સરદાર વલ્લભભાઇ પટેલના જન્મ સ્થળ કરમસદથી આરંભાયેલી રાષ્ટ્રીય એકતા પદયાત્રા- યુનિટી માર્ચ તેના અંતિમ પડાવમાં બુધવારે સાંજે નર્મદા જિલ્લામાં પોઇચા ખાતે પ્રવેશી હતી. આજે સવારે પોઇચાથી યાત્રાનું પ્રસ્થાન થયુ હતુ અને ભદામ ગામે 1972માં બનેલી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પટેલની આગેવાની હેઠળ યાત્રા વિવિધ ગામોમાંથી પસાર થઇને રાજપીપળા પહોચી હતી અહી કાલાઘોડા સર્કલ ખાતે યાત્રાનું સ્વાગત કરાયું હતું.


કાલાઘોડા સર્કલ ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ રાજપીપળાના રાજા શ્રી વિજયસિંહજીની પ્રતિમાને પુષ્પાર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ અવસરે સાંસદ મનસુખભાઇ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઇ તડવી, ધારાસભ્ય ડૉ. દર્શનબેન દેશમુખ, જિલ્લાના અગ્રણી નીલભાઈ રાવ, નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.તે પૂર્વે નાંદોદ તાલુકાના ભદામ ગામે યુનિટી માર્ચનું સ્વાગત થયુ હતું અહી યોજાયેલા ગ્રામસભામાં પાણી પુરવઠા રાજ્યમંત્રી ઇશ્વર પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા અને કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાની ઉપસ્થિતિમાં કેન્દ્રીય માર્ગ પરિવહન રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રાએ સંબોધન કરતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પનાને સાકાર કરવા તમામ દેશવાસીઓની સભાગીદારીતા અત્યંત જરૂરી છે.પ્રધાનમંત્રી ના વિકસિત ભારતના સંકલ્પનાને સાકાર કરવા તમામ દેશવાસીઓની સભાગીદારીતા અત્યંત જરૂરી છેગ્રામસભાના પ્રારંભે મહાનુભાવોએ ભદામ ગામે 1972 માં સ્વાતંત્રતા સેનાનીઓ દ્વારા નિર્મિત તે સમયની સરદાર સાહેબની સૌથી વિરાટ પ્રતિમાના ચરણોમાં પુષ્પાર્પણ કરીને ભાવવંદના કરી હતી. આ તકે, ગામના વરિષ્ઠ નાગરિકો, સ્વાતંત્રતા સેનાનીઓના પરિવારજનોને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કર્યુ હતુ.

પોઈચા ખાતે સરદાર સ્મૃતિ વનમાં 562 વૃક્ષોનું વાવેતર કરાયું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની 150મી જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય એકતા, પર્યાવરણ સંરક્ષણ તેમજ સામાજિક જવાબદારીનો સંદેશ આપતી રાષ્ટ્રીય એકતા માર્ચએ આજે પ્રભાતે પોઇચાથી નરખડી તરફ પ્રસ્થાન કર્યું હતું. પ્રસ્થાન પૂર્વે મંત્રી ઋષિકેશભાઈ પટેલ, રિવાબા જાડેજા અને રમેશભાઈ કટારાએ પોઇચા ખાતે આવેલા સરદાર સ્મૃતિ વનમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો.સરદાર વલ્લભભાઈ પટેલે 562 દેશી રજવાડાઓને એકતાના સૂત્રે પરોવી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. તેના પ્રતિકરૂપે સરદાર સ્મૃતિ વનમાં 562 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.

નરખડી પ્રાથમિક શાળાના વિધાર્થીઓ દ્વારા યુનિટી માર્ચનું સ્વાગત

રાજપીપળા : સમગ્ર ભારતમાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે સરદાર પટેલની જન્મભૂમિ કરમસદથી પ્રારંભ થયેલી એકતા યાત્રા બુધવારે વહેલી સવારે નર્મદા જિલ્લાના નરખડી ગામે પહોંચી ત્યારે ત્યાંની પ્રાથમિક શાળાના નાના નાના બાળકો એ દેશભક્તિથી ઉર્જાસભર વાતાવરણ વચ્ચે યાત્રાનું હાર્દિક સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે વિદ્યાર્થીઓ ભારતમાતા, ડૉ. બાબાસાહેબ આંબેડકર, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાનાયકોના વેશભૂષામાં સજ્જ બની યાત્રાનું આત્મીય અને ગૌરવપૂર્ણ સ્વાગત કર્યું હતું.

https://sandesh.com/maru-saher-maru-gaam

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: