અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. ગોધરા અને દાહોદ વચ્ચે પાનમ નદી પર આવેલો અને છેલ્લા ત્રણ વર્ષથી બંધ પડેલો એક તરફનો બ્રિજ આખરે રિપેરિંગ કામગીરી પૂર્ણ થયા બાદ વાહનવ્યવહાર માટે પુનઃ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. રાજ્યસભાના સાંસદ અને નેશનલ હાઇવેના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ બ્રિજનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Navsari શહેરના વાતાવરણમાં પલટો: વિવિધ વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ












