ઈજનેરી કાર્યને કારણે કાનાલુસ–પોરબંદર અને પોરબંદર–કાનાલુસ લોકલ ટ્રેનોનું સંચાલન 25 જાન્યુઆરી સુધી ગોપ જામ સ્ટેશન પરથી થશે રાજકોટ મંડળના કાનાલુસ સ્ટેશન પર પ્લેટફોર્મ મરામત કાર્ય ચાલી રહેલ હોવાથી 25 જાન્યુઆરી, 2026 સુધી કાનાલુસ–પોરબંદર અને પોરબંદર–કાનાલુસ લોકલ ટ્રેનોનું સંચાલન આંશિક રીતે પ્રભાવિત રહેશે.


આંશિક રીતે પ્રભાવિત ટ્રેનો

•ટ્રેન નંબર 59206 પોરબંદર–કાનાલુસ લોકલ

આ ટ્રેન 31 ડિસેમ્બર, 2025 થી 25 જાન્યુઆરી, 2026 સુધી પોરબંદરથી પ્રસ્થાન કરીને ગોપજામ સ્ટેશન સુધી જ ચાલશે તેમજ ગોપજામ–કાનાલુસ સેક્શન વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

•ટ્રેન નંબર 59205 કાનાલુસ–પોરબંદર લોકલ

આ ટ્રેન 31 ડિસેમ્બર, 2025 થી 25 જાન્યુઆરી, 2026 સુધી કાનાલુસની બદલે ગોપજામ સ્ટેશનથી ચાલશે અને કાનાલુસ–ગોપજામ સેક્શન વચ્ચે આંશિક રીતે રદ રહેશે.


આ પણ વાંચો : Ahmedabad News : જ્યાં મૃત્યુ પણ 'જીવન' આપી જાય છે, 5 વર્ષ, 223 દાતા અને માનવતાના મહાતીર્થ તરીકે ઉભરતી અમદાવાદની સિવિલ હોસ્પિટલ



  • Follow us on: