સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં વિકાસ યોજનાના ભાગરૂપે શરૂ કરાયેલી દબાણ હટાવ ઝુંબેશને લઈને સ્થાનિક વેપારીઓ અને દબાણ પીડિતોમાં ભારે રોષ ફેલાયો છે. આ દબાણ વિરોધી કાર્યવાહીના વિરોધમાં અને અસરગ્રસ્તોના સમર્થનમાં આજે અંબાજીના બજારો સ્વયંભૂ બંધ રહ્યા હતા.


અંબાજીમાં દબાણ હટાવ ઝુંબેશ સામે રોષ

મળતી માહિતી મુજબ, દબાણ હટાવવાની કામગીરીથી જે વેપારીઓ અને રહેવાસીઓને અસર થઈ છે, તે દબાણ પીડિતોએ ગઈકાલે રાત્રે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં સર્વસંમતિથી આજે અંબાજી બંધના એલાનનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

અસરગ્રસ્તોના સમર્થનમાં ઉતર્યા વેપારીઓ

આ નિર્ણયના પગલે, દબાણ પીડિતોના સમર્થનમાં અંબાજીના અન્ય વેપારીઓ પણ ઉતરી આવ્યા હતા. આજે વહેલી સવારથી જ અંબાજીના મુખ્ય બજારો અને આસપાસના વિસ્તારોમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળીને ઝુંબેશ સામે પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો. બજારો બંધ રહેતા યાત્રાધામની રોનક પર અસર જોવા મળી હતી.વેપારીઓની માંગ છે કે વિકાસ જરૂરી છે, પરંતુ દબાણ હટાવવાની કાર્યવાહીમાં જેમને અન્યાય થયો છે અને જેમનો રોજગાર છીનવાયો છે, તેમને યોગ્ય વળતર અથવા પુનર્વસનની વ્યવસ્થા આપવામાં આવે.

  • Follow us on: