હતો અને તુરંત ગટરની કુંડીનું ઢાંકણું નવું લગાવી તેનું સમારકામ કરવામાં આવ્યું હતું. આથી અહી નીકળતા વાહન ચાલકોને હવે રાહત મળશે.

Vadodara: ફતેપુરા ફાયરિંગ કેસના 24 કલાકમાં 4 હિસ્ટ્રીશીટરો જેલભેગા, 2 પિસ્તોલ, કારતુસ અને 5 તલવારો જપ્ત









