દસાડા તાલુકાના જૈનાબાદમાં ગ્રામ પંચાયત દ્વારા સીમતળ જમીનમાં 100 ચોરસવારના પ્લોટની ફાળવણી કરાઈ છે. પરંતુ અંદાજે 10થી વધુ મકાન માલીકોએ પોતાના મકાન આગળ ગેરકાયદેસર રીતે રસોડુ, શૌચાલય બનાવી દબાણ કર્યુ હતુ. જેના લીધે રસ્તો સાંકડો થઈ જતા ટ્રેકટર સહિતના વાહનો લઈને જવામાં ખેડુતોને મુશ્કેલી પડતી હતી. આ અંગેની ફરિયાદો ઉઠતા નાયબ મામલતદાર (દબાણ), જતીનભાઈ, પાટડી તાલુકા પંચાયતના વિસ્તરણ અધીકારી મલેક, દસાડા પીઆઈ વાય.જે.ઉપાધ્યાય, તલાટી હરેશભાઈ ચૌધરી, સરપંચ રેખાબેન પરમાર સહિતનાઓની હાજરીમાં 10થી વધુ મકાનોની બહાર ગેરકાયદેસર ખડકાયેલ રસોડા અને શૌચાલયો પર જેસીબી ફોરવી દેવાયુ હતુ.

Ahmedabad: પાખંડી આસારામના આશ્રમ પર વહીવટી તંત્રનું બુલડોઝર ફર્યું, ગેટ પાસે ગેરકાયદે બાંધકામ તોડી પડાયું









