પુત્ર જન્મની માનતા પેંડાથી પૂર્ણ કરાઈ
Patan :પાટણ ઃ પાટણના ધાયણોજ ગામે આવેલ પ્રસિદ્ધ જહુ માતાજીના મંદિરે નવીનભાઈ વાણીયાના ઘરે પુત્રનો જન્મ થાય તે માટે શૈલેષ નાયી અને રેશ્માબેન નાયી દ્વારા બાધા આખડી રાખવામાં આવી હતી. જેને લઈ નવીનભાઈ વાણીયાના ઘરે પુત્રરત્નનો જન્મ થતાં મિત્ર શૈલેષ નાયી દ્વારા માનેલી બાધા આખડી પુર્ણ કરવા માટે મંદિરે પહોંચી નવજાત શિશુને પેંડાના વજન સાથે તોલીને પેંડાનું પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવ્યું હતું. આમ સાચા અર્થમાં મિત્રતા નિભાવી હતી. બીજી તરફ્ મિત્રએ રાખેલી બાધાથી પુત્રનો જન્મ થતાં પરિવારમાં પણ ખુશી છવાઈ જવા પામી હતી
