નડિયાદ મનપા સમાવિષ્ટ ડભાણમાં પડેલા ધોધમાર વરસાદના કારણે કુમાર શાળા અને સ્વામિનારાયણ મંદિર (વડતાલતાબા ) પાસે ભાગોળમાં ત્રણ થી ચાર ફૂટ પાણી ભરાઇ ગયા હતા. મનપા દ્વારા ગટર લાઇન સાફ કરવામાં નહીં આવતાં આ સમસ્યા સર્જાઇ છે. અમુક ઘરોમાં પાણી પણ ઘુસી ગયા હતા. ગામના પીપળવાળુ ફળિયામાં રહેતા દિગ્વિજય જશભાઇ પટેલના મકાનની દિવાલ ધરાશાયી થઇ હતી. સદનસીબે કોઇ જાનહાની થઇ નથી
