પાટણ : પાટણ તાલુકાના બાલીસણા ગામે આવેલ તળાવમાં છેલ્લા ઘણા સમયથી જળકુંભી નામના વનસ્પતિ વેલાઓએ તળાવને ઘેરી લેતાં નજીકમાં રહેણાંક વિસ્તાર આવેલો હોવાથી મચ્છરોનો ઉપદ્રવ વધું રહેતો હોય અને ઝેરી જાનવર પણ રહેતા હોવાના ડર સાથે તળાવની સાફ્સફઈ કરાવવા માટે ગામના સરપંચ મુક્તિબેન પટેલ અને પાટણ તાલુકા પંચાયતના ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન નરેશભાઈ પરમારે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી છે.
