રાજપીપળામાં મંદિર પરિસરમાં મહંતની ઓરડીમાંથી જપ્ત કરાયેલા વાઘના ચામડા અને નખ પ્રાથમિક દ્રષ્ટીએ વાઘના નહી હોવાનું અનુમાન નર્મદા જિલ્લા વન અધિકારીએ લગાવ્યુ છે જો કે તેમનું કહેવું છે કે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જ સાચી જાણકારી મળી શકે તેમ છે.
રાજપીપળા નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિરના બ્રહ્મલીન પૂજારીના રૂમના ઉપલા માળ પરથી 37 વાઘના ચામડા અને 133 વાઘના નખ મળી આવ્યા હતા. આ ચામડા અને નખના પરિક્ષણ માટે એફએલએસ લેબમાં મોકલવામા આવ્યા છે. દરમિયાન નર્મદા જિલ્લા વન અધિકારી (ડીએફઓ) અભય સિંહે દાવો કર્યો છે કે જપ્ત કરાયેલા ચામડા અને નખ પ્રાથમિક દૃષ્ટિએ નકલી છે. નકલી મતબલ ચામડા અને નખ તો અસલી છે પરંતુ તે વાઘના જ છે કે કેમ તે કહેવુ મુશ્કેલ છે.










