પોરબંદરનાં સ્વામિનારાયણ મુખ્ય મંદિર માં હિંડોળા સમાપન મહોત્સવ યોજાયો હતો
પોરબંદર નાં શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર માં હિંડોળા સમાપન મહોત્સવ નું આયોજન કરાયું હતું હરિભક્તો એ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ માં હિંડોળા મહોત્સવ સૌથી વધુ દિવસો સુધી ચાલતો પાવન ઉત્સવ છે. અષાઢ વદ બીજ થી શરુ થયેલ હિંડોળા મહોત્સવ માં ભાવિક ભક્તજનો બાળસ્વરૂપ શ્રી ઘનશ્યામપ્રભુને હૈયાં નાં હેતથી ઝૂલાવી, લાડલડાવી, રિઝવવા પ્રયત્ન કરી ધન્યતા અનુભવે છે. છેલ્લા 31 દિવસથી મંદિર માં યોજાયેલ હિંડોળાને કલાત્મક, મનભાવન નિતનવીનરિતે ,શણગારવા માટે ટ્રસ્ટી ગણ નાં ધીરેનભાઈ કામદાર, વનરાજસિંહ જાડેજા, પરેશભાઈ દવેનાં માર્ગદર્શન થી યુવા ટીમ નિઃસ્વાર્થ ભાવે સેવા ભક્તિ કરી હતી. તમામ સત્સંગી ઓનાં પૂર્ણ સહયોગ થી હિંડોળા મહોત્સવ સંપન્ન થયો હતો . 60થી પણ વધારે હરિ ભક્ત ભાઈ બહેનો એ હિડોળા નાં યજમાન બન્યા હતાં.
