આગામી 4 જાન્યુઆરીના રોજ ઠાકોર સમાજનું મહાસંમેલન બનાસકાંઠાના દિયોદર તાલુકાના ઓગાડ ખાતે મળશે.
તે અગાઉ પાટણમાં ઠાકોર સમાજનું બંધારણ મહાસંમેલન અંતર્ગત નવા બંધારણનું વાંચન કરાયું હતું અને શપથ લેવામાં આવ્યા હતા. ઠાકોર સમાજમાં પ્રવર્તતા જૂના કુરિવાજોને દૂર કરવા અને શિસ્તબદ્ધ સમાજની રચના કરવા માટે અનેક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. સમાજ બહાર ભાગીને લગ્ન કરનારને સમાજ સ્વીકારશે નહીં તેમજ લગ્નપ્રસંગમાં ડ્ઢત્ન-સનરૂફ્ ગાડી પર પ્રતિબંધ સહિતના 16 જેટલા નવા નિયમો જાહેર કરાયા છે. સામાજિક એકતા માટે 'એક સમાજ એક રિવાજ'નું સૂત્ર અપનાવાયું હતું. આ સંમેલનમાં લગ્ન, સગાઈ અને મરણ પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ ઘટાડવા માટે નવા સામાજિક બંધારણનું સાંસદ ગેની બેન ઠાકોરે વાંચન કર્યું હતું તેમજ ઉપસ્થિત આગેવાનોએ એના અમલીકરણ માટે શપથ લીધા હતા. એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે જો કોઈ આ બંધારણનું ઉલ્લંઘન કરશે તો એના પ્રસંગમાં તેનાં કુટુંબીજનોએ કોઈએ હાજર રહેવું નહીં. જો કોઈ વ્યક્તિ એકલી એવું કરવા માગતી હોય તો ભલે કરે, પણ બાકીનાં પરિવારજનો કે સગાં-વહાલાંએ એ પ્રસંગમાં સામેલ થવું નહીં.










