દેડિયાપાડા : સાગબારા તાલુકાના પ્રાથમિક શાળા કેલ -1 ખાતે શાળામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ એસએમસીના સભ્યો ગ્રામજનો જોડાયા હતા. આ તિરંગા યાત્રા પ્રાથમિક શાળાથી નીકળીને કેલ ગામમાં ફ્રી હતી. વિધાર્થીઓએ તિરંગો લઈને ભારત માતા કી જય, તિરંગા ઉંચા રહે હમારા, વન્દે માતરમ્ જેવા નારા લગાવ્યા હતા . તિરંગા યાત્રા કાર્યક્રમનું સંચાલન સાગબારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ તડવી દ્વારા કરવામાં આવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો